તામિલનાડુના કન્નુરના જંગલમાં બુધવારે બપોરે લગભગ 12:20 વાગ્યે સેનાનું MI-17V5 હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું. ગાઢ જંગલમાં હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયા પછી તેમાં આગ લાગી ગઈ હતી. જેમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવત, તેમના પત્ની મધુલિકા સહિત સેનાના 14 ઓફિસર સવાર હતા. રિપોર્ટ્સ મુજબ અત્યાર સુધીમાં 11 મૃતદેહ મળી આવ્યાં છે.દુર્ઘટના પછી લગભગ એક કલાક બાદ આ જાણકારી આપવામાં આવી કે જનરલ રાવતને વેલિંગ્ટનની મિલિટ્રી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. તેમની હાલત કેવી છે, આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. કેટલાંક રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે જનરલ બિપિન રાવત ગંભીર રીતે ઘાયલ છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહ જનરલ રાવતના દિલ્હી સ્થિતિ ઘરે તેમના પરિવારને મળવા પહોંચ્યા હતા. આ દુર્ઘટના અંગે તેઓ સંસદમાં ગુરુવારે નિવેદન આપશે.
હેલિકોપ્ટર ક્રેશ: રક્ષા મંત્રી રાજનાથસિંહ જનરલ બિપિન રાવતના પરિવારને મળ્યા,આવતીકાલે સંસદમાં નિવેદન આપે એવી શક્યતા
તામિલનાડુના કન્નુરના જંગલમાં બુધવારે બપોરે લગભગ 12:20 વાગ્યે સેનાનું MI-17V5 હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું.
New Update