અંકલેશ્વર : જયાબેન મોદી હોસ્પિટલને ભેટમાં મળી એમ્બયુલન્સ, જુઓ શું છે ખાસિયત

Update: 2021-01-01 11:59 GMT

Full View

અંકલેશ્વર જી.આઈ.ડી.સી ખાતે વાલિયા રોડ સ્થિત જયાબેન મોદી હોસ્પિટલને ઇંડકટોથર્મ ગ્રુપ અને કુંદન ઉદાણી ફાઉન્ડેશન તરફથી અદ્યતન કાર્ડિયાક એમ્બ્યુલન્સનું દાન મળ્યું છે આ એમ્બ્યુલન્સ વેન્ટિલેટર, ઓક્સિજન, ડીફેબ્રીલેટર, સૅક્સન પમ્પ, સિરીંજ પમ્પ જેવા તમામ ઇમર્જન્સીના સાધનોથી સજ્જ છે. જેથી કરીને દર્દીને ઇમર્જન્સીમાં જોઈતી સારવાર એમ્બ્યુલન્સમાંજ મળી રહે અને હોસ્પિટલ પોંહચતા સુધી દર્દીનો જીવ બચી શકે. આ અદ્યતન એમ્બ્યુલન્સની કિંમત રૂ. ૨૦ લાખ જેટલી છે. ઇંડકટોથર્મ ગ્રુપના સી.એસ.આર વિભાગ અને કુંદન ઉદાણી ફાઉન્ડેશનના પૂજા ઉદાણી, રિંકલ ઉદાણી અને સાધના ઉદાણી તેમજ હોસ્પિટલનો સ્ટાફ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે જયાબેન મોદી હોસ્પિટલ ખાતે કોરોનાની સાથે અન્ય રોગથી પીડાતા દર્દીઓની સારવાર પણ શરૂ કરી દેવામાં આવી છે…

Tags:    

Similar News