તમારું વાહન 15 વર્ષ જૂનું છે તો ભંગારમાં આપવું પડશે, વાંચો કેન્દ્રિય પ્રધાન નિતિન ગડકરી શું કરશે જાહેરાત

New Update

ભારત સરકારની સ્ક્રેપ વ્હીકલ પોલિસીને લઈને ગુજરાતમાં 13મી ઓગસ્ટે કેન્દ્રીય પરિવહનમંત્રી નીતિન ગડકરીનો એક કાર્યક્રમ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આયોજિત કરવામાં આવ્યો છે, જેમાં ગુજરાતના સવા કરોડથી વધુ 15 વર્ષ જૂનાં વાહનોનો સ્ક્રેપ ભંગારવાડે લઈ જઈને નિકાલ કરવાની ટેકનોલોજી સંદર્ભે રોડમેપ જાહેર કરવામાં આવશે. એમાં સાણંદ, વિરમગામ, માંડલ, બેચરાજી અને સાવલી જેવા ઓટોમોબાઇલ સેઝમાં જ આ સ્કેપ વ્હીકલ યાર્ડ બનશે. કેન્દ્ર સરકાર દ્વારા ગત માર્ચ મહિનામાં સ્ક્રેપ વ્હીકલ પોલિસીની જાહેરાત કરી હતી.

Advertisment

આ પોલિસીના આધારે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી જાહેરાત કરશે, જેમાં ગુજરાતમાં સવા કરોડથી વધારે વાહનોને ભંગારવાડે લઈ જવાનો રોડ મેપ જાહેર કરવામાં આવશે. રિયુઝ, રિડયુઝ અને રિસાઈકલ ત્રણ 'R' પર આધારિત આ પોલિસીનો રોડમેપ જાહેરાત કરવામાં આવશે. સ્ક્રેપ યાર્ડ મોટે ભાગે ઓટોમોબાઇલ હબની આસપાસ બનાવવામાં આવશે. ટેકનોલોજીના ઉપયોગથી વાહનો તોડવા તેમજ વાહનોના પાર્ટસનો પુન:ઉપયોગ કરવાને લઈને ભાર આપવામાં આવ્યો છે.

જૂનાં વાહનોને કારણે રાજ્યમાં સતત પ્રદૂષણમાં વધારો થઈ રહ્યો છે. આ પ્રદૂષણની માત્રાને નિયંત્રિત કરવા માટે થઈને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્રારા વારંવાર ભારત સરકાર અને રાજ્ય સરકારને ટકોર કરવામાં આવી છે, જેમાં 15 વર્ષ જૂનાં વાહનો પર પ્રતિબધં મૂકવો એવો પણ ભાર મૂકવામાં આવ્યો છે. ગત બજેટ સત્ર દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કે 15 વર્ષ જૂનાં વાહનો છે. એ વાહનો ભંગારવાડે લઈ જઈને સ્ક્રેપ કરવાં પડશે.

Advertisment