ભુજ : હમીરસર તળાવમાં ઝંપલાવી દંપતિનો સામુહિક આપઘાત

New Update
ભુજ : હમીરસર તળાવમાં ઝંપલાવી દંપતિનો સામુહિક આપઘાત

ભુજના સુરસાગર એપાર્ટમેન્ટમાં રહેતાં બ્રહમક્ષત્રિય દંપતિએ હમીરસર તળાવમાં ઝંપલાવીને મોતને વ્હાલું કર્યું હતું. દંપતિએ કયાં કારણોસર અંતિમ પગલું ભર્યું તે હજી સુધી બહાર આવી શકયું નથી.

Advertisment

ભુજના હમીરસર તળાવમાં એક યુગલે સજોડે ઝંપલાવીને આપઘાત કર્યો હોવાનો બનાવ સામે આવતા અરેરાટી ફેલાઈ છે. બનાવ અંગે આજે જાણ થતાં 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સર્વિસ અને ભુજ ફાયરબ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચીને રેસ્ક્યુ કરી બંનેના મૃતદેહને બહાર કાઢયાં હતાં. મૃતક શ્યામભાઈ બ્રહ્મક્ષત્રિય અને કલ્પનાબેન બ્રહ્મક્ષત્રિય હોવાનું બહાર આવ્યું છે.દંપતિ ભુજની જૂની શાક માર્કેટ નજીક સૂરસાગર એપાર્ટમેન્ટમાં રહેતા હતા. આ યુગલે તળાવમાં ઝંપલાવીને અંતિમ પગલું કેમ ભર્યું તે સ્પષ્ટ થઈ શક્યું નથી.બનાવ સંદર્ભમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Advertisment
Read the Next Article

સંઘપ્રદેશ દમણમાં થયેલી રૂ. 1.33 કરોડની ચોરીનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો, દાહોદથી 3 તસ્કરોની ધરપકડ

તસ્કરોએ રાત્રે 2 વાગ્યા બાદ ઘરમાં પ્રવેશ કરી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. તસ્કરોએ સોનું અને 8 હજાર UK પાઉન્ડની રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા

New Update
  • સંઘપ્રદેશ દમણ ક્રાઇમ બ્રાન્ચ પોલીસને મળી સફળતા

  • 20 દિવસમાં જ રૂ. 1.33 કરોડની ચોરીનો ભેદ ઉકેલ્યો

  • દાહોદ ખાતેથી 3 આંતરરાજ્ય તસ્કરોની ધરપકડ કરી

  • સોનું અને 8 હજાર UK પાઉન્ડ રોકડની થઈ હતી ચોરી

  • પોલીસે 18 લાખ રૂપિયાનું 26 તોલા સોનું રિકવર કર્યું 

Advertisment

સંઘપ્રદેશ દમણ પોલીસે માત્ર 20 દિવસમાં જ મોટી દમણમાં થયેલી રૂ. 1.33 કરોડની ચોરીનો ભેદ ઉકેલી કાઢી 3 આંતરરાજ્ય તસ્કરોની ધરપકડ કરી રૂ. 18.17 લાખની કિંમતનું 261.530 ગ્રામ સોનું જપ્ત કર્યું છે.

ગત તા. 28 ફેબ્રુઆરી-2025ના રોજ સંઘપ્રદેશ દમણના મોટી દમણ વિસ્તારમાં આવેલ મંદિર શેરી વિસ્તારમાં રહેતા ઇશ્વરભાઈ ટંડેલના ઘરમાંથી ચોરી થઈ હતી. ટંડેલ પરિવાર લંડનથી ભારત આવ્યો હતોત્યારે તસ્કરોએ રાત્રે 2 વાગ્યા બાદ ઘરમાં પ્રવેશ કરી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. તસ્કરોએ સોનું અને 8 હજાર UK પાઉન્ડની રોકડ રકમની ચોરી કરી હતી. આ સાથે જ શ્રી રણછોડરાયજી મંદિરની દાનપેટીમાં રહેલ 20થી 25 હજારની રોકડ પર હાથફેરો કર્યો હતો. સમગ્ર મામલે દમણ ક્રાઇમ બ્રાન્ચના PSI ભરત પરમારના નેતૃત્વમાં તપાસ શરૂ કરવામાં આવી હતી.

જેમાં ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે દાહોદથી 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ચોરીને અંજામ આપનાર મુખ્ય આરોપી ભરત મોતીલાલ પંચાલ જે 50થી વધુ ગુનાઓમાં સંડોવાયેલો છે. તે ગુજસીટોક હેઠળ સજા પણ ભોગવી ચૂક્યો છેજ્યારે અન્ય 2 આરોપીઓમાં જિજ્ઞેશ રાજુભાઈ પંચાલ અને પંકજકુમાર ઉર્ફે પુનીત ભરતભાઈ સોનીનો સમાવેશ થાય છે.

પોલીસે આરોપીઓ પાસેથી 18 લાખ રૂપિયાનું 26 તોલા સોનું પણ રિકવર કર્યું છે. હાલ સમગ્ર મામલામાં વધુ લોકો સામેલ હોય તેવું પોલીસ જણાવી રહી છેત્યારે આગામી તપાસમાં વધુ લોકોને પોલીસ દ્વારા પકડવાની હિલચાલ શરૂ કરવામાં આવી છે. દમણ પોલીસની ઝડપી કાર્યવાહીથી સ્થાનિક લોકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધ્યો છે.

Advertisment