બનાસકાંઠા : આબુરોડ નજીક લકઝરી બસમાંથી 255 તલવારો મળી, તલવારો મોકલાતી હતી કલોલ

આ તલવારો ગુજરાતમાં આવેલા કલોલ ખાતે પહોંચાડવાની હોવાની પ્રાથમિક વિગતો સપાટી પર આવી છે.

New Update

ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલા આબુરોડ પાસેથી પસાર થતી લકઝરી બસમાંથી પોલીસે 255 જેટલી તલવારો કબજે કરી છે. આ તલવારો ગુજરાતમાં આવેલા કલોલ ખાતે પહોંચાડવાની હોવાની પ્રાથમિક વિગતો સપાટી પર આવી છે.

Advertisment

 

આબુરોડ પોલીસે ખાનગી ટ્રાવેલ્સની બસો મારફતે તલવારોની હેરાફેરીનો કારસો પકડી પાડયો છે. માવલ પોલીસની ટીમે જોધપુરથી અમદાવાદ જઇ રહેલી ખાનગી લકઝરી બસને ચોકકસ બાતમીના આધારે અટકાવી હતી. બસની તલાશી લેવામાં આવતાં તેમાંથી 255 જેટલી તલવારો મળી આવી હતી. તલવારો અંગે બસના ડ્રાયવરને પુછવામાં આવતાં તેણે તલવારોનું પાર્સલ કલોલ ખાતે પહોંચાડવાનું હોવાની કબુલાત કરી હતી. પોલીસે ગેરકાનૂની રીતે હથિયારની હેરાફેરી કરતાં ૧૦૨ મુજબ ગુનો નોંધી આટલી મોટી માત્રામાં તલવારો કોને અને કેમ મંગાવી હતી તે દિશામાં તપાસ શરૂ કરી દીધી છે. રાજસ્થાનમાંથી વિદેશી દારૂ, હથિયારો તથા નશીલા પદાર્થોની હેરાફેરી રોકવા માટે બંને રાજયોની પોલીસ સઘન વાહનચેકિંગ કરી રહી છે.

Advertisment
Read the Next Article

અરબી સમુદ્રમાં ચક્રવાતની શકયતાના પગલે,ગીર સોમનાથમાં તમામ બોટો પરત બોલાવાઇ

ગુજરાતમાં ચક્રવાતના સંકટ વચ્ચે ગીર સોમનાથમાં તમામ ફિશિંગ બોટો પરત બોલાવાઇ છે. અરબી સમુદ્રમાં ચક્રવાતની શકયતાના પગલે વેરાવળ ફિશરીઝ વિભાગે આ નિર્ણય લીધો

New Update
 cyclone in Arabian Sea

રાજ્યભરમાં ભર ઉનાળે ભારે પવન સાથે જોરદાર વરસાદ ખાબક્યો હતો ત્યાર બાદ હવે ગુજરાતમાં ચક્રવાતના સંકટની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી હતી. આ દરમિયાન રાજ્યના દરિયા કાંઠાના વિસ્તારો એલર્ટ કરી દેવાયા છે. અરબી સમુદ્રમાં ચક્રવાતની શકયતાના પગલે ગીર સોમનાથમાં તમામ બોટો પરત બોલાવી લેવામાં આવી છે. વેરાવળ ફિશરીઝ વિભાગ દ્વારા બોટોને પરત બોલાવવા કવાયત શરૂ કરવામાં આવી છે.

Advertisment

ગુજરાતમાં ચક્રવાતના સંકટ વચ્ચે ગીર સોમનાથમાં તમામ ફિશિંગ બોટો પરત બોલાવાઇ છે. અરબી સમુદ્રમાં ચક્રવાતની શકયતાના પગલે આ નિર્ણય લેવાયો છે. વેરાવળ ફિશરીઝ વિભાગ દ્વારા બોટોને પરત બોલાવવા કવાયત હાથ ધરી છે. જિલ્લામાં 7500 પૈકી 504 જેટલી ફિશિંગ બોટો હજુ દરિયામાં છે.

Advertisment
Latest Stories