Connect Gujarat
ગુજરાત

કોવિડ-19 : રાજ્યમાં આજે 30 નવા પોઝિટિવ કેસ નોધાયા,

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 30 પોઝિટિવ કેસ નોંધાયા છે. દરમિયાન 24 કલાકમાં 42 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે.

કોવિડ-19 : રાજ્યમાં આજે 30 નવા પોઝિટિવ કેસ નોધાયા,
X

ગુજરાતમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 30 પોઝિટિવ કેસ નોંધાયા છે. દરમિયાન 24 કલાકમાં 42 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ સુધરીને 98.74 ટકા થયો છે.

રાજ્યમાં 30 નવા નોધાયેલ કેસ પૈકી દાહોદમાં 6, અમદાવાદ કોર્પોરેશનમાં 5, સુરતમાં 3, સુરત કોર્પોરેશનમાં 3, વડોદરામાં 2, વડોદરા કોર્પોરેશનમાં 2, અમરેલીમાં 1, આણંદમાં 1, ભરૂચમાં 1, ડાંગમાં 1, ગાંધીનગર કોર્પોરેશનમાં 1, જુનાગઢમાં 1, મહેસાણામાં 1, રાજકોટ કોર્પોરેશનમાં 1 કેસ નોંધાયો છે,

રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 10 હજાર 76 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 8 લાખ 14 હજાર 307 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 330 એક્ટિવ કેસ છે, જેમાંથી 5 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 325 દર્દીની હાલત સ્થિર છે.

રાજ્યમાં આજે સાંજે 5 વાગ્યા સુધીમાં 3,22,664 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં કુલ રસીકરણનો આંક 3,16,30,281 પર પહોંચ્યો છે. જેમાં 352 હેલ્થ વર્કર અને ફ્રન્ટ લાઈન વર્કરને પ્રથમ ડોઝ, 7531 હેલ્થ વર્કર અને ફ્રન્ટ લાઈન વર્કરને બીજો ડોઝ, 45 વર્ષથી મોટા 63,271ને પ્રથમ ડોઝ, 45 વર્ષથી મોટા 41415ને બીજો ડોઝ, 18-45 વર્ષના 1,90,903ને પ્રથમ ડોઝ અને 18-45 વર્ષના 17,203ને બીજો ડોઝ અપાયો હતો.

અમદાવાદ કોર્પોરેશન અને ભરૂચમાં 10-10, વડોદરા કોર્પોરેશનમાં 7, સુરત અને અમરેલીમાં 3-3.. વડોદરા-મોરબીમાં 1-1 તથા તાપીમાં 2 તથા ગાંધીનગરમાં 4 દર્દીએ કોરોનાને મ્હાત આપી હતી.

Next Story