વડોદરા: કમલાનગર તળાવ પાસે બે હજારની રૂ.૫.૩૦ લાખની નોટો મળી,ITની રેડમાં નોટ ન પકડાય એ માટે ફેંકી દીધી હોવાની આશંકા

કમલાનગર તળાવમાં બે હજારની રૃા.૫ લાખથી વધારે કિમતની ચલણી નોટો વડાપ્રધાનની મુલાકાતના એક દિવસ પહેલાં બિનવારસી મળતાં પોલીસે તેને કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

New Update

વડોદરાના પૂર્વ વિસ્તારમાં આજવારોડ ખાતે કમલાનગર તળાવમાં બે હજારની રૃા.૫ લાખથી વધારે કિમતની ચલણી નોટો વડાપ્રધાનની મુલાકાતના એક દિવસ પહેલાં બિનવારસી મળતાં પોલીસે તેને કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.આ અંગેની વિગત એવી છે કે શનિવારે વડાપ્રધાનની મુલાકાતના આગલા દિવસે સફાઇ કર્મચારીઓ દ્વારા કમલાનગર તળાવ પાસે સફાઇ કામગીરી ચાલતી હતી ત્યારે એક કોથળીમાં બે હજારની ચલણી નોટોનો જથ્થો સફાઇ કર્મચારીને મળ્યો હતો. આ અંગે સફાઇ કર્મચારીએ રેલવે પોલીસ કર્મચારીને જાણ કરતા રેલવે પોલીસ કર્મચારીએ શહેર પોલીસ કંટ્રોલરૃમને માહિતી આપી હતી. બાદમાં બાપોદ પોલીસને સંદેશો આપતા સ્થાનિક પોલીસ ત્યાં પહોંચી ગઇ હતી.પોલીસે બે હજારની ચલણી નોટો કબજે કરી તેની તપાસ કરાવતા તે સાચી હોવાનું જણાયું હતું. તેમજ રૃા.૫.૩૦ લાખ કિમતની ચલણી નોટો હોવાનું બહાર આવ્યું હતું. કમલાનગર તળાવ પાસે બે હજારની ચલણી નોટો કોણ બિનવારસી નાંખી ગયું તે અંગે પોલીસ દ્વારા તપાસ શરૃ કરવામાં આવી છે. ઇન્કમટેક્સની રેડ પડે અને ચલણી નોટો ના પકડાઇ જાય તેવા ડરથી આ નોટોનો બારોબાર નિકાલ કર્યો હોવાનું પોલીસ માની રહી છે.

Read the Next Article

વડોદરા : ઘર આંગણે જ બે વર્ષીય માસુમ બાળકીનું કાર નીચે કચડાઇ જતા કરૂણ મોત,અકસ્માત સર્જી ચાલક ફરાર

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.

New Update
  • મોરલીપુરામાં અકસ્માતનો બનાવ

  • ઘર આંગણે રમતી બાળા બની અકસ્માતનો ભોગ

  • બે વર્ષીય માસુમ બાળકીને બ્રેઝા કારે લીધી અડફેટમાં

  • કાર નીચે કચડાઈને માસૂમનું નીપજ્યું મોત

  • અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર

  • જરોદ પોલીસે શરૂ કરી તપાસ 

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.બનાવને પગલે કાર ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.ઘટના અંગે જરોદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી.

સુરતના કોસંબાની ગ્લાસ કંપનીમાં નોકરી કરતા અને વડોદરાના વાઘોડિયા તાલુકાના મોરલીપુરા ગામના પરમાર ફળિયા ખાતે રહેતા પિયુષ પરમારને સંતાનમાં બે દીકરીઓ છે.જે પૈકી નાની દીકરી બે વર્ષીય યુક્તિ શનિવારે સાંજના સુમારે પોતાના ઘર બહાર રમી રહી હતી.આ દરમિયાન અચાનક એક બ્રેઝા કારના ચાલકે આ બાળકીને અડફેટે લેતા બાળકીનું કારના ટાયર નીચે કચડાઈ જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.જેથી રોષે ભરાયેલા પરિવારજનોએ કારના કાચની તોડફોડ કરી હતી.જ્યારે કાર ચાલક ગામનો જ રહેવાસી ગણપત પરમાર અકસ્માત સર્જી ઘટના ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

સમગ્ર બનાવને પગલે પોલીસને જાણ કરાતા જરોદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતીઅને બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી. બાળકીના પરિવારજનો દ્વારા જરોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે પોલીસે પરિવારજનોની ફરિયાદના આધારે કાર ચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.

Latest Stories