ભરૂચ ખાતે સંવેદનશીલ સાક્ષી જુબાની કેન્દ્રનું કરાયું લોકાર્પણ

New Update
ભરૂચ ખાતે સંવેદનશીલ સાક્ષી જુબાની કેન્દ્રનું કરાયું લોકાર્પણ

ભરૂચ ખાતે રાજ્યના બીજા સંવેદનશીલ સાક્ષી જુબાની કેન્દ્રનું હાઈકોર્ટના કાર્યકારી મૂખ્ય ન્યાયમૂર્તિ અનંત દવેના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

Advertisment

જાતિય ગુનાઓ સહિતના વિવિધ ગુનાઓમાં ભોગ બનનારા અને બાળ સાક્ષી તથા વિવિધ જઘન્ય ગુનાઓમાં ભોગ બનનાર વિશિષ્ટ વર્ગ ક્રે જેઓને કેસના બચાવપક્ષ તરફ્થી થતા અનુચિત પ્રભાવ કે દબાણ સામે રક્ષણ આપવાની જરૂર છે તેઓ માટે સંવેદનશીલ સાક્ષી જુબાની કેન્દ્ર કાર્યરત કરાશે. સંવેદનશીલ સાક્ષી જુબાની કેન્દ્ર હેઠળ બાળ સાક્ષી કે ભોગ બનનાર માટે કોર્ટ રૂમમાં પ્રવેશ માટેની એક વિશિષ્ટ વ્યવસ્થા કરવામાં આવેલ છે કે જેથી આરોપી પક્ષ તરફ્થી મળતા દબાણ અથવા પ્રભાવથી બચાવી શકાય.સાથી જુબાની કક્ષ ઉપર નજર રાખવા માટે એક નાનું ડીસ્પ્લે યુનિટ પણ ત્યાં રખાયું છે.

એકટીંગ ચિફ જસ્ટીશ ઓફ ગુજરાત અનંત દવે, ન્યાયમુર્તિ આર.એમ.છાયા,ન્યાયમુર્તિ સોનિયા ગોકાણી,ન્યાયમુર્તિ એન.વી.અંજારીયાના હસ્તે સંવેદનશીલ સાક્ષી જુબાની કેન્દ્ર ખુલ્લું મુકાયું હતું. ઉદ્દ્ધાટન પ્રસંગે ભરૂચ જિલ્લાના મુખ્ય ન્યાયાધીશ ઉત્કર્ષ દેસાઇ, એડી.જિલ્લા ન્યાયાધિશ અને સ્પેશ્યલ પ્લોસ્કો જજ સમીર વ્યાસ સહિતના મહેમાનો હાજર રહયાં હતાં.

Advertisment
Read the Next Article

સંઘપ્રદેશ દમણમાં થયેલી રૂ. 1.33 કરોડની ચોરીનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો, દાહોદથી 3 તસ્કરોની ધરપકડ

તસ્કરોએ રાત્રે 2 વાગ્યા બાદ ઘરમાં પ્રવેશ કરી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. તસ્કરોએ સોનું અને 8 હજાર UK પાઉન્ડની રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા

New Update
  • સંઘપ્રદેશ દમણ ક્રાઇમ બ્રાન્ચ પોલીસને મળી સફળતા

  • 20 દિવસમાં જ રૂ. 1.33 કરોડની ચોરીનો ભેદ ઉકેલ્યો

  • દાહોદ ખાતેથી 3 આંતરરાજ્ય તસ્કરોની ધરપકડ કરી

  • સોનું અને 8 હજાર UK પાઉન્ડ રોકડની થઈ હતી ચોરી

  • પોલીસે 18 લાખ રૂપિયાનું 26 તોલા સોનું રિકવર કર્યું 

Advertisment

સંઘપ્રદેશ દમણ પોલીસે માત્ર 20 દિવસમાં જ મોટી દમણમાં થયેલી રૂ. 1.33 કરોડની ચોરીનો ભેદ ઉકેલી કાઢી 3 આંતરરાજ્ય તસ્કરોની ધરપકડ કરી રૂ. 18.17 લાખની કિંમતનું 261.530 ગ્રામ સોનું જપ્ત કર્યું છે.

ગત તા. 28 ફેબ્રુઆરી-2025ના રોજ સંઘપ્રદેશ દમણના મોટી દમણ વિસ્તારમાં આવેલ મંદિર શેરી વિસ્તારમાં રહેતા ઇશ્વરભાઈ ટંડેલના ઘરમાંથી ચોરી થઈ હતી. ટંડેલ પરિવાર લંડનથી ભારત આવ્યો હતોત્યારે તસ્કરોએ રાત્રે 2 વાગ્યા બાદ ઘરમાં પ્રવેશ કરી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. તસ્કરોએ સોનું અને 8 હજાર UK પાઉન્ડની રોકડ રકમની ચોરી કરી હતી. આ સાથે જ શ્રી રણછોડરાયજી મંદિરની દાનપેટીમાં રહેલ 20થી 25 હજારની રોકડ પર હાથફેરો કર્યો હતો. સમગ્ર મામલે દમણ ક્રાઇમ બ્રાન્ચના PSI ભરત પરમારના નેતૃત્વમાં તપાસ શરૂ કરવામાં આવી હતી.

જેમાં ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે દાહોદથી 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ચોરીને અંજામ આપનાર મુખ્ય આરોપી ભરત મોતીલાલ પંચાલ જે 50થી વધુ ગુનાઓમાં સંડોવાયેલો છે. તે ગુજસીટોક હેઠળ સજા પણ ભોગવી ચૂક્યો છેજ્યારે અન્ય 2 આરોપીઓમાં જિજ્ઞેશ રાજુભાઈ પંચાલ અને પંકજકુમાર ઉર્ફે પુનીત ભરતભાઈ સોનીનો સમાવેશ થાય છે.

પોલીસે આરોપીઓ પાસેથી 18 લાખ રૂપિયાનું 26 તોલા સોનું પણ રિકવર કર્યું છે. હાલ સમગ્ર મામલામાં વધુ લોકો સામેલ હોય તેવું પોલીસ જણાવી રહી છેત્યારે આગામી તપાસમાં વધુ લોકોને પોલીસ દ્વારા પકડવાની હિલચાલ શરૂ કરવામાં આવી છે. દમણ પોલીસની ઝડપી કાર્યવાહીથી સ્થાનિક લોકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધ્યો છે.

Advertisment