Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા : પત્ની સાથે મનમેળ ન રહેતા યુવકે કુવામાં ઝંપલાવી આપઘાત કર્યો

સાબરકાંઠા : પત્ની સાથે મનમેળ ન રહેતા યુવકે કુવામાં ઝંપલાવી આપઘાત કર્યો
X

સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના કોદરેલી ગામના યુવકે કુવામાં ઝંપલાવી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી.

મળતી માહિતી અનુસાર, વડાલી તાલુકાના કોદરેલી ગામના 35 વર્ષીય યુવક જગદીશ ઠાકરડાને છેલ્લા ઘણા સમયથી પત્ની સાથે મનમેળ ન હતો, ત્યારે જગદીશને લાગી આવતાં ગત મંગળવારે ગામતળમાં આવેલ કુવામાં ઝંપલાવી પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. બનાવના પગલે ગામમાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. જે બાદ વડાલી પોલીસને જાણ કરાતાં પોલીસ કાફલો પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

પોલીસે યુવકના મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડયો હતો. યુવકના મોતના પગલે પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. સમગ્ર મામલે વડાલી પોલીસે અકસ્માતે મોતનો ગુન્હો નોંધી વધુ તપાસ સાથે કાર્યવાહી હાથ ધરી છે.

Next Story