સુરતના ખેડૂતોએ ફસલ વીમા યોજનામાં ફેરફાર કરવા અને પશુ વીમા યોજના શરૂ કરવા દેશના પ્રધાન મંત્રીને લખ્યો પત્ર

New Update
સુરતના ખેડૂતોએ ફસલ વીમા યોજનામાં ફેરફાર કરવા અને પશુ વીમા યોજના શરૂ કરવા દેશના પ્રધાન મંત્રીને લખ્યો પત્ર

આજે દક્ષિણ ગુજરાતના ખેડૂતો ફસલ વીમા યોજના સામે આગળ આવ્યા છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખી રજૂઆત કરી રહયા છે કે ફસલ વીમા યોજનામાં અનેક ત્રુટિઓ છે તેને સુધારવા આવે અને ખાનગી વીમા કંપનીને બદલે સરકાર ખેડૂતો માટે આયોગ તૈયાર કરી વીમા યોજના બહાર પાડવામાં આવે.તદ્ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ પશુઓ માટેની એક ખાસ યોજના વિચારવામાં આવે અને પશુ વીમા યોજના બહાર પાડવામાં આવે તેવી માંગ સાથે દેશના પીએમ પત્ર લખી રજૂઆત કરાઈ રહી છે.

કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ ૨૦૧૬માં પ્રધાન મંત્રી ફસલ વીમા યોજના શરૂ કરવામાં આવી હતી.જેમાં દેશના તમામ ખેડૂતોઓ પાકના વીમાનું પ્રીમિયમ ફરજીયાત ભરવું પડે છે.જેને લઇ અનેક ખેડૂતોને નુકશાન થઇ રહ્યું છે સામે ખાનગી વીમા કંપની દ્વારા હજારો કારોડનાં ખેડૂતોન પ્રીમિયમની સામે 40 ટાકા જેટલું વળતર આપતી નથી જેનો સીધો લાભ ખાનગી વીમા કંપની ઉઠાવી જાય છે.જેથી ખેડૂતોની માંગ ઉઠી છે કે વીમા યોજનામાં પ્રીમિયમને મરાજીયાત કરવામાં આવે.ખેડૂતોની માંગને ધ્યાને રાખી આ અંગે ગત રોજ રાજ્યના નાયબ મુખ્યએ પણ દિલ્હી જીઈ પ્રીમિયમને મરજીયાત કરવાની રજૂઆત કરી હતી.

ત્યારે આજે દક્ષિણ ગુજરાતના ખેડૂતો પણ ફસલ વીમા યોજના સામે આગળ આવ્યા છે અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખી રજૂઆત કરી રહયા છે કે ફસલ વીમા યોજનામાં અનેક ત્રુટિઓ છે તેને સુધારવા આવે અને ખાનગી વીમા કંપનીને બદલે સરકાર ખેડૂતો માટે આયોગ તૈયાર કરી વીમા યોજના બહાર પાડવામાં આવે.તદ્ઉપરાંત દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ પશુઓ માટેની એક ખાસ યોજના વિચારવામાં આવે અને પશુ વીમા યોજના બહાર પાડવામાં આવે તેવી માંગ સાથે દેશના પીએમ પત્ર લખી રજૂઆત કરાઈ રહી છે સાથે પોતાની રજૂઆત માટે પીએમની મુલાકાત માટે સમય પણ માંગ્યો છે અને પીએમને મળવાની ઈચ્છા દર્શાવી છે.

Read the Next Article

વલસાડ : ધરમપુરમાં પાર-તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં ડેમ હટાવો સમિતિના નેતૃત્વમાં જનઆક્રોશ રેલી યોજાઈ

ડેમ હટાવો સમિતિના નેતૃત્વમાં આયોજીત આ રેલીમાં ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસી વિસ્તારમાંથી સેંકડો લોકો ટ્રકો ભરી ભરીને ઉમટ્યા હતા.

New Update
  • પાર-તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટનો વિરોધ

  • ડેમ હટાવો સમિતિના નેતૃત્વમાં જનઆક્રોશ રેલી

  • ડેમ બનવાથી આદિવાસી વિસ્તારો થશે ખાલી 

  • રાજ્યભરમાંથી આદિવાસી સમાજના યુવાનો જોડાયા

  • MLA અનંત પટેલઅમિત ચાવડા પણ રેલીમાં જોડાયા

વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે પાર-તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં જનઆક્રોશ રેલી યોજાઈ હતી. ડેમ હટાવો સમિતિના નેતૃત્વમાં આયોજીત આ રેલીમાં ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસી વિસ્તારમાંથી સેંકડો લોકો ટ્રકો ભરી ભરીને ઉમટ્યા હતા.

વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે પાર-તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં ડેમ હટાવો સમિતિના નેતૃત્વમાં જનઆક્રોશ રેલી યોજાઈ હતી.આ રેલીમાં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલકોંગ્રેસના નેતા અમિત ચાવડા સહિત અનેક સ્થાનિક આગેવાનો પણ રેલીમાં જોડાયા હતા. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વહેલી સવારથી જ કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

પારતાપી અને નર્મદાએ ત્રણેય નદીના નામ છે. એટલે આ પ્રોજેક્ટનું નામ છે પાર-તાપી-નર્મદા રીવર લિંક પ્રોજેક્ટ. પાર-તાપી-નર્મદા રીવર લિંક પ્રોજેક્ટમાં કુલ 9 ડેમ બનાવવાની જોગવાઈ છે. જેમાં એક ઝરી ડેમ છે જે મહારાષ્ટ્ર-ગુજરાતની બોર્ડર પાસે નાસિકમાં બનશે. તેમાં 7 ગામના લોકોને અસર થશે.

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં મોહના કાવચડી ડેમ બનવાનો છે. જેમાં 12 ગામના લોકોને અસર થશે. ધરમપુર તાલુકાના પૈખેડ ડેમમાં 13 ગામ જશે.જ્યારે ધરમપુર તાલુકાના ચાસમાંડવા ડેમમાં 14 ગામ જશે. ડાંગ જિલ્લાના વઘઇ તાલુકામાં ચિકાર ડેમ બનવાનો છેજેમાં 12 ગામ જશે. વઘઇ તાલુકાના ડાબદર ડેમમાં 18 ગામ જશે અને તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કેળવણ ડેમમાં 23 ગામ જશે. એટલે આ પાર તાપી નર્મદા રીવર લિંક પ્રોજેક્ટ થકી કુલ 118થી પણ વધારે ગામ અને તેની આસપાસના ગામડાના અંદાજે પાંચ લાખથી પણ વધારે લોકોને ગામ ખાલી કરીને બીજે વિસ્થાપિત થવું પડે તેમ છે. જ્યાં આ ડેમ બનવાના છે અને ગામો ખાલી કરવાના છે તે મોટાભાગે આદિવાસી વિસ્તાર છે.

DPR મુજબ સરકાર આ ડેમોનું પાણી મુંબઈ,સૌરાષ્ટ્ર અને કચ્છમાં લઈ જવા માંગે છે. ભવિષ્યમાં મુંબઈની વસ્તીને પાણી પહોંચી શકે એટલા માટે ત્યાં અત્યારથી પાણીની વ્યવસ્થા કરાઈ રહી છે. આ પંથકના આદિવાસીઓ કહે છે કે કોઈને પાણી મળે તેનાથી અમને કોઈ વાંધો નથી પરંતુ આદિવાસીઓનો વિનાશ કરીને વિકાસ નહીં થવા દઈએ.

2022માં ચૂંટણી પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી કેપાર તાપી નર્મદા રીવર લિંક પ્રોજેક્ટ રદ કરવામાં આવે છે. ત્યારથી આ પ્રોજેક્ટને લઈને શાંતિનો માહોલ હતો. પરંતુ થોડા દિવસ પહેલા મીડિયામાં સમાચાર આવ્યા કે લોકસભામાં આ પ્રોજેકટનોDPR રજૂ થયો છેએટલે ફરી આ પ્રોજેક્ટને લઈને દક્ષિણ ગુજરાતના આદિવાસીઓમાં વિરોધનો વંટોળ શરૂ થયો છે.