Connect Gujarat
ભરૂચ

ભરૂચ : જંબુસર સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે વેક્સિનેશન કેમ્પ યોજાયો, સ્થાનિકોએ લાભ લીધો...

ભરૂચ જિલ્લાના જંબુસર નગર સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે વેક્સિનેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું,

ભરૂચ : જંબુસર સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે વેક્સિનેશન કેમ્પ યોજાયો, સ્થાનિકોએ લાભ લીધો...
X

ભરૂચ જિલ્લાના જંબુસર નગર સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે વેક્સિનેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે વેક્સિનેશન કેમ્પનો મોટી સંખ્યામાં સ્થાનિકોએ લાભ લીધો હતો.

પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ નિમિત્તે આગામી સમયમાં યોજાનાર અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું જંબુસર સ્થિત સ્વામિનારાયણ મંદિર દ્વારા આયોજન કરવામાં આવનાર છે. જેના ભાગરૂપે આજરોજ વેક્સિનેશન કેમ્પનું આયોજન કરાયું હતું. BAPS જંબુસર મંદિરના સહયોગથી મંદિર ખાતે કોરોના વેક્સિનેશનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં 18 વર્ષથી વધુ ઉંમરના દરેક નાગરિકનો પહેલો, બીજો તથા બુસ્ટર ડોઝ લેવાનો બાકી હોય તે તમામ નાગરિકો માટે રસીકરણ પ્રોગ્રામ જંબુસર આરોગ્ય ખાતા દ્વારા રાખવામાં આવ્યો હતો. જેનો મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકોએ લાભ લીધો હતો.

Next Story