સંસ્કૃતભારતીના સમર્પિત કાર્યકર્તાઓનું સારસા મુકામે પ્રાન્તીયમ અધિવેશન યોજાયું...

સારસા મુકામે કૈવલજ્ઞાનપીઠાધીશ્વર પ.પૂ. આચાર્ય અવિચલદાસજીમહારાજના દિવ્ય સાન્નિધ્યમાં તા. 25-26 ડિસેમ્બર 2021ના રોજ અધિવેશન યોજાયું હતું.

New Update

ભાષાઓની જનની સંસ્કૃત ભાષાને ફરીથી લોકભાષા બનાવવા કૃતસંકલ્પિત સંસ્કૃતભારતી ગુર્જરપ્રાંતના 332 સમર્પિત કાર્યકર્તાઓનું કેવલજ્ઞાનપીઠ, સારસા મુકામે કૈવલજ્ઞાનપીઠાધીશ્વર પ.પૂ. આચાર્ય અવિચલદાસજીમહારાજના દિવ્ય સાન્નિધ્યમાં તા. 25-26 ડિસેમ્બર 2021ના રોજ અધિવેશન યોજાયું હતું.

તા. 25 ડિસેમ્બર 2021ના રોજ સવારે 09:30 ક્લાકે સંસ્કૃતમાં વિજ્ઞાન, શાસ્ત્રવૈભવ, સાહિત્યગ્રંથો, દૈનિક જીવનોપયોગી વસ્તુઓ વગેરે વિષયોના પ્રદર્શનને સ.પ.યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગરના કુલપતિ પ્રો. શિરીષ કુલકર્ણીના શુભહસ્તે ખુલ્લું મુકાયું. માન્ય કુલપતિ સાહેબે સંસ્કૃતભારતીના કાર્યને બિરદાવ્યું હતું. પ્રથમ દિવસે પ્રાતઃ ૧૦:૩૦ વાગે યોજાયેલ આ સમારોહના મુખ્ય ઉદ્ઘાટક તરીકે શ્રી સ્વામિનારાયણ વડતાલધામના પૂજ્ય સંતશ્રી વલ્લભસ્વામીજી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કહ્યું," સંસ્કૃતભારતીના કાર્યકર્તાઓ વંદનીય છે. કારણ કે, તેઓ સંસ્કૃતને પુનર્જીવિત કરવા માટે સઘન પુરુષાર્થ કરી રહ્યા છે. અધિવેશનનું સંસ્કૃતમય વાતાવરણ અને જીવનમાં સંપૂર્ણ કાર્યક્રમ સંસ્કૃતમાં થતો જોઈ આનંદ વ્યક્ત કર્યો. આજની સમસ્યાઓના ઉકેલો ભારતના ઋષિમુનિઓએ શોધેલા છે તેનું ગંભીર અધ્યયન થવું અનિવાર્ય છે મુખ્ય વક્તા તરીકે સંસ્કૃતભારતીના અખિલ ભારતીય સંપર્ક પ્રમુખ માનનીય નંદકુમારજી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું કે, ભારતમાં જન્મથી મહર્ષિઓએ જે જ્ઞાન-વિજ્ઞાન અને જીવનના રહસ્યોનો સાક્ષાત્કાર કર્યો છે. તે સંસ્કૃતમાં છે તેથી જ ભારત પૂર્વે તેના જ્ઞાન વૈભવને કારણે વિશ્વગુરુ હતો, આ જ્ઞાન પરંપરા એ આપણી સંસ્કૃતિ છે. જે જીવમાત્રના કલ્યાણ માટે છે, તેથી તેનું સંરક્ષણ કરવા સંસ્કૃત આવશ્યક છે. સંસ્કૃતભારતીના કાર્યકર્તાઓ આચરણ દ્વારા લોકોને સંસ્કૃત બોલતા કરવા ઈચ્છે છે. આપણો સૌનો સંકલ્પ હોવો જોઈએ કે, આપણે આદર્શ બનીએ. સંસ્કૃતભારતીના ન્યાસી અને ગુજરાત રાજ્ય સરકારમના પૂર્વ સચિવ ભાગ્યેશ જહાએ સંસ્કૃતની વિશેષતા દર્શાવી સંસ્કૃત વિકાસની સાથે ભાવિ ભારતના વૈભવની વાત કરી હતી. આ પ્રસંગે સંસ્કૃતભારતીના સમર્પિત કાર્યકર્તા સતિષ ગજ્જર લિખિત "પ્રતિબિંબ" પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું.

Read the Next Article

અંકલેશ્વર: ONGCમાં નોકરીના બહાને રૂ.1.84 કરોડની છેતરપીંડીમાં ફરિયાદી જ આરોપી નિકળ્યો, પોલીસે કરી ધરપકડ

આરોપીએ વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચ આપી અનેક લોકોને ફસાવ્યા હતા...

New Update
ONGC Fraud
અંકલેશ્વર ONGC માં અલગ અલગ સ્થળે 90 લોકોને નોકરીની લાલચ આપી 1.84 કરોડની ઠગાઈમાં વોન્ટેડ આરોપી ઝડપાતા ફરિયાદી પણ આરોપી હોવાનો થયો ધડાકો અંકલેશ્વરની ONGC કંપનીમાં સિક્યોરિટીમાં રાજ્યમાં અલગ અલગ સ્થળે નોકરીની લાલચે 90થી વધુ લોકો સાથે આચરાયેલા રૂપિયા 1.84 કરોડના કૌભાંડમાં ફરિયાદી પણ આરોપી નીકળ્યો છે. 
અંકલેશ્વરની અમૃતકુંજ સોસાયટીમાં રહેતા ફરિયાદી એવા આરોપી ઘનશ્યામસીધ રાજપુતની અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી લીધી છે. વર્ષ 2022 થી 2024 માં વિરાટ નગર રહેતા ઓગસ્ત હરદેવ પાંડે એ પોતે નેશનલ ઇન્વેસ્ટીગેશન સિક્યુરીટી સર્વીિસ NISS કંપનીના મેનેજર તરીકેની ખોટી ઓળખ આપી હતી. વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચમાં લોકોને ફસાવ્યા હતા.
NISS કંપનીના બોગસ જોઇનીંગ લેટર અને આઇ કાર્ડ બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી વિશ્વાસમાં લઇ હાલના આરોપી એવા ફરિયાદીના પરિવારના 10 લોકો સહિત કુલ 50 જેટલા લોકો પાસેથી રૂપિયા 1.04 કરોડ પડાવ્યા હતા.સાથે જ ઠાકોરભાઇ આહીર અને તેની સાથેના 40 અન્ય લોકો પાસેથી દરેકના બે લાખ લેખે આશરે ₹80 લઇ નોકરીએ નહિ લગાવી નાસી છૂટ્યો હતો. જે આરોપી અગસ્ત પાંડે પકડાતા તેને પોલીસ સમક્ષ આ કૌભાંડમાં ફરિયાદી એવો ઘનશ્યામ સિંઘ પણ સામેલ હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. એ ડિવિઝન પોલીસે ફરિયાદીની આરોપી તરીકે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Latest Stories