ગુજરાત રાજ્યના અનેક જિલ્લાઓમાં ગત શનિવારે સાંજે 7.40 કલાકની આસપાસ આકાશમાં સળગતી વસ્તુઓ જોવા મળી હતી. આ અગનગોળો પૃથ્વીની વધુ નજીક આવતા 2 ભાગમાં વહેંચાઈ ગયો હતો. આ ઘટના જોઈને લોકો વિચારમાં મૂકાઈ ગયા હતા. જોકે થોડી ક્ષણો બાદ આ વસ્તુ ગાયબ થઇ ચૂકી હતી, ત્યારે લોકો એ જાણવા માંગે છે કે આ શું વસ્તું હતી.
આકાશમાં ઉલ્કા જેવી વસ્તુ તેજગતિએ પૃથ્વી તરફ આવતા લોકો અચરજમાં મુકાયા હતા. સુરત, ભરૂચ, અંકલેશ્વર, વડોદરા, સુરેન્દ્રનગર, કચ્છ, રાજકોટ, મહેસાણા, અરવલ્લી, મહીસાગર સહિત અનેક જિલ્લાઓમાં આ દ્રશ્યો જોવા મળ્યા હતા. એવું ચર્ચાઈ રહ્યું છે કે, આ ઘટના આખા રાજ્યમાં જોવા મળી છે. આકાશમાં દેખાતો પદાર્થ લઘુગ્રહનો કચરો હોવાની શક્યતાઓ છે. જોકે, લોકોમાં માથે ફરતા મોતથી ડરનો માહોલ પણ સર્જાયો હતો.
એક અમરીકી ખગોળશાસ્ત્રીએ તો એવો પણ દાવો કર્યો છે કે, આ ચીની રોકેટના અંશ હતા. અમેરિકાના ખગોળશાસ્ત્રી જોનાથન મેકડોવેલએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, મારા ખ્યાલ અનુસાર, આ ચીનનું રોકેટ ઝેંગ 3-B હતું. જે ધરતી તરફ પડતા તેના હિસ્સાઓ વાતાવરણના સંપર્કમાં આવતા સળગી ઉઠ્યા હતા. આ ચીનનું રોકેટ ઝેંગ 3-B સીરીયલ નંબર Y-77 આ જ રસ્તે આવવાનું હતું. અને આકાશમાં દેખાયેલ ચમકતી રેખાઓ તેના બળવાથી પેદા થઇ હતી. જેથી કહી શકાય કે, આ અગનગોળો એક ચીની રોકેટના જ અવશેષ હતા.