વલસાડ : રાજ્ય સરકારના સુશાસનના 5 વર્ષની ઉજવણીના ભાગરૂપે સંવેદના દિવસ મનાવાયો

New Update

ગુજરાત રાજયના મુખ્‍યમંત્રી વિજય રૂપાણીની સરકારના થયેલા વિકાસના કામોની જાણકારી રાજયની પ્રજાને થાય તે હેતુથી તા. ૦૧ લી આગસ્‍ટથી તા. ૦૯ મી ઓગસ્‍ટ સુધી રાજય સરકાર દ્વારા સુશાસનના પાંચ વર્ષની ઉજવણી કરાઇ રહી છે. જેના ભાગરૂપે આજના દ્વિતીય દિવસે રાજયના મુખ્‍યમંત્રી વિજય રૂપાણીના જન્‍મદિને રાજકોટ ખાતેથી મુખ્‍યમંત્રીએ વીડિયો કોન્‍ફરન્‍સના માધ્‍યમથી મુખ્‍યમંત્રી બાળ સહાય યોજના, વિધવા સહાય અને વૃધ્‍ધ સહાયના લાભાર્થીઓને સહાયના વિતરણનો વર્ચ્‍યુઅલ કાર્યક્રમ યોજાયો હતો.

રાજ્યના મુખ્‍યમંત્રી દ્વારા યોજાયેલા આ કાર્યક્રમ અંતર્ગત વલસાડ જિલ્‍લામાં રાજયના મહિલા આયોગના ચેરમેન શ્રીમતી લીલાબેન અંકોલિયાએ મુખ્‍યમંત્રી બાળસહાય યોજનાના ૦૫ લાભાર્થી, વિધવા સહાય અને વૃધ્‍ધ સહાયના ૧૦ લાભાર્થીઓ સાથે ૧૫ લાભાર્થીઓને ટોકનરૂપે સહાયના પ્રમાણપત્રો વિતરણ કર્યા હતા. આ અવસરે ચેરમેનએ રાજય સરકારના મુખ્‍યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્‍યમંત્રી નિતીનભાઇ પટેલના નેતૃત્ત્વમાં પાંચ વર્ષમાં રાજયનો તમામ ક્ષેત્રે થયેલો વિકાસની માહિતી આપતાં જણાવ્‍યું હતું કે, કોરોના જેવી મહામારી સમયે પણ રાજય સરકારે વિકાસનું કામ અટકવા દીધું નથી.

કોરોનાની વિશ્વવ્‍યાપી મહામારીમાં પણ રાજયના મુખ્‍યમંત્રીએ ત્‍વરિત નિર્ણયો લઇને કોરોનાના દર્દીઓ માટે હોસ્‍પિટલમાં જરૂરી બેડ અને આનુષંગિક વ્‍યવસ્‍થાઓ ઊભી કરી હતી. તેમજ ઓકિસજનની જરૂરતવાળા દર્દીઓ માટે ઓકિસજનની વ્‍યવસ્‍થા કરી હતી. કોરોનામાં જે સંતાનોના વાલીઓ મૃત્‍યુ પામ્‍યા હતા તેવા નિરાધાર બાળકોના વાલીને માસિક રૂા.૪૦૦૦/-નીસહાય લાભાર્થીના બેંક ખાતામાં જમા કરાવી રાજયના મુખ્‍યમંત્રીએ તેમની સંવેદનાનો પરિચય આપ્‍યો હતો. એવા જ રીતે ગંગાસ્‍વરૂપ બહનો માટે તેણી પુનઃ લગ્ન કરે તો રાજય સરકાર દ્વારા રૂા. ૨૫ હજારની એફ. ડી. અને રૂા. ૨૫ હજાર તેણીના બેંક એકાઉન્‍ટમાં જમા કરી કુલ રૂા. ૫૦ હજારની સહાય કરી છે.

કોરોના હજુ ગયો નથી જેથી સોશીયલ ડિસ્‍ટન્‍સ અને કોરોનાની એસ.ઓ.પી. પાલન કરી કોરોનાની સંભવિત ત્રીજી લહેરમાં બાળકોનું જરૂરી ઘ્‍યાન રાખવા જણાવ્‍યું હતું. રાજય સરકાર મહિલાઓની સુરક્ષા માટે કટિબધ્‍ધ છે જેથી મહિલાઓ માટે નારી અદાલતો, મહિલાઓ માટે ૧૮૧ હેલ્‍પલાઇન જેવી યોજનાઓ શરૂ કરી છે. દરેક મહિલાઓને સક્ષમ બની પોતાની પ્રગતિ સાધવા માટે શ્રીમતી લીલાબેને આ સમારોહમાં ઉપસ્‍થિત મહિલાઓને જણાવ્‍યું હતું. આ પ્રસંગે શ્રીમતી લીલાબેને રાજય સરકાર દ્વારા પ્રજા તમારે દ્વાર અંતર્ગત સેવાસેતુના માધ્‍યમથી વ્‍યકિતઓને તેમના સાત બારના નમૂના, આવક/જાતિના દાખલા, રેશનકાર્ડ, આધારકાર્ડ વગેરે સેવાઓનો લાભ લેવા માટે જણાવ્‍યું હતું.

Read the Next Article

વરિષ્ઠ નેતા વિજય રૂપાણીના દુઃખદ નિધનના પગલે રાજ્ય સરકારે એક દિવસનો રાજકીય શોક  કર્યો જાહેર

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા વિજય રૂપાણીના દુઃખદ નિધનના પગલે રાજ્ય સરકારે એક દિવસનો રાજકીય શોક જાહેર કર્યો છે.

New Update
1749726703_new-project-8

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા વિજય રૂપાણીના દુઃખદ નિધનના પગલે રાજ્ય સરકારે એક દિવસનો રાજકીય શોક જાહેર કર્યો છે. રાજ્ય સરકાર દ્વારા આ અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

આ જાહેરાત મુજબ, આવતીકાલે, સોમવાર, 16 જૂન 2025 ના રોજ ગુજરાત રાજ્યમાં રાજકીય શોક પાળવામાં આવશે. આ દિવસ દરમિયાન, શોકના પ્રતીક રૂપે, ગુજરાતની તમામ સરકારી કચેરીઓ, જાહેર સંસ્થાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ ખાતે રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે.

 

આ નિર્ણય વિજય રૂપાણીના જાહેર જીવનમાં આપેલા યોગદાન અને રાજ્ય માટેની તેમની સેવાઓને સન્માનિત કરવાના ભાગરૂપે લેવામાં આવ્યો છે. તેમના નિધનથી ગુજરાતના રાજકીય અને સામાજિક વર્તુળોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.

પાર્થિવ દેહની અંતિમ યાત્રા અને દર્શનનો મિનિટ-ટુ-મિનિટ કાર્યક્રમ (16 જૂન, 2025 - સોમવાર):

  • સવારે 11:00 વાગ્યે: ગાંધીનગર નિવાસસ્થાનેથી અમદાવાદની સિવિલ હોસ્પિટલ જવા રવાના થશે.
  • સવારે 11:30 વાગ્યે: અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે પાર્થિવ દેહનો સ્વીકાર કરાશે.
  • સવારે 11:30 થી 12:30 વાગ્યે: સિવિલ હોસ્પિટલ, અમદાવાદથી અમદાવાદ એરપોર્ટ જવા રવાના થશે.
  • બપોરે 12:30 વાગ્યે: અમદાવાદ એરપોર્ટથી હવાઈ માર્ગે રાજકોટ જવા ટેકઓફ કરશે.
  • બપોરે 12:30 થી 2:00 વાગ્યે: હવાઈ માર્ગે અમદાવાદ એરપોર્ટથી રાજકોટ એરપોર્ટ પહોંચશે.
  • બપોરે 2:00 થી 2:30 વાગ્યે: રાજકોટ એરપોર્ટથી ગ્રીનલેન્ડ ચોકડી, રાજકોટ સુધી પહોંચશે.
  • બપોરે 2:30 થી 4:00 વાગ્યે: ગ્રીનલેન્ડ ચોકડીથી રાજકોટ સ્થિત તેમના નિવાસસ્થાને (પૂજિત, 2/5 પ્રકાશ સોસાયટી, નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ સામે, રાજકોટ) જવા માટે ભવ્ય અંતિમ યાત્રા નીકળશે. આ યાત્રા ગ્રીનલેન્ડ ચોકડી, રણછોડદાસ બાપુ આશ્રમ રોડ, બાલક હનુમાન ચોક, કેડી ચોક, સંત કબીર રોડ, સરદાર સ્કૂલ પાસેથી, પૂજિત રૂપાણી ટ્રસ્ટ, ભાવનગર રોડ ઝોન ઓફિસ, પારેવડી ચોક, કેસરીહિંદ પુલ, સિવિલ હોસ્પિટલ ચોક, ચૌધરી હાઈસ્કૂલ, બહુમાળી ભવન, જિલ્લા પંચાયત ચોક, કિશાનપરા ચોક, હનુમાન મઢી ચોક, રૈયા રોડ અને નિર્મલા કોન્વેન્ટ રોડ થઈને તેમના નિવાસસ્થાન પ્રકાશ સોસાયટી પહોંચશે.
  • સાંજે 4:00 થી 5:00 વાગ્યે: તેમના નિવાસસ્થાને પાર્થિવ દેહના અંતિમ દર્શન માટે રાખવામાં આવશે, જ્યાં શોકમગ્ન જનતા અને મહાનુભાવો શ્રદ્ધાંજલિ અર્પણ કરી શકશે.
  • સાંજે 5:00 થી 6:00 વાગ્યે: નિવાસસ્થાનેથી રામનાથપરા સ્મશાન સુધી અંતિમ યાત્રા નીકળશે. આ યાત્રા પ્રકાશ સોસાયટી, નિર્મલા કોન્વેન્ટ રોડ, કોટેચા ચોક (કાલાવડ રોડ), મહિલા કોલેજ ચોક, એસ્ટ્રોન ચોક, સરદારનગર મેઈન રોડ, યાજ્ઞિક રોડ, માલવિયા ચોક, ત્રિકોણબાગ ચોક, કોર્પોરેશન ચોક, બાલાજી મંદિર ચોક, રાજશ્રી ટોકીઝ રોડ, સ્વામિનારાયણ મંદિર (ભુપેન્દ્ર રોડ) થઈને રામનાથપરા સ્મશાન પહોંચશે.
  • સાંજે 6:00 વાગ્યે: રામનાથપરા સ્મશાન ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

પ્રાર્થના સભાઓનું આયોજન:

પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ આપવા માટે ત્રણ અલગ-અલગ સ્થળોએ પ્રાર્થના સભાઓનું આયોજન કરવામાં આવ્યું છે:

રાજકોટમાં પ્રાર્થના સભા

    • તારીખ: 17 જૂન, 2025, મંગળવાર
    • સમય: સાંજે 3:00 થી 6:00 વાગ્યે
    • સ્થળ: રેસકોર્સ મેદાન, રાજકોટ

ગાંધીનગરમાં પ્રથમ પ્રાર્થના સભા

      • તારીખ: 19 જૂન, 2025, ગુરુવાર
      • સમય: સવારે 9:00 થી 12:00 વાગ્યે
      • સ્થળ: હોલ નં. 1, એક્ઝિબિશન સેન્ટર, હેલીપેડ ગ્રાઉન્ડ, સેક્ટર-17, ગાંધીનગર

ભાજપ, ગુજરાત પ્રદેશ દ્વારા પ્રાર્થના સભા

    • તારીખ: 20 જૂન, 2025, શુક્રવાર
    • સમય: સાંજે 4:00 થી 6:00 વાગ્યે
    • સ્થળ: કમલમ, કોબા, ગાંધીનગર