ભરૂચ: અંકલેશ્વરની શ્યામ એન્ટર પ્રાઇઝ કંપનીમાં ભીષણ આગ,3 કામદાર દાઝ્યા

Update: 2021-10-15 09:08 GMT

અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ શ્યામ એન્ટર પ્રાઇઝ કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. વિકરાળ આગના પગલે ત્રણ કામદાર દાઝી જતા તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા

એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહતમાં આગ લાગવાના સતત બનાવો બનતા રહે છે ત્યારે આજરોજ વિજયા દશમીના દિવસે ફરી એકવાર આગનું તાંડવ જોવા મળ્યું હતું. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ શ્યામ એન્ટર પ્રાઇઝ કંપનીમાં આજરોજ ઉત્પાદન પ્રક્રિયા ચાલી રહી હતી એ દરમ્યાન અચાનક જ આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને આગની જ્વાળા દૂર દૂર સુધી નજરે પડી હતી જેના કારણે દોડધામ મચી જવા પામી હતી. આગમાં નજીકમાં કામ કરી રહેલા ત્રણ કામદાર દાઝી જતા તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ કરાતા જ અંકલેશ્વર ડી.પી.એમ.સીના ફાયર ફાયટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને 3 જેટલા ફાયર ફાયટરોએ એક કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ લાગવાનુ ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

Tags:    

Similar News