સાબરકાંઠા: પ્રાંતિજમાં એક મહિનાથી હજારો લીટર પાણીનો વેડફાટ

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ભાંખરીયા બસસ્ટેશન પાસે છેલ્લા એક મહિનાથી પાણીની લાઈનમાં લીકેજ હોવા છતાં નગરપાલિકા દ્વારા સમારકામ ન કરાવવામાં આવતા હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે.

New Update

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ભાંખરીયા બસસ્ટેશન પાસે છેલ્લા એક મહિનાથી પાણીની લાઈનમાં લીકેજ હોવા છતાં નગરપાલિકા દ્વારા સમારકામ ન કરાવવામાં આવતા હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે.

સાબરકાંઠાના પ્રાંતિજ ખાતે નગર પાલિકા દ્રારા છેલ્લા એક મહિનાથી પાણીના લીકેજને લઈને  સ્વામિવિવેકાનંદ કોમ્પ્લેક્ષ આગળ ખાડો કરવામા આવ્યો છે અને ખાડો કર્યા બાદ પાલિકા જાણે લીકેજનુ કામ કરવાનુ ભુલી ગઈ હોય તેમ લાગી રહ્યુ છે અને રોજના હજારો લિટર શુધ્ધ પાણીનો વ્યય થાય છે તો બીજી બાજુ કોમ્પલેક્ષના વેપારીઓ દ્રારા પ્રાંતિજ પાલિકામાં દુકાન આગળ રહેલ  ખાડાને દુર કરવા રજુઆત કરવામાં આવી હતી આમ છતાં નગરપાલિકા દ્વારા કોઈ કામગીરી ન કરવામાં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે
Read the Next Article

ભરૂચ: અંગારેશ્વર ગામે વાલ્મિકી સમાજના પરિવાર પર વિધર્મીઓ દ્વારા અત્યાચારના આક્ષેપ,કલેકટરને આવેદનપત્ર પાઠવાયું

ભરૂચના સામાજિક સમરસતા મંચ દ્વારા અંગારેશ્વર ગામે વાલ્મિકી સમાજના પરિવાર પર વિધર્મીઓ દ્વારા અત્યાચાર ગુજરાયો હોવાના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

New Update
  • ભરૂચ કલેકટરને પાઠવાયું આવેદનપત્ર

  • સામાજિક સમરસતા મંચ દ્વારા આવેદનપત્ર પાઠવાયું

  • પરિવાર પર અત્યાચાર ગુજારાયો હોવાના આક્ષેપ 

  • ન્યાય અપાવવા માંગ કરવામાં આવી

  • વિધર્મીઓ સામે કડક કાર્યવાહીની માંગ

ભરૂચના સામાજિક સમરસતા મંચ દ્વારા અંગારેશ્વર ગામે વાલ્મિકી સમાજના પરિવાર પર વિધર્મીઓ દ્વારા અત્યાચાર ગુજરાયો હોવાના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
ભરૂચના સામાજિક સમરસતા મંચ અને હીન્દુ આગેવાનો દ્વારા આજરોજ ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતું જેમાં જણાવ્યા અનુસાર ભરૂચ તાલુકાના અંગારેશ્વર ગામે રહેતા  જગદીશ સોલંકીના ઘરે નિકોરા ગામમા રહેતા તોસીફ  રાજ, સબ્બીર, મોઈન, સલીમ તથા સરફરાજ સહિતના શખ્સોએ જગદીશભાઈની દિકરી જમાઈને મકાન ખાલી કરી દેવા ધમકી આપી હતી ત્યાર બાદ બીજા દિવસે તોસિફ રાજ અને અન્ય શખ્સોએ જેસીબીથી મકાન તોડી પાડી દીકરીને માર માર્યો હતો અને શારીરિક અડપલા પણ કર્યા હોવાના આક્ષેપ કર્યા છે.મકાન અંગેનો મામલો કોર્ટમાં હોવા છતાં માથાભારે ઈસમો દાદાગીરી કરી રહ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે ત્યારે આ સમગ્ર મામલે સામાજિક સમરસતા મંચ અને હિન્દૂ સંગઠનો દ્વારા ન્યાયની માંગ કરવામાં આવી છે