Connect Gujarat
દેશ

મોદી સરકારનું વધુ એક રાહત પેકેજ, કોવિડ પ્રભાવિત સેક્ટર માટે રૂપિયા 1.1 લાખ કરોડની જાહેરાત

મોદી સરકારનું વધુ એક રાહત પેકેજ, કોવિડ પ્રભાવિત સેક્ટર માટે રૂપિયા 1.1 લાખ કરોડની જાહેરાત
X

નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કોવિડ પ્રભાવિત સેક્ટર માટે 1.1 લાખ કરોડ રૂપિયાની જાહેરાત કરી છે. કોરોના મહામારીમાંથી પ્રભાવિત ભારતીય અર્થવ્યવસ્થામાં નવો જીવ પુરવા માટે ઘણી મોટી જાહેરાત કરવામાં આવી રહી છે.આના સિવાય હેલ્થ સેક્ટર માટે 50 હજાર કરોડ રૂપિયાની જાહેરાત કરી છે. આ રકમ નોન મેટ્રો મેડિકલ ઇન્ફ્રા માટે ખર્ચ કરવામાં આવશે. કોરોના મહામારીની બીજી લહેરના કારણે ઘણા સેક્ટર્સ સંકટમાં છે અને આ અંગે સરકાર પાસેથી સહાયતા પણ માગવામાં આવી રહી છે.

છેલ્લા કેટલાક દિવસોમાં સરકારે પણ સંકેત આપ્યા હતા કે એ સેક્ટર્સને સહાયતા કરવા માટે સરકાર વિચાર કરી શકે છે, જે સૌથી વધુ સંકટમાં છે.નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે 8 આર્થિક રાહત પેકેજો અંગે પણ જાહેરાત કરાશે. તેમણે જણાવ્યું હતું કે આમાંથી 4 એકદમ નવા છે અને એક ખાસ કરીને હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે છે.કોરોના મહામારીના કારણે ગત વર્ષે કેન્દ્ર સરકારે દેશની ઇકોનોમીને સંભાળવા માટે આત્મનિર્ભર ભારત પેકેજની જાહેરાત કરી હતી. સરકારનું આ રાહત પેકેજ કુલ 27.1 લાખ કરોડ રૂપિયાનું છે, જે કુલ GDPના 13 ટકાથી પણ વધુ હતું.

સરકાર આ નવા પેકેજ દ્વારા એવા સેક્ટરને મદદ પહોંચાડવાની કોશિશ કરી શકે છે, જે તાજેતરના રાજ્યોએ આપેલા લોકડાઉનથી પ્રભાવિત થયા છે. બ્લૂમબર્ગના એક રિપોર્ટ અનુસાર જે સેક્ટરને આ રાહત પેકેજનો ફાયદો મળી શકે છે, તેમાં ટુરિઝમ, એવિએશન અને હોસ્પિટાલિટીનો સમાવેશ થાય છે.

Next Story