અંકલેશ્વર : અનંત વિદ્યાનિકેતનના ધો. 12 સાયન્સના વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષામાં મેળવ્યું 100% પરિણામ

રાજ્યભરમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો. 12 સાયન્સનું પરિણામ જાહેરા કરવામાં આવ્યું હતું.

New Update

ગુજરાત રાજ્યમાં આજરોજ ધોરણ 12 સાયન્સ બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું, ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર સેન્ટરનું 64.60 ટકા પરિણામ આવ્યું છે. જેમાં અનંત વિદ્યાનિકેતનના તમામ વિદ્યાર્થીઓએ ઉત્તીર્ણ થઈ 100 ટકા પરિણામ મેળવી શાળા તથા પરિવારનું નામ રોશન કર્યું છે.

રાજ્યભરમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો. 12 સાયન્સનું પરિણામ જાહેરા કરવામાં આવ્યું હતું. જોકે, 2 વર્ષ બાદ યોજાયેલી બોર્ડની પરીક્ષામાં આ વર્ષે રાજ્યનું 72 ટકા પરિણામ આવ્યું છે. જેમાં ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક દીવા રોડ પર આવેલ અનંત વિદ્યા નિકેતનના તમામ વિદ્યાર્થીઓએ ઉત્તીર્ણ થઈ 100 ટકા પરિણામ મેળવ્યું છે. ધો. 12 સાયન્સમાં અંકલેશ્વર સેન્ટરનું 64.60 ટકા પરિણામ આવ્યું છે.

જેની સામે શ્રી અગસ્તિ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત અનંતવિદ્યા નિકેતનના તમામ વિદ્યાર્થીઓ સારા પરિણામે ઉત્તીર્ણ થયા છે. સમગ્ર ભરૂચ જીલ્લામાં ધો. 12 સાયન્સમાં 7 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. જેમાંથી A1 ગ્રેડ મેળવનાર 2 અનંત વિદ્યાનિકેતનના વિદ્યાર્થી અભિષેક પ્રજાપતિ અને અને એકતા પટેલ છે. અભિષેક પ્રજાપતિએ 99.91 ટકા, જ્યારે એકતા પટેલે 99.90 ટકા સાથે અગ્રેસર રહી ભરૂચ જિલ્લા સહિત શાળા તેમજ પરિવારનું ગૌરવ વધાર્યું છે.

તદુપરાંત અનંત વિદ્યાનિકેતનના 23 જેટલા વિદ્યાર્થીઓએ 90થી વધુ ટકા હાંસલ કર્યા છે. આ પ્રસંગે શાળાના પ્રમુખ રાહુલ ભારતે તમામ વિદ્યાર્થી, વાલી અને શિક્ષકોને સિદ્ધિ હાંસલ કરવા બદલ અભિનંદન પઠાવ્યા છે. ઉપરાંત ભવિષ્યમાં શાળાના અન્ય વિદ્યાર્થીઓ પણ સારું પરિણામ મેળવી શાળાનું નામ રોશન કરે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

Read the Next Article

વિદ્યાર્થીઓમાં આત્મહત્યાનું કારણ ચિંતાજનક,સુપ્રીમ કોર્ટે શૈક્ષણિક સંસ્થાઓ માટે કડક ગાઈડલાઈન જાહેર કરી

આત્મહત્યાના એક કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા માટે મહત્વના નિર્દેશો આપ્યા હતા. કોર્ટે નેશનલ ગાઈડલાઈન્સ જાહેર કરી છે

New Update
supreme-court-

દરેક સ્તરે સ્પર્ધાના જમાનામાં શાળા અને કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓમાં માનસિક તણાવ સતત વધી રહ્યો છેહતાશાને કારણે વિદ્યાર્થીઓની આત્મહત્યાના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. શુક્રવારે આત્મહત્યાના એક કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા માટે મહત્વના નિર્દેશો આપ્યા હતા. કોર્ટે નેશનલ ગાઈડલાઈન્સ જાહેર કરી છેજેનું શૈક્ષણિક સંસ્થાઓએ ફરજીયાત પણે પાલન કરવાનું રહેશે. કોર્ટે વિદ્યાર્થીઓની આત્મહત્યાને અવગણી ન શકાય એવી તંત્રની નિષ્ફળતા ગણાવી હતી.

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ વિક્રમ નાથ અને સંદીપ મહેતાની બેન્ચ દ્વારા આપવામાં આવેલા નિર્દેશો શાળાઓકોલેજોયુનિવર્સિટીઓપ્રાઇવેટ કોચિંગ સેન્ટરોટ્રેનિંગ એકેડમીઓ અને હોસ્ટેલ્સ પર લાગુ થશે. આ અંગે સત્તાવાર કાયદો ઘડવામાં ન આવે ત્યાં સુધી સુપ્રીમ કોર્ટે આપેલી ગાઈડલાઈન્સ દેશના કાયદા તરીકે લાગુ રહેશે.

નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરોના આંકડા મુજબવર્ષ2022માં ભારતમાં કુલ1,70,924આત્મહત્યા નોંધાઈ હતીજેમાં13,044એટલે કે7.6%વિદ્યાર્થીઓ હતા. જેમાંથી2,200થી વધુ વિદ્યાર્થીઓની આત્મહત્યા માટે પરીક્ષામાં નિષ્ફળતાના કારણો જવાબદાર હતા. આ આંકડાઓને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટેની બેન્ચે કહ્યું કે ભારતના યુવાનોમાં વધી રહેલી હતાશા દેશના એજ્યુકેશનલ ઇકોસિસ્ટમમાં ગંભીરમાળખાકીય ખામીને ઉજાગર કરે છે.