સાબરકાંઠા: પ્રાંતિજમાં એક મહિનાથી હજારો લીટર પાણીનો વેડફાટ

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ભાંખરીયા બસસ્ટેશન પાસે છેલ્લા એક મહિનાથી પાણીની લાઈનમાં લીકેજ હોવા છતાં નગરપાલિકા દ્વારા સમારકામ ન કરાવવામાં આવતા હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે.

New Update

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ભાંખરીયા બસસ્ટેશન પાસે છેલ્લા એક મહિનાથી પાણીની લાઈનમાં લીકેજ હોવા છતાં નગરપાલિકા દ્વારા સમારકામ ન કરાવવામાં આવતા હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે.

સાબરકાંઠાના પ્રાંતિજ ખાતે નગર પાલિકા દ્રારા છેલ્લા એક મહિનાથી પાણીના લીકેજને લઈને  સ્વામિવિવેકાનંદ કોમ્પ્લેક્ષ આગળ ખાડો કરવામા આવ્યો છે અને ખાડો કર્યા બાદ પાલિકા જાણે લીકેજનુ કામ કરવાનુ ભુલી ગઈ હોય તેમ લાગી રહ્યુ છે અને રોજના હજારો લિટર શુધ્ધ પાણીનો વ્યય થાય છે તો બીજી બાજુ કોમ્પલેક્ષના વેપારીઓ દ્રારા પ્રાંતિજ પાલિકામાં દુકાન આગળ રહેલ  ખાડાને દુર કરવા રજુઆત કરવામાં આવી હતી આમ છતાં નગરપાલિકા દ્વારા કોઈ કામગીરી ન કરવામાં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે
Read the Next Article

અંકલેશ્વર: ONGCમાં નોકરીના બહાને રૂ.1.84 કરોડની છેતરપીંડીમાં ફરિયાદી જ આરોપી નિકળ્યો, પોલીસે કરી ધરપકડ

આરોપીએ વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચ આપી અનેક લોકોને ફસાવ્યા હતા...

New Update
ONGC Fraud
અંકલેશ્વર ONGC માં અલગ અલગ સ્થળે 90 લોકોને નોકરીની લાલચ આપી 1.84 કરોડની ઠગાઈમાં વોન્ટેડ આરોપી ઝડપાતા ફરિયાદી પણ આરોપી હોવાનો થયો ધડાકો અંકલેશ્વરની ONGC કંપનીમાં સિક્યોરિટીમાં રાજ્યમાં અલગ અલગ સ્થળે નોકરીની લાલચે 90થી વધુ લોકો સાથે આચરાયેલા રૂપિયા 1.84 કરોડના કૌભાંડમાં ફરિયાદી પણ આરોપી નીકળ્યો છે. 
અંકલેશ્વરની અમૃતકુંજ સોસાયટીમાં રહેતા ફરિયાદી એવા આરોપી ઘનશ્યામસીધ રાજપુતની અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી લીધી છે. વર્ષ 2022 થી 2024 માં વિરાટ નગર રહેતા ઓગસ્ત હરદેવ પાંડે એ પોતે નેશનલ ઇન્વેસ્ટીગેશન સિક્યુરીટી સર્વીિસ NISS કંપનીના મેનેજર તરીકેની ખોટી ઓળખ આપી હતી. વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચમાં લોકોને ફસાવ્યા હતા.
NISS કંપનીના બોગસ જોઇનીંગ લેટર અને આઇ કાર્ડ બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી વિશ્વાસમાં લઇ હાલના આરોપી એવા ફરિયાદીના પરિવારના 10 લોકો સહિત કુલ 50 જેટલા લોકો પાસેથી રૂપિયા 1.04 કરોડ પડાવ્યા હતા.સાથે જ ઠાકોરભાઇ આહીર અને તેની સાથેના 40 અન્ય લોકો પાસેથી દરેકના બે લાખ લેખે આશરે ₹80 લઇ નોકરીએ નહિ લગાવી નાસી છૂટ્યો હતો. જે આરોપી અગસ્ત પાંડે પકડાતા તેને પોલીસ સમક્ષ આ કૌભાંડમાં ફરિયાદી એવો ઘનશ્યામ સિંઘ પણ સામેલ હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. એ ડિવિઝન પોલીસે ફરિયાદીની આરોપી તરીકે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.