વલસાડ : ભીલાડ ખાતે GHCL ફાઉન્‍ડેશન ટ્રસ્‍ટ તથા EDII સંસ્‍થા દ્વારા ઉદ્યોગ સાહસિકતા જાગૃતિ કાર્યકમ યોજાયો

New Update

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં ભીલાડ ખાતે ગત. તા ૨ જુલાઈના રોજ ગુજરાત હેવી કેમિકલ લિમિટેડ ફાઉન્‍ડેશન ટ્રસ્‍ટ તથા એંટરપ્રિન્‍યોરશિપ ડેવલપમેન્‍ટ ઇન્‍સ્‍ટિટયૂટ ઓફ ઈન્‍ડિયા (ઇ.ડી.આઈ.આઈ.) સંસ્‍થા દ્વારા ઉદ્યોગ સાહસિકતા જાગૃતિ કાર્યકમ યોજાયો હતો.

ઇ.ડી.આઈ.આઈ., સંસ્‍થા ટોચની નાણાકીય સંસ્‍થાઓ દ્વારા પ્રાયોજિત છે. જેનો મુખ્‍ય હેતુ નવી જનરેશન મુજબ વિકાસલક્ષી સાહસો માટે ઉદ્યમી શિક્ષણ, તાલીમ, સપોર્ટ અને સંશોધનને વેગ આપવાનો છે. ગ્રામીણ વિસ્‍તારમાં રેહતા કારીગરોને ઓળખવા અને તેઓની કલાને તાલીમ અને અન્‍ય સહયોગ આપી તેઓની આજીવિકામાં વૃદ્ધિ કરવાનો છે.

આ સંસ્‍થાના ગાંધીનગરથી તાલીમ માટે આવેલા પ્રકાશ સોલંકીએ સંસ્‍થાનો પરિચય આપતાં જણાવ્‍યું હતું કે, આ સંસ્‍થા દ્વારા ઉદ્યોગ સાહસિકોને ધંધા માટે લોન, ઉત્‍પાદનના વેચાણ માટે બજાર સાથે સંકલન કરવા બાબત અને વિવિધ સરકારી સહાય યોજનાઓની જાણકારી આપી હતી. તાલીમાર્થીઓને વાપી અને વલસાડથી બીનોદભાઈ, હેમંતભાઈ અને રાજેન્‍દ્રભાઈ દ્વારા તાલીમ આપવામાં આવી હતી.

આ ઉપરાંત તાલીમાર્થીઓને આગામી સમયમાં પાંચ દિવસની ઉદ્યોગ સાહસિક તાલીમ બાબતે વિસ્‍તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ તાલીમમાં ફાઉન્‍ડેશનના કાર્ય વિસ્‍તારના કુલ 30 જેટલા ભાઈઓ-બહેનોએ ભાગ લીધો હોવાનું જી.એચ.સી.એલ ફાઉન્‍ડેશન ટ્રસ્‍ટ ભીલાડ દ્વારા જણાવાયું છે.

Read the Next Article

નવસારી : નવનિયુક્ત સરપંચ અભિવાદન સમારોહ યોજાયો,કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે મહત્વપૂર્ણ આપ્યો સંદેશ

નવસારી શહેરમાં નવનિયુક્ત સરપંચ અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું,આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

New Update
  • નવસારીમાં યોજાયો સરપંચ સમારોહ

  • કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ રહ્યા ઉપસ્થિત

  • કેન્દ્રીય મંત્રીએ આપ્યો મહત્વપૂર્ણ સંદેશ

  • સરપંચોને ગામના વિકાસમાં ધ્યાન આપવા જણાવ્યું

  • કોન્ટ્રાકટર નહીં પરંતુ સરપંચ બનીને કામ કરવા કરી ટકોર

નવસારી શહેરમાં નવનિયુક્ત સરપંચ અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું,આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

નવસારી શહેરમાં નવનિયુક્ત સરપંચ અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું,આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે સરપંચોને મહત્વપૂર્ણ સંદેશ આપ્યો હતો. તેમણે સરપંચોને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે તેઓ ગ્રાન્ટનો ઉપયોગ માત્ર ગામના વિકાસ માટે જ કરે.

સાંસદે ભૂતકાળની ઘટનાઓનો ઉલ્લેખ કરતા કહ્યું કે ગુજરાત રાજ્ય અને નવસારી જિલ્લામાં કેટલાક સરપંચો જાતે જ ટેન્ડરિંગ પ્રક્રિયામાં ભાગ લઈને કોન્ટ્રાક્ટર બની જતા હોવાની ફરિયાદો મળી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ગ્રામજનોએ સરપંચોને ગામનો વિકાસ કરવા માટે ચૂંટ્યા છેજાતે કામ કરવા માટે નહીં.

ભાજપ સમર્પિત સરપંચોને સાંસદે વિશેષ અપીલ કરી કે તેઓ કોન્ટ્રાક્ટર બનવાનું ટાળે અને પોતાની જવાબદારીઓનું યોગ્ય રીતે વહન કરે. આ સાથે તેમણે ગામના સર્વાંગી વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ આપી હતી.