દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સીસોદીયા આવતીકાલે સુરતની મુલાકાતે

New Update

આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી આવતીકાલે સુરતની મુલાકાતે આવતા હોવાથી રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. સવારે સાત વાગ્યે મનીષ સિસોદીયા સુરત એરપોર્ટ ઉપર પહોંચશે. ત્યારબાદ તેઓ સર્કિટ હાઉસ ખાતે જશે. શહેરના કાઉન્સિલરો સાથે બેઠક કરશે અને સુરતની જીવનભારતી શાળા ખાતે સામાજિક અગ્રણીઓ અને ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો સાથે મુલાકાત કરશે. ત્યારબાદ સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ સંબોધશે. દરમિયાન આવતીકાલે કેટલાક સામાજિક અગ્રણી અને ઉદ્યોગકારો આપમાં જોડાવાની શક્યતા સેવવામાં આવી રહી છે.

Advertisment

મનીષ સિસોદીયાના આગમન પહેલા આમ આદમી પાર્ટીના સોશિયલ મીડિયાના માધ્યમથી શહેરના રાજકારણમાં ઉથલપાથલ થવાનો માહોલ બનાવી દીધો છે. સુરત શહેરના પાટીદાર સમાજ પૈકી કોણ જોડાય છે તેના પર સૌ કોઈની નજર છે. ભાજપ પણ તમામ ગતિવિધિઓ પર નજર રાખી રહી છે. ખાસ કરીને સોશિયલ મીડિયા ઉપર જે પોસ્ટ થઈ રહી છે તેનો પણ અભ્યાસ કરી રહી છે.

Advertisment
Latest Stories