દેશમાં ખાંડનું ઉત્પાદન 14 ટકા વધ્યું, રેકોર્ડ 360 લાખ ટન ઉત્પાદન

માર્કેટિંગ વર્ષ 2021-22 ના અંત સુધીમાં વધી રેકોર્ડ 35.5 મિલિયન ટન નોંધાવાનો આશાવાદ એનએફસીએસએફએ વ્યક્ત કર્યો છે.

New Update

દેશમાં આ વર્ષે ખાંડના ઉત્પાદનો એપ્રિલમાં 14 ટકા વધી રેકોર્ડ 34.2 મિલિયન ટન નોંધાયા છે. જે માર્કેટિંગ વર્ષ 2021-22 ના અંત સુધીમાં વધી રેકોર્ડ 35.5 મિલિયન ટન નોંધાવાનો આશાવાદ એનએફસીએસએફએ વ્યક્ત કર્યો છે. માર્કેટિંગ વર્ષ 2020-21માં 31.1 મિલિયન ટન, 2019-20માં 25.9 મિલિયન ટન, 2018-19 32.2 મિલિયન ટન, 2017-18માં 31.2 મિલિયન ટન ખાંડ ઉત્પાદિત થઈ હતી.ખાંડનું માર્કેટિંગ વર્ષ ઓક્ટોબર થી સપ્ટેમ્બર છે. નેશનલ ફેડરેશન ઓફ કોઓપરેટિવ સુગર ફેક્ટરીના આંકડાઓ અનુસાર, ખાંડ નું ચોખ્ખું ઉત્પાદન એપ્રિલ, 2022માં 34.2 મિલિયન ટન નોંધાયું છે. જે ગત વર્ષે 30 મિલિયન ટન સામે 14 ટકા વધ્યું છે.520 ખાંડની મિલો માંથી 219 મિલોમાં ક્રશિંગ થઈ રહ્યું છે. જ્યારે ગત વર્ષે સમાન ગાળામાં માત્ર 106 મિલોમાં ક્રશિંગ થયુ હતું.એથેનોલ માટે 3.5 મિલિયન ટન ખાંડનો ઉપયોગ બાદ કરતાં ખાંડનું ચોખ્ખું ઉત્પાદન 45.5 મિલિયન ટનની વધવાનો આશાવાદ છે.

મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, હરિયાણા, ગુજરાતમાં મેના અંત સુધી ક્રશિંગ પ્રક્રિયા ચાલુ રહેશે. જે ભારતીય ખાંડ ક્ષેત્રે નવો ઇતિહાસ રચશે. બ્રાઝિલ બાદ ભારત ખાંડનો બીજો સૌથી મોટો ઉત્પાદક છે. જેમાં દેશનું 85 ટકા ઉત્પાદન મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને કર્ણાટકમાં થાય છે. ત્રણેય રાજ્યોમાં મળી 30 એપ્રિલ સુધી કુલ 29.1 મિલિયન ટન ) ખાંડ ઉત્પાદિત થઈ છે. જ્યારે અન્ય રાજ્યોમાંથી ગતવર્ષે 4.6 મિલિયન ટન સામે 5.1 મિલિયન ટન ખાંડ ઉત્પાદિત થઈ છે.અત્યાર સુધીનું સૌથી વધુ ખાંડનું ઉત્પાદન હોવા છતાં, સ્થાનિક બજારમાં ખાંડની એક્સ-મિલ જરૂરિયાત પૂરી થઈ નથી.S ગ્રેડની ખાંડનો ભાવ ક્વિન્ટલ દીઠ રૂ.3,300 છે, જ્યારે M ગ્રેડ માટે રૂ.3,550 પ્રતિ ક્વિન્ટલ છે. જેની પાછળનું મુખ્ય કારણ ખાંડની નિકાસ વધવાનો છે.9.5 મિલિયન ટન નિકાસ થવાના આશાવાદ સાથે દેશની ખાંડની મિલો રૂ.30 હજાર કરોડની આવક ઉપાર્જિત કરશે. આ વર્ષે 8.5 મિલિયન ટન ખાંડની નિકાસ ઓર્ડર મળ્યા હતા. જેમાંથી 6.5 મિલિયન ટન નિકાસ થઈ ચૂકી છે.

Read the Next Article

'આધાર, રેશનકાર્ડ, મતદાર ઓળખપત્રને પુરાવા તરીકે ગણો', બિહારમાં મતદાર યાદી સુધારણા અંગે સુપ્રીમ કોર્ટનું સૂચન

સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને એવું પણ સૂચન કર્યું છે કે તેણે આ પ્રક્રિયામાં આધાર કાર્ડ, રેશનકાર્ડ અને મતદાર ઓળખપત્રને પણ પુરાવા તરીકે ગણવા જોઈએ.

New Update
Supreme Court

સુપ્રીમ કોર્ટે બિહારમાં મતદાર યાદી સુધારણાને મંજૂરી આપવાનો ઇનકાર કર્યો છે. એટલે કે, બિહારમાં મતદાર યાદી સુધારણાનું કાર્ય હાલ પૂરતું ચાલુ રહેશે. આ સાથે, સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને એવું પણ સૂચન કર્યું છે કે તેણે આ પ્રક્રિયામાં આધાર કાર્ડ, રેશનકાર્ડ અને મતદાર ઓળખપત્રને પણ પુરાવા તરીકે ગણવા જોઈએ. ન્યાયાધીશ સુધાંશુ ધુલિયા અને ન્યાયાધીશ જોયમલ્યા બાગચીની બેન્ચે આ મામલાની સુનાવણી કરી. હવે આગામી સુનાવણી 28 જુલાઈએ થશે.

સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું, "અમે પ્રથમ દ્રષ્ટિએ માનીએ છીએ કે મતદાર યાદીઓના ખાસ સઘન સુધારણા દરમિયાન આધાર, મતદાર ઓળખપત્ર, રેશનકાર્ડને દસ્તાવેજો તરીકે ગણી શકાય." સુપ્રીમ કોર્ટે કહ્યું કે 10 વિપક્ષી પક્ષોના નેતાઓ સહિત કોઈપણ અરજદારે ચૂંટણી પંચની આ પ્રક્રિયા પર વચગાળાનો સ્ટે મૂકવાની માંગ કરી નથી. તેણે સંબંધિત અરજીઓ પર જવાબ માંગ્યો અને સુનાવણીની આગામી તારીખ 28 જુલાઈ નક્કી કરી.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે ચૂંટણી પંચે આ અરજીઓ પર 21 જુલાઈ સુધીમાં પ્રતિ-સોગંદનામું દાખલ કરવું જોઈએ અને 28 જુલાઈ સુધીમાં આના જવાબો દાખલ કરવા જોઈએ. સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું કે તે ચૂંટણી પંચની વિશ્વસનીયતા અને પ્રામાણિકતા પર શંકા કરતું નથી, કારણ કે તે એક બંધારણીય જવાબદારી છે, પરંતુ આ પ્રક્રિયાનો સમય શંકા પેદા કરી રહ્યો છે.

સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ રાકેશ દ્વિવેદીને કહ્યું, "અમને તમારી પ્રામાણિકતા પર શંકા નથી, પરંતુ કેટલીક ધારણાઓ છે. અમે તમને રોકવાનું વિચારી રહ્યા નથી કારણ કે તે એક બંધારણીય જવાબદારી છે." દ્વિવેદીએ કહ્યું કે 60 ટકા મતદારોએ તેમની ઓળખ ચકાસી લીધી છે અને કોર્ટને ખાતરી આપી છે કે કોઈને પણ પોતાનો કેસ રજૂ કરવાની તક આપ્યા વિના મતદાર યાદીમાંથી બાકાત રાખવામાં આવશે નહીં. બેન્ચે કહ્યું, "અમે કોઈપણ બંધારણીય સંસ્થાને જે કરવું જોઈએ તે કરવાથી રોકી શકતા નથી. તે જ સમયે, અમે તેમને જે ન કરવું જોઈએ તે કરવા દઈશું નહીં."

અગાઉ, બેન્ચે બિહારમાં મતદાર યાદીઓના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) ના સમય પર પ્રશ્ન ઉઠાવ્યો હતો અને ચૂંટણી પંચને કહ્યું હતું કે તમારે પહેલા પગલાં લેવા જોઈતા હતા, હવે થોડું મોડું થઈ ગયું છે. જોકે, તેણે આ દલીલને ફગાવી દીધી હતી કે કમિશનને આ કવાયત હાથ ધરવાનો કોઈ અધિકાર નથી. કોર્ટે કહ્યું કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનનો કવાયત એક મહત્વપૂર્ણ મુદ્દો છે, જે લોકશાહીના મૂળ સાથે જોડાયેલો છે અને તે મતદાનના અધિકાર સાથે સંબંધિત છે. ચૂંટણી પંચે આ કવાયતને યોગ્ય ઠેરવી અને કહ્યું કે આધાર કાર્ડ "નાગરિકતાનો પુરાવો" નથી.

જસ્ટિસ સુધાંશુ ધુલિયા અને જસ્ટિસ જોયમલ્યા બાગચીની બેન્ચે બિહારમાં મતદાર યાદી સુધારણામાં દસ્તાવેજોની યાદીમાં આધાર કાર્ડને ધ્યાનમાં ન લેવા પર પ્રશ્ન ઉઠાવ્યો અને કહ્યું કે ચૂંટણી પંચને વ્યક્તિની નાગરિકતા સાથે કોઈ લેવાદેવા નથી અને તે ગૃહ મંત્રાલયના અધિકારક્ષેત્ર હેઠળ આવે છે. બંધારણના કલમ 326 ટાંકીને દ્વિવેદીએ કહ્યું દરેક મતદાર ભારતીય નાગરિક હોવો જોઈએ અને "આધાર કાર્ડ નાગરિકતાનો પુરાવો નથી." ન્યાયાધીશ ધુલિયાએ કહ્યું, "જો તમારે બિહારમાં મતદાર યાદીના ખાસ સઘન સુધારા હેઠળ નાગરિકત્વ તપાસવું હોય, તો તમારે પહેલા પગલાં લેવા જોઈતા હતા, હવે થોડું મોડું થઈ ગયું છે."

દરમિયાન, કોર્ટે અરજદારોના વકીલોની દલીલને ફગાવી દીધી કે ચૂંટણી પંચ પાસે બિહારમાં આવી કવાયત હાથ ધરવાનો કોઈ અધિકારક્ષેત્ર નથી. બેન્ચે કહ્યું કે ચૂંટણી પંચ જે કરી રહ્યું છે તે બંધારણ હેઠળ આવરી લેવામાં આવ્યું છે અને છેલ્લી આવી કવાયત 2003 માં હાથ ધરવામાં આવી હતી. અરજદારોની દલીલોનો ઉલ્લેખ કરતા, બેન્ચે કહ્યું કે ચૂંટણી પંચે ત્રણ પ્રશ્નોના જવાબ આપવા પડશે કારણ કે બિહારમાં SIR ની પ્રક્રિયા "લોકશાહીના મૂળ સાથે જોડાયેલી છે અને તે મતદાનના અધિકાર સાથે સંબંધિત છે."

સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચ પાસેથી ત્રણ મુદ્દાઓ પર જવાબ માંગ્યા - શું તેની પાસે મતદાર યાદીમાં સુધારો કરવાની સત્તા છે, અપનાવવામાં આવેલી પ્રક્રિયા અને આવી સુધારણા ક્યારે કરી શકાય છે. દ્વિવેદીએ કહ્યું કે મતદાર યાદીમાં સમય જતાં સુધારા સાથે નામોનો સમાવેશ કરવો અથવા દૂર કરવો જરૂરી છે અને SIR એક એવી કવાયત છે. તેમણે પૂછ્યું કે શું ચૂંટણી પંચ પાસે સત્તા નથી મતદાર યાદીમાં સુધારો કરવો હોય તો કોણ કરશે? જોકે, ચૂંટણી પંચે ખાતરી આપી હતી કે કોઈને પણ પોતાનો પક્ષ રજૂ કરવાની તક આપ્યા વિના મતદાર યાદીમાંથી બાકાત રાખવામાં આવશે નહીં.

Latest Stories