સુરત: મીઠાઈ વિક્રેતાએ હિન્દુસ્તાનના નકશામાં કાજુ કતરી બનાવી

New Update
સુરત: મીઠાઈ વિક્રેતાએ હિન્દુસ્તાનના નકશામાં કાજુ કતરી બનાવી

સુરતના એક મીઠાઈ વિક્રેતાએ દેશને સમર્પિત હિન્દુસ્તાનના નકશામાં કાજુ કતરી મીઠાઈ તૈયાર કરી છે.જેમાં દેશનો ભાગ સિલ્વર ફોઈલમાં જ્યારે જમ્મુ કાશ્મીરનો ભાગ ગોલ્ડ ફોઈલમાં તૈયાર કરવામાં આવ્યો છે.

સુરત ઘોડદોડ રોડ ખાતે મીઠાઈ વિક્રેતાએ દેશને સમર્પિત હિન્દુસ્તાનના નકશામાં કાજુ કતરી મીઠાઈ તૈયાર કરી છે.3 દિવસની મહેનત બાદ 3 કિલો કાજુની પેસ્ટ અને ખાંડનો વપરાશ કરવામાં આવ્યો છે.કલમ 370 હટાવ્યા બાદ ખુશી વ્યક્ત કરી આ મીઠાઈ બનાવવામાં આવી છે.

Read the Next Article

સુરત : અમરોલીમાં યુવકને ચપ્પુ બતાવી રૂ. 7 લાખની ચલાવનાર 2 લૂંટારુઓ આણંદના તારાપુરથી ઝડપાયા...

સુરત શહેરના અમરોલી વિસ્તારમાં લૂંટની ઘટનાને અંજામ આપનાર લૂંટારુઓને ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યા છે. કલેકશનનું કામ કરતા યુવક શ્રીમાન વસોયાને ચપ્પુ બતાવી 2 લૂંટારુઓએ

New Update

અમરોલી વિસ્તારમાં બની હતી લૂંટની ચકચારી ઘટના

યુવકને ચપ્પુ બતાવીને રૂ. 7 લાખની ચલાવી હતી લૂંટ

લૂંટને અંજામ આપનાર 2 લૂંટારુ પોલીસના હાથે ઝડપાયા

પોલીસે આણંદના તારાપુરથી બન્ને લૂંટારુને ઝડપી પાડ્યા

રૂ. 4.66 લાખ સહિત અન્ય મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો

સુરત શહેરના અમરોલી વિસ્તારમાં લૂંટની ઘટનાને અંજામ આપનાર લૂંટારુઓને ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યા છે. કલેકશનનું કામ કરતા યુવક શ્રીમાન વસોયાને ચપ્પુ બતાવી 2 લૂંટારુઓએ રૂ. 7 લાખની લૂંટ ચલાવી હતી. જોકેલૂંટ ચલાવી ભાગતા લૂંટારુઓ નજીકમાં રહેલાCCTV કેમેરામાં કેદ થયા હતા. સમગ્ર મામલે સુરત પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. જેમાં 2 લૂંટારુ જશપાલ ઝાલા અને વિજય પરમારને પોલીસે આણંદના તારાપુરથી ઝડપી પાડ્યા હતા. આ સાથે જ પોલીસે લૂંટમાં ગયેલા રૂ. 4.66 લાખ સહિત અન્ય મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કેઆણંદથી લૂંટ કરવા આવેલા બંને લૂંટારુઓએ પહેલા વિસ્તારની રેકી કરી હતીઅને ત્યાર બાદ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.