અદાણી ફાઉન્ડેશન દ્વારા લખીગામ ખાતે કોમ્યુનીટી હોલનું કરાયું લોકાર્પણ

New Update
અદાણી ફાઉન્ડેશન દ્વારા લખીગામ ખાતે કોમ્યુનીટી હોલનું કરાયું લોકાર્પણ

નવીનગરી-લખીગામ ખાતે પાણીની ટાંકીનું પણ લોકાર્પણ કરાયુ અને લખીગામ પ્રાથમિક શાળામાં ધો. ૧ માં પ્રવેશ મેળવનાર બાળકોને પ્રોત્સાહિત કરાયા

અદાણી ફાઉન્ડેશન, દહેજ દ્વારા લખીગામ ખાતે કોમ્યુનીટી હોલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ વિશાળ કોમ્યુનીટી હોલ બનવાથી ગામના લોકોને તેમના સામાજીક પ્રસંગો સારી રીતે સંપન્ન કરવામાં સરળતા રહેશે. આ ઉપરાંત ગ્રામજનોની જાહેર સભા કે કોઇ જાહેર કાર્યક્રમો માટે પણ આ કોમ્યુનીટી હોલ અત્યંત ઉપયોગી નીવડશે તેવી આશા સેવવામાં આવી છે. આ ઉપરાંત લખીગામના જ ભાગ એવા આદીવાસી વસ્તીવાળી નવીનગરીના લોકોને પીવાના તેમજ વાપરવાના પાણી ને સંગ્રહ કરી શકાય તે માટે ઓવરહેડ વોટર ટાંકી પણ અદાણી ફાઉન્ડેશન દહેજ દ્વારા લોકોને ઉપયોગ માટે લોકાર્પણ કરવામાં આવ્યુ હતું.publive-imageઆ ઉપરાંત અદાણી ફાઉન્ડેશન દ્વારા લખીગામ પ્રાથમિક શાળામાં ધો. ૧ માં પ્રવેશ મેળવનાર બાળકોને સ્કુલબેગ તેમજ નોટબુક-સ્ટેશનરીનું વિતરણ મહાનુભાવોના હસ્તે કરી પ્રોત્સાહિત કરાયા હતા. આ પ્રસંગે ગામના પ્રથમ નાગરીક સતિશભાઇ ગોહીલ, ઉપસરપંસ તેમજ તલાટી-ક્મ-મંત્રી અને ગ્રામ પંચાયતના અન્ય સભ્યો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. અદાણી ફાઉન્ડેશન વતી અદાણી દહેજ પોર્ટના વડા બી.જી.ગાંધી તથા અદાણી ફાઉન્ડેશનની ટીમ ઉપસ્થિત રહી હતી.

અદાણી ફાઉન્ડેશન – દહેજ દ્વારા દહેજ ઔદ્યોગિક વિસ્તારના લખીગામ, દહેજ, લુવારા, સુવા, જાગેશ્વર, અંભેઠા વિગેરે ગામડાઓમાં શિક્ષણ, આરોગ્ય, સાતત્યપુર્ણ આજીવિકા વિકાસ તેમજ ગ્રામ્ય માળખાકીય સુવિધાઓના નિર્માણના કાર્યો ઉધ્યોગની એક સામાજીક ઉત્તરદાયિત્વ નિભાવવાની કામગીરીના ભાગરૂપે કરવામાં આવી હતી.

Read the Next Article

અંકલેશ્વર: ONGCમાં નોકરીના બહાને રૂ.1.84 કરોડની છેતરપીંડીમાં ફરિયાદી જ આરોપી નિકળ્યો, પોલીસે કરી ધરપકડ

આરોપીએ વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચ આપી અનેક લોકોને ફસાવ્યા હતા...

New Update
ONGC Fraud
અંકલેશ્વર ONGC માં અલગ અલગ સ્થળે 90 લોકોને નોકરીની લાલચ આપી 1.84 કરોડની ઠગાઈમાં વોન્ટેડ આરોપી ઝડપાતા ફરિયાદી પણ આરોપી હોવાનો થયો ધડાકો અંકલેશ્વરની ONGC કંપનીમાં સિક્યોરિટીમાં રાજ્યમાં અલગ અલગ સ્થળે નોકરીની લાલચે 90થી વધુ લોકો સાથે આચરાયેલા રૂપિયા 1.84 કરોડના કૌભાંડમાં ફરિયાદી પણ આરોપી નીકળ્યો છે. 
અંકલેશ્વરની અમૃતકુંજ સોસાયટીમાં રહેતા ફરિયાદી એવા આરોપી ઘનશ્યામસીધ રાજપુતની અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી લીધી છે. વર્ષ 2022 થી 2024 માં વિરાટ નગર રહેતા ઓગસ્ત હરદેવ પાંડે એ પોતે નેશનલ ઇન્વેસ્ટીગેશન સિક્યુરીટી સર્વીિસ NISS કંપનીના મેનેજર તરીકેની ખોટી ઓળખ આપી હતી. વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચમાં લોકોને ફસાવ્યા હતા.
NISS કંપનીના બોગસ જોઇનીંગ લેટર અને આઇ કાર્ડ બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી વિશ્વાસમાં લઇ હાલના આરોપી એવા ફરિયાદીના પરિવારના 10 લોકો સહિત કુલ 50 જેટલા લોકો પાસેથી રૂપિયા 1.04 કરોડ પડાવ્યા હતા.સાથે જ ઠાકોરભાઇ આહીર અને તેની સાથેના 40 અન્ય લોકો પાસેથી દરેકના બે લાખ લેખે આશરે ₹80 લઇ નોકરીએ નહિ લગાવી નાસી છૂટ્યો હતો. જે આરોપી અગસ્ત પાંડે પકડાતા તેને પોલીસ સમક્ષ આ કૌભાંડમાં ફરિયાદી એવો ઘનશ્યામ સિંઘ પણ સામેલ હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. એ ડિવિઝન પોલીસે ફરિયાદીની આરોપી તરીકે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Latest Stories