સાબરકાંઠા : વૃક્ષારોપણ પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી ધાણધા-રાયગઢ નર્સરી ખાતે 6 લાખ રોપાઓનો ઉછેર

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરની ધાણધા અને રાયગઢ નર્સરી ખાતે 6 લાખથી વધુ વૃક્ષોના રોપાનો ઉછેર કરવામાં આવ્યો છે.

New Update

હાલના સમયે પર્યાવરણની જાળવણી માટે વૃક્ષો અનિવાર્ય

લોકોમાં વૃક્ષારોપણ પ્રત્યે વધુ જાગૃતિ આવે તેવો સુંદર હેતુ

જિલ્લાને હરિયાળો બનાવવા હિંમતનગર વન વિભાગ સજ્જ

ધાણધા-રાયગઢ નર્સરી ખાતે 6 લાખ રોપાઓનો ઉછેર કરાયો

વિવિધ રોપાઓનું નગરજનોને વિતરણ પણ કરવામાં આવ્યું

પર્યાવરણની જાળવણી માટે વૃક્ષો અનિવાર્ય બન્યા છેત્યારે લોકોમાં વૃક્ષારોપણ પ્રત્યે વધુ જાગૃતિ આવે તે હેતુથી સાબરકાંઠા જિલ્લાને હરિયાળો બનાવવા હિંમતનગરની ધાણધા અને રાયગઢ નર્સરી ખાતે 6 લાખ જેટલા રોપાઓનો ઉછેર કરવામાં આવ્યો છે.

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરની ધાણધા અને રાયગઢ નર્સરી ખાતે 6 લાખથી વધુ વૃક્ષોના રોપાનો ઉછેર કરવામાં આવ્યો છે. આ વૃક્ષોના વિતરણ માટે તંત્રએ વૃક્ષરથની શરૂઆત કરી છે. સાબરકાંઠાને હરિયાળો બનાવવાની નેમ સાથે વન વિભાગ દ્રારા વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે. જેમાં સામાજિકશૈક્ષણિક તેમજ અન્ય સંસ્થાઓ દ્વારા લોકજાગૃતિ માટે પ્રયત્નના પરીણામ સ્વરૂપે લોકોમાં વૃક્ષારોપણ માટે ખાસ જાગૃતિ જોવા મળી રહી છે. વન વિભાગ જિલ્લાના દરેક ગામે ગામ જઈ વ્યક્તિદિઠ એક વૃક્ષ રોપાવા કટિબંધ્ધ છે. અત્રે ઉલ્લેખનીય છે કેવિશ્વ યોગ દિનની ઉજવણી પ્રસંગે પણ વન વિભાગ દ્વારા યોગાભ્યાસુઓને રોપા વિતરણ કરાયા હતા. આ સિઝનમાં અત્યાર સુધીમાં આ 2 નર્સરી દ્વારા 33 હજાર રોપા વિનામુલ્યે વિતરણ કરવામાં આવ્યા હતાજ્યારે 11,500થી વધુ રોપા રૂ. 1 લાખના ખર્ચથી વીતરણ કરાયા છે. આ રોપાઓમાં નીલગીરી,  લીમડાઅરડુસાઆસોપાલવગુલમહોરસરગવોવડલો જેવા વૃક્ષોની સાથે સાથે ફળાઉ વૃક્ષ જેવા કે દાડમજામફળજાંબુ,  આંબાઆંબળાલીંબુ જેવા વૃક્ષોનો સમાવેશ થાય છે. આ સાથે જ નગોરતુલસીઅરડુસી વગેરે જેવા ઔષધીય રોપાનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે.

Read the Next Article

અંકલેશ્વર: ONGCમાં નોકરીના બહાને રૂ.1.84 કરોડની છેતરપીંડીમાં ફરિયાદી જ આરોપી નિકળ્યો, પોલીસે કરી ધરપકડ

આરોપીએ વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચ આપી અનેક લોકોને ફસાવ્યા હતા...

New Update
ONGC Fraud
અંકલેશ્વર ONGC માં અલગ અલગ સ્થળે 90 લોકોને નોકરીની લાલચ આપી 1.84 કરોડની ઠગાઈમાં વોન્ટેડ આરોપી ઝડપાતા ફરિયાદી પણ આરોપી હોવાનો થયો ધડાકો અંકલેશ્વરની ONGC કંપનીમાં સિક્યોરિટીમાં રાજ્યમાં અલગ અલગ સ્થળે નોકરીની લાલચે 90થી વધુ લોકો સાથે આચરાયેલા રૂપિયા 1.84 કરોડના કૌભાંડમાં ફરિયાદી પણ આરોપી નીકળ્યો છે. 
અંકલેશ્વરની અમૃતકુંજ સોસાયટીમાં રહેતા ફરિયાદી એવા આરોપી ઘનશ્યામસીધ રાજપુતની અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી લીધી છે. વર્ષ 2022 થી 2024 માં વિરાટ નગર રહેતા ઓગસ્ત હરદેવ પાંડે એ પોતે નેશનલ ઇન્વેસ્ટીગેશન સિક્યુરીટી સર્વીિસ NISS કંપનીના મેનેજર તરીકેની ખોટી ઓળખ આપી હતી. વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચમાં લોકોને ફસાવ્યા હતા.
NISS કંપનીના બોગસ જોઇનીંગ લેટર અને આઇ કાર્ડ બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી વિશ્વાસમાં લઇ હાલના આરોપી એવા ફરિયાદીના પરિવારના 10 લોકો સહિત કુલ 50 જેટલા લોકો પાસેથી રૂપિયા 1.04 કરોડ પડાવ્યા હતા.સાથે જ ઠાકોરભાઇ આહીર અને તેની સાથેના 40 અન્ય લોકો પાસેથી દરેકના બે લાખ લેખે આશરે ₹80 લઇ નોકરીએ નહિ લગાવી નાસી છૂટ્યો હતો. જે આરોપી અગસ્ત પાંડે પકડાતા તેને પોલીસ સમક્ષ આ કૌભાંડમાં ફરિયાદી એવો ઘનશ્યામ સિંઘ પણ સામેલ હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. એ ડિવિઝન પોલીસે ફરિયાદીની આરોપી તરીકે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.