ગુજરાતમાં કોરોના વેન્ટિલેટર પર છેલ્લા 24 કલાકમાં કોરોનાના 24 કેસ નોંધાયા

New Update

ગુજરાતમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 24 કેસ નોંધાયા છે. દરમિયાન 24 કલાકમાં 31 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ સુધરીને 98.75 ટકા થયો છે. રાજ્યમાં આજે સાંજે 5 વાગ્યા સુધીમાં 5,81,446 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

હાલમાં અત્યાર સુધી 206 કુલ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. જે પૈકી 06 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 200 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 8,14,696 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવી ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 10076 લોકોનાં મોત થઇ ચુક્યા છે.

આજે અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરત કોર્પોરેશનમાં 6, વડોદરા કોર્પોરેશનમાં 5, તાપીમાં બે, અમદાવાદમાં એક, બનાસકાંઠામાં એક, ભરૂચમાં એક, ભાવનગરમાં એક, દાહોદમાં એક, જૂનાગઢમાં એક, વડોદરામાં એક, વલસાડમાં કોરોનાનો એક કેસ નોંધાયો હતો.

રાજ્યમાં એક જ દિવસમાં પાંચ લાખથી વધુ લોકોનું રસીકરણ

રાજ્યમાં રસીકરણની વાત કરીએ તો હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 161 લોકોને પ્રથમ ડોઝ અને 7561 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. 45 થી વધારેની ઉંમરના 114563 નાગરિકોને રસીનો પ્રથમ અને 73187 નાગરિકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. 18-45 વર્ષના નાગરિકોને 3,52,483 દર્દીઓને રસીનો પ્રથમ જ્યારે 33491 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. આ પ્રકારે આજના દિવસમાં કુલ 5,81,446 નાગરિકોનું આજના દિવસમાં રસીકરણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં કુલ 3,50,01,034 ડોઝ અપાઇ ચુક્યા છે

Read the Next Article

બનાસકાંઠા : પાલનપુરમાં અંતિમ ચિઠ્ઠી લખીને પોલીસ કોન્સ્ટેબલના આપઘાતથી ચકચાર

બનાસકાંઠના પાલનપુરના જગણા ગામે પોલીસ કોન્સ્ટેબલ વિંદલરાજ ચૌહાણે પોતાના જ ખાતાના ઉચ્ચ અધિકારીઓ પર માનસિક ત્રાસ આપવાનો આરોપ લગાવી ગળે ફાંસો ખાઇ આપઘાત કર્યો હતો.

New Update
  • પાલનપુરમાં પોલીસકર્મીનો આપઘાત

  • અંતિમ ચિઠ્ઠી લખીને કર્યો આપઘાત

  • ગળે ફાંસો ખાઈને જીવનલીલા સંકેલી 

  • પોલીસ અધિકારીઓ પર લગાવ્યો આક્ષેપ

  • ગુજરાત પોલીસ બેડામાં ચકચાર

  • પરિવારજનોએ કરી યોગ્ય ન્યાયની માંગણી

બનાસકાંઠાના પાલનપુરના જગણા ગામે પોલીસ કોન્સ્ટેબલ વિંદલરાજ ચૌહાણે મોડી રાત્રે ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો,જોકે તેઓએ અંતિમ ચિઠ્ઠી લખીને પોલીસ અધિકારીઓ અને મેડિકલ ઓફિસર સામે ગંભીર આક્ષેપ કર્યા હતા.

બનાસકાંઠના પાલનપુરના જગણા ગામે પોલીસ કોન્સ્ટેબલ વિંદલરાજ ચૌહાણે પોતાના જ ખાતાના ઉચ્ચ અધિકારીઓ પર માનસિક ત્રાસ આપવાનો આરોપ લગાવી ગળે ફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. કોન્સ્ટેબલ આત્મહત્યા કરતા પહેલા એક સુસાઇડ નોટ લખી હતી,જેમાં પોલીસ અધિકારીઓ દ્વારા ત્રાસ આપવાની વાતનો ચોંકાવનારો ખુલાસો કર્યો હતો.

ઘટના સંદર્ભે પરિવારજનોએ પણ ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીઓ પર આરોપ લગાવ્યો છે. પરિવારે કહ્યુ કેવિંદલરાજે આપઘાત કરતા પહેલા એક સુસાઇડ નોટ લખી હતી. જેમાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાનો ઉલ્લેખ કર્યો હતો. સુસાઈડ નોટમાં લખ્યું છે કે,અધિકારીઓ માનસિક ત્રાસ આપી રહ્યા છે, SP વિકાસ સુડા અને PI બી.પી.ખરાડી સામે આક્ષેપ કર્યો છે. આ સાથે નલિયા CHCના મેડિકલ ઓફિસર સામે પણ આક્ષેપ કરવામાં આવ્યા છે.

સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ મૃતક પોલીસ કોન્સ્ટેબલ વિંદલરાજ ચૌહાણ સામે કચ્છમાં પ્રોહિબિશનનો કેસ નોંધાયેલો હતો.અને ત્યાર બાદ તેની ટ્રાન્સફર સુરત ગ્રામ્યમાં કરવામાં આવી હતી.

ગુજરાત પોલીસમાં ચકચાર જગાવનાર કોન્સ્ટેબલના ચકચારી આપઘાતની ઘટનામાં બનાસકાંઠા ASP સુબોધ માનકર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પોલીસ કોન્સ્ટેબલ  વિંદલરાજ ચૌહાણના આપઘાત મુદ્દે અકસ્માત મોત અંગેની ફરિયાદ દાખલ કરવામાં આવી છેવિંદલરાજ ચૌહાણ સામે પ્રોહીબીશનનો કેસ નોંધવામાં આવ્યો હતો,અને તેમની બદલી સુરત ગ્રામ્યમાં કરવામાં આવી હતી.હાલમાં પોલીસને કોઈ સ્યુસાઇડ નોટ મળી નથી.તેમજ આ ઘટના અંગે તપાસ કરવામાં આવી રહી છે.

 

Latest Stories