ગુજરાતમાં મેઘરાજા ક્યારે મન મૂકીને વરસસે? હવામાન વિભાગે શું કરી આગાહી વાંચો

New Update

રાજ્યમાં વાદળછાયું વાતાવણ જોવા મળી રહ્યું છે પરતું વરસાદની શક્યતા નહીંવત જણાઈ રહી છે હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે રાજ્યમાં ઓગસ્ટના અંત સુધીમાં સારો વરસાદ પડી શકે છે પરતું હાલ વરસાદની કોઈ સિસ્ટમ ન બની હોવાથી વરસાદની શક્યતાઓ જોવાઈ રહી નથી.હવામાન વિભાગે આગાહી કરતા એમ પણ જણાવ્યું છે કે ગુજરાતમાં 3 દિવસ વરસાદી માહોલ સર્જાશે જેને લઈ અનેક વિસ્તારમાં સામાન્ય વરસાદ પડી શકે છે.

જો કે ઓગસ્ટ અંત સુધીમાં સારો એવો વરસાદ નોંધાઈ શકે છે. જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં હજુ પણ વરસાદની ઘટ જોવા મળી રહી છે જોઈએ એવો વરસાદ ગુજરાતમાં પડ્યો નથી. જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ સિઝનનો 22.55 ઈંચ વરસાદ ખાબકી ચુક્યો છે જ્યારે રાજ્યમાં 12 ઈંચ સાથે મોસમનો 36 ટકા વરસાદ નોંધાયો છે. જેની સરખામણીએ ગયા વર્ષે 5 ઓગસ્ટ સુધી 14 ઈંચ સાથે મોસમનો 43 ટકા વરસાદ નોંધાઇ ચૂક્યો હતો.ગયા વર્ષની સરખામણીએ વરસાદ હજુ 7 ટકા ઓછો નોંધાયો છે.

અત્યાર સુધી કચ્છમાં 5.51 ઈંચ સાથે મોસમનો 31.61 ટકા, ઉત્તર ગુજરાતમાં 8.70 ઈંચ સાથે મોસમનો 30.78 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 10.70 ઈંચ સાથે મોસમનો 33.79 ટકા સૌરાષ્ટ્રમાં 9.25 ઈંચ સાથે મોસમનો 33.47 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 22.55 ઈંચ સાથે મોસમનો સરેરાશ 39.18 ટકા વરસાદ નોંધાયો છે.

Read the Next Article

અંકલેશ્વર: ખરોડ પબ્લિક સ્કૂલમાં શિક્ષિકાએ વિદ્યાર્થીને મારતા 2 ટંકા લેવાની ફરજ પડી, આચાર્યાએ ભૂલ સ્વીકારી

અંકલેશ્વરની ખરોડ પબ્લિક સ્કૂલમાં વિદ્યાર્થીને શિક્ષક દ્વારા માર મરાતા વિવાદ જોવા મળ્યો હતો. વિદ્યાર્થીને હાથમાંથી લોહી નીકળતા હોસ્પિટલમાં લઈ જતા બે ટાંકા લેવાની ફરજ પડી હતી

New Update
  • અંકલેશ્વરની ખરોડ પબ્લિક સ્કૂલનો બનાવ

  • શિક્ષિકા દ્વારા વિદ્યાર્થીને મરાયો માર

  • વિદ્યાર્થીને હાથના ભાગે 2 ટાંકા આવ્યા

  • આચાર્યાએ ભૂલ સ્વિકારી

  • ભવિષ્યમાં આવી ઘટના ન બને એવી બાંહેધરી આપી

અંકલેશ્વરની ખરોડ પબ્લિક સ્કૂલમાં વિદ્યાર્થીને શિક્ષક દ્વારા માર મરાતા વિવાદ જોવા મળ્યો હતો. વિદ્યાર્થીને હાથમાંથી લોહી નીકળતા હોસ્પિટલમાં લઈ જતા બે ટાંકા લેવાની ફરજ પડી હતી
અંકલેશ્વરમાં આવેલી જાણીતી ખરોડ પબ્લિક સ્કૂલનો વિવાદ સામે આવ્યો છે.ખરોડ પબ્લિક સ્કૂલમાં ધોરણ 6માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને શાળામાં શિક્ષિકા દ્વારા ફૂટપટ્ટી વડે માર મારવામાં આવ્યો હતો. જેના પગલે બાળકના હાથમાંથી લોહી વહી રહ્યું હતું. પરિવારજનો બાળકને હોસ્પિટલ લઈ જતા તેના હાથના ભાગે બે ટાંકા લેવાની ફરજ પડી હતી.આ અંગે પરિવારજનો દ્વારા શાળામાં રજૂઆત કરવામાં આવતા શાળાના આચાર્ય ડોક્ટર અંજલી કુલશ્રેષ્ઠ દ્વારા શિક્ષિકાની ભૂલ સ્વીકારવામાં આવી હતી. 
આચાર્યા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વિદ્યાર્થી ક્લાસમાં ખૂબ જ તોફાન કરી રહ્યો હતો તેને ડરાવવા જતા શિક્ષક દ્વારા ફૂટપટ્ટી વાગી ગઈ હતી જો કે ક્લાસમાં ફૂટપટ્ટી લઇ જવાની મનાઈ છે પરંતુ શિક્ષક શાળામાં નવા હોવાથી તેમને ખ્યાલ ન રહ્યો માટે આ ઘટના બની છે. ભવિષ્યમાં આવી ઘટના ન બને એનું ધ્યાન રાખવામાં આવશે.
Latest Stories