ભરૂચ : "નીરજ" નામધારીઓ માટે ખુશખબર, 500 રૂપિયાનું પેટ્રોલ મળશે મફત

ભરૂચમાં નીરજ નામધારીઓને એક પેટ્રોલ પંપના માલિકે 500 રૂપિયાના મફત પેટ્રોલની જાહેરાત કરી

New Update

દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ 100 રૂપિયાને પાર કરી ગયાં છે ત્યારે નીરજ નામવાળાઓની લોટરી નીકળી છે. ભરૂચમાં નીરજ નામધારીઓને એક પેટ્રોલ પંપના માલિકે 500 રૂપિયાના મફત પેટ્રોલની જાહેરાત કરી છે. ભાલાફેંકમાં ગોલ્ડ મેડલ મેળવનારા નીરજ ચોપડાને સન્માન આપવા પેટ્રોલ પંપના માલિકે આ ઓફર કરી છે.

Advertisment

ભારતની એથ્લેટિક્સમાં ગોલ્ડ મેડલ જીતવાની ૧૨૧ વર્ષની પ્રતિક્ષા દુર થઈ છે. ભાલા ફેંકમાં ભારતના સ્ટાર ખેલાડી નીરજ ચોપડાએ ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો છે. એથ્લેટિક્સ કોઈપણ ઓલિમ્પિકનું મુખ્ય આકર્ષણ છે.પરંતુ આજદિન સુધી કોઇપણ ભારતીય આ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો નથી.જે કિતીઁમાન નીરજ ચોપડાએ હાંસલ કરતાં સમગ્ર દેશભરમાં ગૌરવની લાગણી જોવા મળી છે. ભરૂચ જિલ્લાના નેત્રંગ-મોવી રોડ ઉપર આવેલ એસ.પી પેટ્રોલપંપના માલીક ઐયુબ પઠાણે પણ નીરજને સન્માનિત કરવા માટે એક અનોખી પહેલ કરી છે. તેમણે પોતાના પેટ્રોલપંપ ઉપર આવતીકાલના સાંજના પાંચ વાગ્યા સુધી નીરજ નામના કોઈપણ વ્યક્તિ પેટ્રોલ ભરાવા આવે તો તેને રૂ.૫૦૧નું પેટ્રોલ મફતમાં ભરી આપવાની જાહેરાત કરી છે.

Advertisment