ગુજરાતમાં આતંકવાદી ઘુસ્યા હોવાની માહિતી બાદ પોલીસ તંત્ર સતર્ક

New Update
ગુજરાતમાં આતંકવાદી ઘુસ્યા હોવાની માહિતી બાદ પોલીસ તંત્ર સતર્ક

ગુજરાતમાં ચાર થી પાંચ આતંકવાદી ઘુસ્યા હોવાની માહિતીને પગલે પોલીસ તંત્ર સર્તક બન્યું છે, કેન્દ્રીય એજન્સી દ્વારા આ અંગેની માહિતી આપ્યા બાદ સુરક્ષા એજન્સીઓએ પણ સઘન ચેકીંગ હાથ ધર્યુ હોવાનું જાણવા મળ્યુ છે.

ગણેશોત્સવ પર્વનાં પ્રારંભ પ્રસંગે ગુજરાતમાં ચાર થી પાંચ આતંકવાદીઓ ઘુસ્યા હોવાની માહિતી મળતા રાજ્યનું પોલીસ તંત્ર સતર્ક થઇ ગયું છે.

પાકિસ્તાની આતંકવાદીઓ ગુજરાત બોર્ડર થઈને અંદર આવ્યા હોવાનાં ઇનપુટ મળ્યા હતા, જેને પગલે કચ્છ પોલીસે સઘન પેટ્રોલિંગ આરંભી દીધુ છે. આ ઉપરાંત કચ્છ સરહદે બોર્ડર સિક્યોરિટી ફોર્સ, નેવી અને કોસ્ટગાર્ડ જવાનોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે.

Read the Next Article

સુરત : સલામત સવારીનું વચન આપતી એસટી બસના ચાલકે સર્જ્યો અકસ્માત,ચારથી વધુ બાઇકને લીધી અડફેટમાં,ચાર લોકો ઈજાગ્રસ્ત

સુરતમાં બસ ચાલકે બસને ગફલતભરી રીતે હંકારતા સ્ટિયરિંગ પરનો કાબુ રહ્યો નહોતો,અને બસ ચાલકે ચારથી વધુ બાઇકને અડફેટમાં લઈને અકસ્માત સર્જ્યો..

New Update

સહારા દરવાજા બ્રિજ નીચે એસટી બસે સર્જ્યો અકસ્માત

અકસ્માતમાં ચાર જેટલા લોકોને પહોંચી ઇજા

ચારથી વધુ બાઈકનો વળ્યો કચ્ચરઘાણ

બસ ચાલક ભાગવા જતા લોકોએ ઝડપી પાડ્યો

બસ ચાલકે બ્રેક ફેલ થઈ ગઈ હોવાનું કર્યું રટણ

સુરતમાં સહારા દરવાજા બ્રિજ નીચે એસટી બસના ચાલકે બસને ગફલત ભરી રીતે હંકારીને અકસ્માત સર્જ્યો હતો.અને ચારથી વધુ બાઇકને અડફેટમાં લેતા ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા.ઘટનાને પગલે ટ્રાફિકજામની સાથે લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

સુરત શહેરના સહારા દરવાજા બ્રિજ નીચેના માર્ગ પરથી એક એસટી બસ પસાર થઇ રહી હતી,જોકે બસ ચાલકે બસને ગફલતભરી રીતે હંકારતા સ્ટિયરિંગ પરનો કાબુ રહ્યો નહોતો,અને બસ ચાલકે ચારથી વધુ બાઇકને અડફેટમાં લઈને અકસ્માત સર્જ્યો હતો,સર્જાયેલા માર્ગ અકસ્માતમાં ચાર લોકોને ઈજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા.

જ્યારે અકસ્માત સર્જીને બસ ચાલક ભાગવા જતા સ્થાનિક લોકોએ તેને ઝડપી લઈને પોલીસને હવાલે કરી દીધો હતો,બસ ચાલકે બસની બ્રેક ફેલ થઈ ગઈ હોવાનું રટણ કર્યું હતું,જ્યારે ભોગ બનનાર ઇજાગ્રસ્તોએ બસની સ્પીડ વધુ હોવાનો આક્ષેપ કર્યો હતો.પોલીસ દ્વારા ઘટના અંગેની તપાસ શરૂ કરવામાં આવી હતી.