અટલ બિહારી વાજપેયીની આજે પુણ્યતિથિ, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાને આપી શ્રદ્ધાંજલિ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પૂર્વ રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે તેમની સમાધિ સ્થાન 'સદૈવ અટલ' પર પહોંચીને શ્રદ્ધાંજલિ આપી હતી
BY Connect Gujarat Desk16 Aug 2022 6:06 AM GMT
X
Connect Gujarat Desk16 Aug 2022 6:06 AM GMT
આજે પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની ચોથી પુણ્યતિથિ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પૂર્વ રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે તેમની સમાધિ સ્થાન 'સદૈવ અટલ' પર પહોંચીને શ્રદ્ધાંજલિ આપી હતી. આ તમામ નેતાઓ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પણ શ્રદ્ધાંજલિ આપી હતી. હાલમાં મોટા નેતાઓના આવવાની પ્રક્રિયા ચાલુ છે. તમને જણાવી દઈએ કે 16 ઓગસ્ટ 2018ના રોજ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું 93 વર્ષની વયે અવસાન થયું હતું.
Next Story