ભાવનગર : કોરોના મહામારીમાં ઉત્કૃષ્ટ સેવા આપનાર આરોગ્યકર્મીઓનું અભિવાદન કરાયું

New Update

શ્રાવણ માસની ધાર્મિક ઉજવણી સાથે શ્રી શિવકુંજ આશ્રમ, જાળિયા ખાતે આરોગ્ય કર્મીઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું. આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં કોરોના મહામારીમાં સતત જાગૃત અને કાર્યરત રહેલા આશા કાર્યકરથી માંડીને તબીબી અધિકારી સુધીની વ્યક્તિઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું.

જાળિયા ખાતેના અભિવાદન કાર્યકમમાં વિશ્વાનંદ માતાજીએ તબીબો દ્વારા વેદનું એટલે કે, આયુર્વેદનું કાર્ય થઈ રહ્યાનું જણાવી વિજ્ઞાન અને ધર્મના સમન્વયને અનિવાર્ય સમજવા કહ્યું. તેઓએ આશ્રમ દ્વારા પર્યાવરણ જાગૃતિમાં સઘન વૃક્ષારોપણ અભિગમનો ઉલ્લેખ કર્યો. અહીંયા અગ્રણી અને ભારત, તિબેટ સહયોગ મંચના પ્રદેશ સચિવ નાનુ ડાખરાએ આશ્રમોનું કામ માત્ર ભોજન નહિ પણ સેવા કાર્ય દ્વારા થતું હોવાનો રાજીપો વ્યક્ત કરી તેમને આદરેલા પીપળા રોપણ અભિયાનનો ઉલ્લેખ કરી પર્યાવરણ અને યજ્ઞના સકારાત્મક પાસાઓનો ખ્યાલ આપ્યો હતો.

આ ઉપરાંત સન્માનિત રંઘોળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબી અધિકારી મનસ્વીની માલવિયાએ પોતાના અભિવાદન પ્રતિભાવમાં સૌને કોરોના રસિકરણમાં સઘન રીતે સામેલ થવા અનુરોધ કર્યો અને સન્માનથી વધુ બળ મળ્યાનો ભાવ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમમાં કોરોના સંદર્ભે સેવારત આરોગ્ય વિભાગના ઋષિ શુક્લ, જાસુ બોરીચા, નિરવ મકવાણા, રામ સાંગડિયા તથા છાયા પણદા અને આંગણવાડી કાર્યકર્તા ઊર્મિલા ચૌહાણ તથા આશા કાર્યકર્તા રહેલા નિતા મામેરિયાનું મહાનુભાવોના હસ્તે સુતર આંટી અને શાલ ઓઢાડી અભિવાદન કરાયું હતું. તો સાથે જ કોરોના કાળમાં અવસાન પામેલાઓના આત્માની શાંતિ માટે મૌન પાળી શ્રદ્ધાંજલિ વ્યક્ત કરવામાં આવી હતી. નંદલાલ જાનીએ આભાર વિધિ કરતા ધન્વંતરિ દેવના પ્રતિનિધિઓને અભિવાદનથી આનંદ થયાનું જણાવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંકલન મુકેશ પંડિત દ્વારા કરવામાં આવ્યું હતું.

Read the Next Article

વલસાડ : ધરમપુરમાં પાર-તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં ડેમ હટાવો સમિતિના નેતૃત્વમાં જનઆક્રોશ રેલી યોજાઈ

ડેમ હટાવો સમિતિના નેતૃત્વમાં આયોજીત આ રેલીમાં ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસી વિસ્તારમાંથી સેંકડો લોકો ટ્રકો ભરી ભરીને ઉમટ્યા હતા.

New Update
  • પાર-તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટનો વિરોધ

  • ડેમ હટાવો સમિતિના નેતૃત્વમાં જનઆક્રોશ રેલી

  • ડેમ બનવાથી આદિવાસી વિસ્તારો થશે ખાલી 

  • રાજ્યભરમાંથી આદિવાસી સમાજના યુવાનો જોડાયા

  • MLA અનંત પટેલઅમિત ચાવડા પણ રેલીમાં જોડાયા

વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે પાર-તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં જનઆક્રોશ રેલી યોજાઈ હતી. ડેમ હટાવો સમિતિના નેતૃત્વમાં આયોજીત આ રેલીમાં ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસી વિસ્તારમાંથી સેંકડો લોકો ટ્રકો ભરી ભરીને ઉમટ્યા હતા.

વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે પાર-તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં ડેમ હટાવો સમિતિના નેતૃત્વમાં જનઆક્રોશ રેલી યોજાઈ હતી.આ રેલીમાં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલકોંગ્રેસના નેતા અમિત ચાવડા સહિત અનેક સ્થાનિક આગેવાનો પણ રેલીમાં જોડાયા હતા. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વહેલી સવારથી જ કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

પારતાપી અને નર્મદાએ ત્રણેય નદીના નામ છે. એટલે આ પ્રોજેક્ટનું નામ છે પાર-તાપી-નર્મદા રીવર લિંક પ્રોજેક્ટ. પાર-તાપી-નર્મદા રીવર લિંક પ્રોજેક્ટમાં કુલ 9 ડેમ બનાવવાની જોગવાઈ છે. જેમાં એક ઝરી ડેમ છે જે મહારાષ્ટ્ર-ગુજરાતની બોર્ડર પાસે નાસિકમાં બનશે. તેમાં 7 ગામના લોકોને અસર થશે.

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં મોહના કાવચડી ડેમ બનવાનો છે. જેમાં 12 ગામના લોકોને અસર થશે. ધરમપુર તાલુકાના પૈખેડ ડેમમાં 13 ગામ જશે.જ્યારે ધરમપુર તાલુકાના ચાસમાંડવા ડેમમાં 14 ગામ જશે. ડાંગ જિલ્લાના વઘઇ તાલુકામાં ચિકાર ડેમ બનવાનો છેજેમાં 12 ગામ જશે. વઘઇ તાલુકાના ડાબદર ડેમમાં 18 ગામ જશે અને તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કેળવણ ડેમમાં 23 ગામ જશે. એટલે આ પાર તાપી નર્મદા રીવર લિંક પ્રોજેક્ટ થકી કુલ 118થી પણ વધારે ગામ અને તેની આસપાસના ગામડાના અંદાજે પાંચ લાખથી પણ વધારે લોકોને ગામ ખાલી કરીને બીજે વિસ્થાપિત થવું પડે તેમ છે. જ્યાં આ ડેમ બનવાના છે અને ગામો ખાલી કરવાના છે તે મોટાભાગે આદિવાસી વિસ્તાર છે.

DPR મુજબ સરકાર આ ડેમોનું પાણી મુંબઈ,સૌરાષ્ટ્ર અને કચ્છમાં લઈ જવા માંગે છે. ભવિષ્યમાં મુંબઈની વસ્તીને પાણી પહોંચી શકે એટલા માટે ત્યાં અત્યારથી પાણીની વ્યવસ્થા કરાઈ રહી છે. આ પંથકના આદિવાસીઓ કહે છે કે કોઈને પાણી મળે તેનાથી અમને કોઈ વાંધો નથી પરંતુ આદિવાસીઓનો વિનાશ કરીને વિકાસ નહીં થવા દઈએ.

2022માં ચૂંટણી પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી કેપાર તાપી નર્મદા રીવર લિંક પ્રોજેક્ટ રદ કરવામાં આવે છે. ત્યારથી આ પ્રોજેક્ટને લઈને શાંતિનો માહોલ હતો. પરંતુ થોડા દિવસ પહેલા મીડિયામાં સમાચાર આવ્યા કે લોકસભામાં આ પ્રોજેકટનોDPR રજૂ થયો છેએટલે ફરી આ પ્રોજેક્ટને લઈને દક્ષિણ ગુજરાતના આદિવાસીઓમાં વિરોધનો વંટોળ શરૂ થયો છે.