IPL 2022 : અમ્પાયરે નો-બોલ ન આપતા પંત થયો ગરમ, બેટ્સમેનોને પાછા બોલાવ્યા

રાજસ્થાન રોયલ્સએ શુક્રવારે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં દિલ્હી કેપિટલ્સ (DC) ને 15 રનથી હરાવ્યું.

New Update

રાજસ્થાન રોયલ્સએ શુક્રવારે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં દિલ્હી કેપિટલ્સ (DC) ને 15 રનથી હરાવ્યું. જો કે આ મેચ રાજસ્થાનની જીત કરતાં વધુ હાઈ વોલ્ટેજ ડ્રામા માટે ચર્ચામાં છે. આ આખું ડ્રામા છેલ્લી ઓવરમાં નો-બોલ ન આપવાને લઈને થયું હતું. છેલ્લી ઓવરમાં દિલ્હી કેપિટલ્સે જીતવા માટે 6 બોલમાં 36 રન બનાવવાના હતા. રોવમેન પોવેલે પ્રથમ ત્રણ બોલમાં સતત ત્રણ છગ્ગા ફટકારીને દિલ્હીની આશા જગાવી હતી. ખાસ વાત એ હતી કે બોલર ઓબેદ મેકકોયનો ત્રીજો બોલ ફુલ ટોસ હતો જેને દિલ્હી કેપિટલ્સની ટીમે નો-બોલ આપવાની માંગ કરી હતી. જોકે મેદાન પરના અમ્પાયરે નો-બોલ આપ્યો ન હતો.

દિલ્હી કેપિટલ્સના ખેલાડીઓ વારંવાર નો-બોલ માટે થર્ડ અમ્પાયર પાસે તપાસ કરાવવાની માંગ કરી રહ્યા હતા પરંતુ નિયમો મુજબ મેદાન પરના અમ્પાયર નિર્ણય બદલી શકતા ન હતા. આ પછી કેપ્ટન રિષભ પંતે બંને બેટ્સમેન રોવમેન પોવેલ અને કુલદીપ યાદવને મેદાનની બહાર બોલાવવાનો સંકેત આપ્યો. દિલ્હી કેપિટલ્સના બોલિંગ કોચ શેન વોટસને પણ પંત પાસે જઈને તેને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પંતને જોસ બટલરે ઘણું સમજાવ્યું હતું ત્યારબાદ તે સંમત થયો હતો.

Read the Next Article

ICCએ ભૂતપૂર્વ કેપ્ટન MS Dhoni ને હોલ ઓફ ફેમમાં કર્યા સામેલ

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન MS Dhoni ને હોલ ઓફ ફેમમાં સામેલ કર્યા છે. તેમને આ સન્માન આંતરરાષ્ટ્રીય અને ભારતીય ક્રિકેટમાં

author-image
By Connect Gujarat Desk
New Update
ધોની 3 વર્ષ અગાઉ શરૂ કરી શક્યો હોત પોતાની ક્રિકેટ કારકિર્દી!

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન MS Dhoni ને હોલ ઓફ ફેમમાં સામેલ કર્યા છે. તેમને આ સન્માન આંતરરાષ્ટ્રીય અને ભારતીય ક્રિકેટમાં તેમના અજોડ યોગદાન માટે મળ્યું છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ (WTC Final 2025) ના માત્ર 2 દિવસ પહેલા લંડનમાં એક સમારોહ યોજાયો હતો, જેમાં MS Dhoni સહિત 7 દિગ્ગજ ક્રિકેટરોને હોલ ઓફ ફેમથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

ધોની સિવાય મેથ્યુ હેડન, ગ્રીમ સ્મિથ, ડેનિયલ વેટ્ટોરી અને હાશિમ અમલાને પણ હોલ ઓફ ફેમથી સન્માનિત કરવામાં આવ્યા છે. ધોની આ યાદીમાં સામેલ થનારા 11મો ભારતીય ક્રિકેટર બન્યો છે. ધોનીને આંતરરાષ્ટ્રીય નિવૃત્તિના લગભગ 5 વર્ષ પછી આ સન્માન મળ્યું છે. ધોનીએ 15 ઓગસ્ટ 2020 ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. MS Dhoni ની છેલ્લી મેચ 2019ના વર્લ્ડ કપની સેમિફાઇનલ મેચ હતી.

ધોની 'કેપ્ટન કૂલ' તરીકે જાણીતો હતો, જે સૌથી સફળ ભારતીય કેપ્ટનોમાંના એક પણ હતો. ભારતે તેમની કેપ્ટનશીપ હેઠળ 3 ICC ટ્રોફી જીતી હતી. ધોનીના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાએ 2007 T20 વર્લ્ડ કપ, 2011 વન-ડે વર્લ્ડ કપ અને 2013 ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી.

એમએસ ધોનીએ 2004માં બાંગ્લાદેશ સામેની વન-ડે મેચમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. ત્રણ વર્ષ પછી 2007માં તેને ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ મળી હતી. 2007ના T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમ એક યુવાન ખેલાડીની કેપ્ટનશીપમાં રમી રહી હતી, પરંતુ જ્યારે ભારતે ફાઇનલમાં પાકિસ્તાનને હરાવ્યું, ત્યારે સમગ્ર ભારતે ઉજવણી કરી હતી. એમએસ ધોનીની કેપ્ટનશીપ હેઠળ ભારતે 2010 અને 2016માં એશિયા કપનો ખિતાબ પણ જીત્યો હતો. તેમને 2008 અને 2009માં ICC પ્લેયર ઓફ ધ યરનો એવોર્ડ પણ મળ્યો હતો.

Latest Stories