Connect Gujarat
ગુજરાત

રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ કોરોના પોઝિટિવ,વાંચો ગુજરાતમાં કોરોનાની શું છે સ્થિતિ

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના પોઝિટિવ કેસમાં ઉછાળો આવી રહ્યો છે. તેવા સંજોગો વચ્ચે આજે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ કોરોનાગ્રસ્ત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે.

રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ કોરોના પોઝિટિવ,વાંચો ગુજરાતમાં કોરોનાની શું છે સ્થિતિ
X

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના પોઝિટિવ કેસમાં ઉછાળો આવી રહ્યો છે. તેવા સંજોગો વચ્ચે આજે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ કોરોનાગ્રસ્ત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. કોરોનાના સામાન્ય લક્ષણો જણાતા તેમણે ટેસ્ટ કરાવ્યો હતો. જે પોઝિટિવ આવ્યો હતો.

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને સામાન્ય લક્ષણો જણાતા ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને તેમાં તેઓ પોઝિટિવ આવ્યા હતા તો બીજી બાજુ ગુજરાતમાં ધીમી ગતિએ કોરોનાના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. તેમાંય 6 દિવસથી કોરોનાએ બેવડી સદી મારી રહ્યો છે એટલે કે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 226 કેસ નોંધાયા છે. તો આજે કોરોનાને લીધે કોઈ દર્દીનું મૃત્યુ થયું નથી. 163 દર્દીઓ સાજા થઈ હેમખેમ ઘરે પરત ફર્યા છે. કેસમાં વધારો આવતા એક્ટિવ કેસની સંખ્યા પણ 1524 પહોચી ગઈ છે. કોરોનાની ગંભીર અસર ગ્રસ્ત 2 દર્દીની વેન્ટિલેટર પર સારવાર ચાલી રહી છે.રાજ્યમાં કોરોનાના કુલ 10946 મૃત્યુ થયા છે, ગુજરાતભરમાં આજે કુલ 55,584નાગરિકોનું રસીકરણ સાથે રાજ્યમાં રસી ના કુલ 11.09 કરોડથી વધુ ડોઝ આપી ચૂક્યા છે. ગુજરાતમાં કોરોના સામે સાજા થવાનો દર 98.98 ટકા પહોચ્યો છે.

Next Story