Connect Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગરના નગવાડા ગામે પતિએ પોતે જ પોતાની પત્નિને મોતને ઘાટ ઉતારી, જાણો હત્યા કરવા પાછળનું કારણ..?

જિલ્લાના નગવાડા ગામે પતિએ પોતે જ પોતાની પત્નિને મોતને ઘાટ ઉતારી દેવાની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

સુરેન્દ્રનગરના નગવાડા ગામે પતિએ પોતે જ પોતાની પત્નિને મોતને ઘાટ ઉતારી, જાણો હત્યા કરવા પાછળનું કારણ..?
X

સુરેન્દ્રનગર જિલ્લાના નગવાડા ગામે પતિએ પોતે જ પોતાની પત્નિને મોતને ઘાટ ઉતારી દેવાની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. જેમાં ઘરમાં સંતાનો ઝઘડતા હોવાથી એમને છુટા પાડવા બાબતે બોલાચાલી થતા પતિ-પત્નિ વચ્ચે જોરદાર ઝઘડો થયો હતો. જેમાં પતિએ ખાટલાની લાકડાની જાડી ઇશ ભાગવા જઇ રહેલી પત્નિને માથામાં ફટકારતા પત્નિ બેભાન થઇને ઢળી પડ્યા બાદ દવાખાને લઇ જવાતા કમકમાટીભર્યું મોત નિપજ્યું હતુ. ત્યારે ઝીંઝુવાડા પોલિસે હત્યારા પતિની અટક કરી કાર્યવાહી હાથ ધરી છે.

સુરેન્દ્રનગર જિલ્લાના મેરા ગામે પુત્રએ પોતાની સાવકી માતા-પિતાનું રાત્રીના અંધારામાં ગળુ કાપી નાખ્યું હતુ. જેમાં માતાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતુ. જ્યારે લીંબડી ખાતે એક ભાઇએ પોતાની સગી બહેનની નિર્દયતાથી હત્યા કરી હતી. આ ગોઝારી ઘટનાના પડઘા હજી શમ્યા નથી ત્યાં સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના નગવાડા ગામે રહી ખેતમજૂરી કામ કરતા પ્રવિણભાઇ તળશીભાઇ મકવાણા પોતાની પત્નિ મીનાબેન મકવાણા, બે બાળકો વિજય અને નાયરા અને માતા રેવીબેન મકવાણા અને પિતા તળશીભાઇ મકવાણા સાથે સંયુક્ત કુટુંબમાં રહે છે. ત્યારે ઘરમાં બાળકો રમતા-રમતા ઝઘડવા લાગતા પત્નિ મીનાબેને પોતાના પતિ પ્રવિણભાઇએ બાળકોને ઝઘડતા છોડાવવાનું કહેતા બહારથી મજૂરી કામ કરીને થાકીને આવેલા પ્રવિણભાઇ મકવાણાને પોતાની પત્નિ મીનાબેન સાથે જોરદાર ઝઘડો અને ગાળા-ગાળી બાદ મારા મારી થઇ હતી. આથી નગવાડા વણકર વાસમાં રહેતી મીનાબેન ઘરની બહાર નીકળીને મોહલ્લામાં ભાગવા ગઇ હતી. આથી એનો પતિ પ્રવિણભાઇ ઘરની બહાર પડેલી લાકડાની જાડી ઇશ લઇને એને મારવા પાછળ દોડ્યો હતો. અને થોડી દૂર એની પાછળ ભાગીને પત્નિ મીનાબેનના માથામાં લાકડાની જાડી ઇશના ત્રણથી ચાર ફટકા માર્યા હતા.આથી મીનાબેનને માથામાં જોરદાર ઇજાઓ પહોંચતા એ લોહિલુહાણ હાલતમાં બેભાન થઇને ત્યાં જ ઢળી પડી હતી. બાદમાં એને 108 એમ્બ્યુલન્સ વાનમાં સારવાર અર્થે દસાડા સરકારી હોસ્પિટલે લઇ જવાતા સારવાર મળે એ પહેલા જ મીનાબેન મકવાણાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતુ. આ ઘટનાની જાણ થતાં ઝીંઝુવાડા પીએસઆઇ સહિતનો પોલિસ સ્ટાફ તાકીદે ઘટનાસ્થળે દોડી જઇ મૃતક મહિલા મીનાબેન મકવાણાની લાશને પોસ્ટ મોર્ટમ માટે પાટડી સરકારી હોસ્પિટલે મોકલી આપી હત્યારા પતિ પ્રવિણભાઇ મકવાણાની અટક કરી એની વિરુદ્ધ હત્યા અંગેનો ગુન્હો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આ બનાવમાં હત્યારા પ્રવિણભાઇ મકવાણાની માતા રેવીબેનની ફરીયાદના આધારે ઝીંઝુવાડા પોલિસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Next Story