સાબરકાંઠા : વૃક્ષારોપણ પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી ધાણધા-રાયગઢ નર્સરી ખાતે 6 લાખ રોપાઓનો ઉછેર

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરની ધાણધા અને રાયગઢ નર્સરી ખાતે 6 લાખથી વધુ વૃક્ષોના રોપાનો ઉછેર કરવામાં આવ્યો છે.

New Update

હાલના સમયે પર્યાવરણની જાળવણી માટે વૃક્ષો અનિવાર્ય

લોકોમાં વૃક્ષારોપણ પ્રત્યે વધુ જાગૃતિ આવે તેવો સુંદર હેતુ

જિલ્લાને હરિયાળો બનાવવા હિંમતનગર વન વિભાગ સજ્જ

ધાણધા-રાયગઢ નર્સરી ખાતે 6 લાખ રોપાઓનો ઉછેર કરાયો

વિવિધ રોપાઓનું નગરજનોને વિતરણ પણ કરવામાં આવ્યું

પર્યાવરણની જાળવણી માટે વૃક્ષો અનિવાર્ય બન્યા છેત્યારે લોકોમાં વૃક્ષારોપણ પ્રત્યે વધુ જાગૃતિ આવે તે હેતુથી સાબરકાંઠા જિલ્લાને હરિયાળો બનાવવા હિંમતનગરની ધાણધા અને રાયગઢ નર્સરી ખાતે 6 લાખ જેટલા રોપાઓનો ઉછેર કરવામાં આવ્યો છે.

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરની ધાણધા અને રાયગઢ નર્સરી ખાતે 6 લાખથી વધુ વૃક્ષોના રોપાનો ઉછેર કરવામાં આવ્યો છે. આ વૃક્ષોના વિતરણ માટે તંત્રએ વૃક્ષરથની શરૂઆત કરી છે. સાબરકાંઠાને હરિયાળો બનાવવાની નેમ સાથે વન વિભાગ દ્રારા વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે. જેમાં સામાજિકશૈક્ષણિક તેમજ અન્ય સંસ્થાઓ દ્વારા લોકજાગૃતિ માટે પ્રયત્નના પરીણામ સ્વરૂપે લોકોમાં વૃક્ષારોપણ માટે ખાસ જાગૃતિ જોવા મળી રહી છે. વન વિભાગ જિલ્લાના દરેક ગામે ગામ જઈ વ્યક્તિદિઠ એક વૃક્ષ રોપાવા કટિબંધ્ધ છે. અત્રે ઉલ્લેખનીય છે કેવિશ્વ યોગ દિનની ઉજવણી પ્રસંગે પણ વન વિભાગ દ્વારા યોગાભ્યાસુઓને રોપા વિતરણ કરાયા હતા. આ સિઝનમાં અત્યાર સુધીમાં આ 2 નર્સરી દ્વારા 33 હજાર રોપા વિનામુલ્યે વિતરણ કરવામાં આવ્યા હતાજ્યારે 11,500થી વધુ રોપા રૂ. 1 લાખના ખર્ચથી વીતરણ કરાયા છે. આ રોપાઓમાં નીલગીરી,  લીમડાઅરડુસાઆસોપાલવગુલમહોરસરગવોવડલો જેવા વૃક્ષોની સાથે સાથે ફળાઉ વૃક્ષ જેવા કે દાડમજામફળજાંબુ,  આંબાઆંબળાલીંબુ જેવા વૃક્ષોનો સમાવેશ થાય છે. આ સાથે જ નગોરતુલસીઅરડુસી વગેરે જેવા ઔષધીય રોપાનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે.

Read the Next Article

સુરતના એકમાત્ર “પ્લાસ્ટિક મુક્ત” અલથાણ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરાયું...

સુરત જિલ્લાના નાગરિકોને ઝડપી ન્યાય મળે અને સરળતાથી પોલીસ સેવા સુલભ બને તે માટે અલથાણ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

New Update

નાગરિકો માટે પોલીસ સેવા સુલભ બને તેવું આયોજન

સુરતનું એકમાત્ર પ્લાસ્ટિક મુક્ત અલથાણ પોલીસ સ્ટેશન

અલથાણ પોલીસ સ્ટેશનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે લોકાર્પણ કરાયું

પોલીસ સ્ટેશનમાં રેઇન વોટર હારવેસ્ટિંગની વિશેષ વ્યવસ્થા

સુરત જિલ્લાના નાગરિકોને ઝડપી ન્યાય મળે અને સરળતાથી પોલીસ સેવા સુલભ બને તે માટે અલથાણ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અલથાણ પોલીસ સ્ટેશન સુરતનું એકમાત્ર પ્લાસ્ટિક મુક્ત પોલીસ સ્ટેશન તેમજ સોલાર પાવર સિસ્ટમથી સંચાલિત છેત્યારે આ પોલીસ સ્ટેશનમાં રેઇન વોટર હારવેસ્ટિંગની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ અલથાણ પોલીસ સ્ટેશનનું નિરીક્ષણ કર્યું હતું. ગૃહ રાજ્યમંત્રીએ રાજ્યમાં શાંતિસુરક્ષા સલામતીના મૂળમાં ઉત્તમ કાયદો અને વ્યવસ્થા તેમજ ન્યાયની આશામાં પોલીસ સ્ટેશને આવતા ફરિયાદી તથા આમ નગારિક નિરાશ ન થાય તેમજ નાગરિકોની સમસ્યાઓફરિયાદોમાં અલથાણ પોલીસ સ્ટેશન મદદરૂપ થાય તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. આ લોકાર્પણ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રી મુકેશ પટેલસંદીપ દેસાઈધારાસભ્ય સંગીતા પાટીલસુરત શહેર પોલીસ કમિશનર સહિત પોલીસ અધિકારીઓસામાજિક આગેવાનો  સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.