પંજાબમાં આમ આદમી પાર્ટીને પ્રચંડ બહુમતી મળી છે. પંજાબમાં AAPના મુખ્ય પ્રધાન ચહેરા ભગવંત માન પ્રચંડ જીત બાદ શુક્રવારે અરવિંદ કેજરીવાલને મળવા પહોંચ્યા હતા. આ દરમિયાન ભગવંત માને કેજરીવાલના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા હતા. પંજાબની 117 સીટોની વિધાનસભા ચૂંટણીના પરિણામો ગુરુવારે જાહેર કરવામાં આવ્યા હતા. પંજાબમાં AAPને 92, કોંગ્રેસને 18, અકાલી દળને 3, BJPને 2 સીટો મળી છે.
AAPએ પંજાબમાં ભગવંત માનના ચહેરા પર વિધાનસભા ચૂંટણી લડી હતી. પાર્ટીએ જંગી જીત મેળવી છે. પંજાબમાં આજે ધારાસભ્ય દળની બેઠક યોજાવાની છે. આ બેઠકમાં ભગવંત માનને નેતા તરીકે પસંદ કરવામાં આવનાર છે. આવી સ્થિતિમાં અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાને મળવા દિલ્હી પહોંચ્યા હતા.