ગીર સોમનાથ : સુત્રાપાડાના સમુદ્રકાંઠે 57.50 લાખની કિંમતનું 1150 ગ્રામ બિનવારસી ચરસ મળી આવતા ચકચાર

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાના GHCL કંપની નજીકના સમુદ્ર કિનારેથી અફઘાન પ્રોડક્ટનું 1150 ગ્રામનું ચરસનું પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યું છે.

અમદાવાદ : શહેર પોલીસ કમિશનરના અધ્યક્ષસ્થાને  યોજાઇ ક્રાઇમ કોન્ફરન્સ,કાયદો અને વ્યવસ્થા અંગે કરાઈ સમીક્ષા

અમદાવાદ શહેરમાં બનતી ગુનાહિત પ્રવૃત્તિઓ ડામવા માટે પોલીસ કમિશનર જી.એસ.મલિકના અધ્યક્ષસ્થાને ક્રાઈમ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું.

અંકલેશ્વર: ભડકોદ્રા ગામ ખાતે ધરતી આબા જનજાતિય ગામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત કેમ્પ યોજાયો

અંકલેશ્વર તાલુકાના ભરકોદરા ગામ ખાતે ધરતી આબા જનજાતિય ગામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સરકારની વિવિધ યોજનાઓનો લાભ લાભાર્થીઓને સ્થળ પર જ આપવામાં આવ્યો હતો

અંકલેશ્વર: ગડખોલ ઓવરબ્રિજનું માર્ગ અને મકાન વિભાગ દ્વારા અત્યાધુનિક ટેક્નોલોજીના ઉપયોગથી મજબૂતીકરણ કરવામાં આવ્યું

સ્ટીલ ફાઇબર જેવી નવીન ટેક્નોલોજીનો ઉપયોગ કરી રીચ કોંક્રીટ કરી ટ્રીમીક્ષ કરવામાં આવ્યું છે. બ્રીજની મજબૂતીકરણ કામગીરી અત્યાધુનિક ટેકનોલોજીની મદદથી કરવામાં આવી

નવસારી : જૂજ ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ,તો વહીવટી તંત્રએ 27 ગામોને કરાયા એલર્ટ

નવસારી જિલ્લાના જીવનદાયી જૂજ ડેમમાં પાણીની સપાટી 167.55 મીટર સુધી પહોંચી છે. ડેમમાં 84.650 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે.

ભરૂચ: આમોદ નગરપાલિકા કચેરી સામે જ ગંદકીના દ્રશ્યો, સ્વરછતા અભિયાન માત્ર કાગળ પર !

ભરૂચની આમોદ નગરપાલિકા કચેરી સામે જ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળતા સ્વરછતા અભિયાનનો છેદ ઉડી રહ્યો છે તો બીજી તરફ સ્થાનિકો પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે

“પર્યાવરણનું જતન” : અંકલેશ્વરના સ્વર્ણિમ લેક્વ્યુ પાર્ક ખાતે લાયન્સ ક્લબ અને પાલિકા દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો…

અંકલેશ્વર શહેરમાં વોર્ડ વાઈઝ નાગરિકોને સોસાયટીઓમાં રહેતા લોકો પોતાના કમ્પાઉન્ડમાં ઘરે ઘરે એક એક વૃક્ષ વાવવા માટે પ્લાન્ટનું વિતરણ કરવાનું પણ આયોજન કરવામાં આવ્યું