ગીર સોમનાથ : શ્રાવણ માસમાં સોમનાથ મહાદેવના દર્શને પહોંચ્યા સંસારની મોહમાયાથી મુક્ત મનોદીવ્યાંગ ભક્તો...

દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં દિવ્યાંગો માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ સંવેદનાથી કાર્યરત છે,

New Update

દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં દિવ્યાંગો માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ સંવેદનાથી કાર્યરત છે, ત્યારે હાલ ચાલી રહેલા શ્રાવણ માસ નિમિત્તે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગીર સોમનાથ જિલ્લામાં ડારી ટોલ પ્લાઝા નજીક કાર્યરત "નિરાધારનો આધાર આશ્રમ"ના મનોદીવ્યાંગ ભક્તોને સોમનાથ મહાદેવના દર્શન કરાવ્યા હતા.

Advertisment

શ્રાવણ માસ પોતાના મધ્યમાં પહોચ્યો છે, ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શને દેશ-વિદેશના ભક્તોનો ભક્તિ સાગર છલકાયો છે. ભાવિકો વિવિધ પ્રકારની ઉપાસના કરી સોમનાથ મહાદેવના આશીર્વાદ મેળવી રહ્યા છે, ત્યારે રાષ્ટ્રના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કાર્યરત શ્રી સોમનાથ ટ્રસ્ટે ફરી વખત અદભુત સંવેદના પ્રગટ કરીને મનો દિવ્યાંગો માટે સોમનાથ યાત્રાનું આયોજન કર્યું હતું. ગીર સોમનાથ જિલ્લામાં ડારી ટોલ પ્લાઝા નજીક કાર્યરત "નિરાધારનો આધાર આશ્રમ" જે 100 જેટલા મનોદિવ્યાંગને પ્રભુજીનું સ્વરૂપ માની સેવા કરે છે. આશ્રમ ખાતે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા પોતાની બસો મોકલીને મનો દિવ્યાંગોને શ્રી સોમનાથ મંદિર સુધી લાવવામાં આવ્યા હતા. વિશેષ પ્રવેશ વ્યવસ્થા કરીને જે દિવ્યાંગ ચાલી ન શકે તેઓને ગોલ્ફ કાર્ટ દ્વારા મંદિરમાં લાવવામાં આવ્યા હતા. દિવ્યાંગો ને વિશેષ સંભાળ લઈ શાંતિપૂર્વક સોમનાથ મહાદેવના દર્શન કરાવવામાં આવ્યા હતા. દર્શન બાદ મંદિર પરિસરમાં સંકીર્તન ભવન ખાતે દિવ્યાંગ પ્રભુજીઓના સમૂહ માટે ધ્વજા પૂજાની વ્યવસ્થા કરવામાં આવી હતી. વિશુદ્ધ આનંદ અને અપાર શ્રદ્ધા સાથે મનો દિવ્યાંગ પ્રભુજીઓ દ્વારા મહાદેવની ધ્વજા પૂજા કરવામાં આવી હતી. પૂજા બાદ ઢોલ શરણાઈના સૂર સાથે મનો દિવ્યાંગો મહાદેવની ભક્તિમાં ઝુમી ઉઠ્યા હતા. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા તમામ પ્રભુજીઓનું ખેસ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ મહાદેવનો ચિકિ પ્રસાદ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ તમામ પ્રભૂજીઓને બસ દ્વારા શ્રી ગોલોકધામ તીર્થ ખાતે દર્શન કરાવવામાં આવ્યા હતા. ગોલોકધામ પ્રવાસ પૂર્ણ થયે શ્રી સોમનાથ ટ્રસ્ટના અન્નક્ષેત્રમાં વિશેષ વ્યવસ્થા સાથે મનો દિવ્યાંગ પ્રભુજીઓને મહાપ્રસાદ સ્વરૂપે ભોજન કરાવવામાં આવ્યું હતું.

Advertisment
Read the Next Article

ભરૂચ: સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત 4 સ્થળોએ યોજાયેલ સમર યોગ કેમ્પની પુર્ણાહુતી કરાય

સમર યોગ કેમ્પમાં ૭ થી ૧૫ વર્ષના બાળકોએ લાભ લીધો હતો. બાળકોમાં સંસ્કારોનું સિંચન થાય તેમજ તંદુરસ્ત જીવનશૈલી અપનાવે એ ઉદેશ્યથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

New Update
સમર યોગ કેમ્પ
ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગસેવક શીશપાલજીના નેતૃત્વ અને દક્ષિણ ગુજરાત ઝોનના કો-ઓર્ડીનેટર પ્રીતિબેન પાંડેના માર્ગદર્શન હેઠળ ભરૂચ ખાતે ‘‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન હેઠળ બાળકોમાં મેદસ્વિતાનું પ્રમાણ અટકાવી શકાય તે માટે ભરૂચ જિલ્લાના વિવિધ સ્થળોએએ યોગા ટિચર ભાવિની ઠાકરની આગેવાનીમાં સમર યોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. 
Advertisment
સમર યોગ કેમ્પ
આ સમર યોગ કેમ્પમાં ૭ થી ૧૫ વર્ષના બાળકોએ લાભ લીધો હતો. બાળકોમાં સંસ્કારોનું સિંચન થાય તેમજ તંદુરસ્ત જીવનશૈલી અપનાવે એ ઉદેશ્યથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પ દરમિયાન યોગાસન, ધ્યાન, પ્રાણાયામ, મંત્રો અંગે તાલીમ આપવામાં આવી હતી તેમજ સંગીત, જુની રમતો, વિવિધ સ્પર્ધાઓ અને સેલ્ફ ડિફેન્સ જેવી વિવિધ પ્રવૃત્તિ કરાવવામાં આવી હતી.આ પ્રસંગે ભરૂચ  જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી તેમજ પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ અને દક્ષેશભાઈ પંચોલીના હસ્તે સર્ટિફિકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
Advertisment