તેલંગાણાના નેતાઓ સાથે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની મહત્વપૂર્ણ બેઠક,ચૂંટણીને લઈને રાજનીતિ તૈયાર કરશે

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે સાંજે તેમના દિલ્હી સ્થિત નિવાસસ્થાને તેલંગાણાના પાર્ટી નેતાઓને મળશે. એક સપ્તાહમાં તેલંગાણાના કોંગ્રેસના નેતાઓ સાથે આ તેમની બીજી બેઠક હશે.

New Update

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે સાંજે તેમના દિલ્હી સ્થિત નિવાસસ્થાને તેલંગાણાના પાર્ટી નેતાઓને મળશે. એક સપ્તાહમાં તેલંગાણાના કોંગ્રેસના નેતાઓ સાથે આ તેમની બીજી બેઠક હશે.જેમાં રાજ્યની રાજકીય પરિસ્થિતિ ઉપરાંત આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી, ડાંગર ખરીદી અને અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.

આ બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે રાજ્યના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ (KCR) 2024ની લોકસભા ચૂંટણીમાં કેન્દ્રીય સ્તરે બિન-ભાજપ, બિન-કોંગ્રેસી ગઠબંધન બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. 2018ની તેલંગાણા વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે તેલુગુ દેશમ સાથે ગઠબંધન કર્યું હતું. જો કે, આ જોડાણ તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (TRS)ના વડા કેસીઆરને ફરી સત્તામાં આવતા રોકી શક્યું નથી. આંધ્રપ્રદેશમાંથી તેલંગાણા બનાવવામાં આવ્યું હતું. તેલંગાણા વિધાનસભાની પ્રથમ ચૂંટણી 2014માં યોજાઈ હતી. TRSએ બહુમતી સાથે પ્રથમ સરકાર બનાવી. ત્યારથી તેઓ સત્તામાં છે અને કેસીઆર બીજી વખત સીએમ બન્યા છે.

ડિસેમ્બર 2018માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં TRS ફરી સત્તામાં આવી. હાલમાં 119 સભ્યોની વિધાનસભામાં TRS પાસે 103, ઓવૈસીની પાર્ટી AIMIM 7, કોંગ્રેસ 6, BJP 3 અને અન્ય 16 પાર્ટીઓ પાસે ધારાસભ્યો છે. આગામી ચૂંટણી ડિસેમ્બર 2023માં યોજાશે.

Read the Next Article

મહારાષ્ટ્રના પૂણેમાં પુલ ધરાશાયી થતાં આશરે 30 લોકો નદીમાં તણાયા હોવાની સંભાવના, બે મૃતદેહ મળ્યા

અનરાધાર વરસાદના કારણે પૂણેની ઈન્દ્રાયણી નદી પર આવેલો પુલ તૂટી પડ્યો છે. આ દુર્ઘટનામાં 25થી 30 લોકો તણાયા હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી

author-image
By Connect Gujarat Desk
New Update
Pune Bridge collapses

મહારાષ્ટ્રમાં અનરાધાર વરસાદના કારણે પૂણેની Indrayani River પર આવેલો પુલ તૂટી પડ્યો છે. આ દુર્ઘટનામાં 25થી 30 લોકો તણાયા હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

પૂણે ગ્રામીણ વિસ્તાર કુંદમાલામાં ભારે વરસાદના કારણે ઈન્દ્રાયણી નદી પર બનેલો પુલ ધરાશાયી થયો હતો. જેમાં 25થી 30 પ્રવાસીઓ તણાયા હોવાની માહિતી મળી છે. તમામ પુલ પર ઉપસ્થિત હતા. આ ઘટના પૂણેના માવલ તાલુકાની છે. અહીંનું કુંદમાલા તેના કુદરતી સૌંદર્યના કારણે પ્રચલિત પ્રવાસન સ્થળ છે.

પોલીસફાયર બ્રિગેડએનડીઆરએફ અને સ્થાનિકોએ બચાવ કામગીરી હાથ ધરી છે. જેમાં પાંચથી છ લોકોને બચાવી લેવામાં આવ્યા હોવાના અહેવાલો મળ્યા છે. માવલ વિસ્તારમાં છેલ્લા બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે. તેમાં આજે રવિવાર હોવાના કારણે પ્રવાસીઓની ભીડ વધુ હતી. ઈન્દ્રાયણી નદીમાં જળસ્તર વધ્યું હોવાથી આસપાસના લોકો દ્રશ્ય નિહાળવા આવ્યા હતા. પરંતુ અચાનક પુલ તૂટી પડતા લોકો તણાયા હતા.

કુંદમાલાના એક કિનારેથી બીજા કિનારે જવા માટે બનેલો પુલ અત્યંત જૂનો હતો. જે જર્જરિત હાલતમાં હોવાથી છેલ્લા બે-ત્રણ મહિનાથી તેના પર વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો. જો કેરવિવાર તેમજ વરસાદના માહોલમાં કુદરતી રમણીય દ્રશ્ય નિહાળવા માટે મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડી હતી. બપોરે અચાનક પુલ તૂટી પડ્યો હતો.

Latest Stories