ભરૂચ: સમસ્ત વાલ્મીકી સમાજ સેવા વિકાસ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા ત્રૃતિય સમુહ લગ્નોત્સવ યોજાયો

New Update
ભરૂચ: સમસ્ત વાલ્મીકી સમાજ સેવા વિકાસ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા ત્રૃતિય સમુહ લગ્નોત્સવ યોજાયો

ભરૂચ અને તેની આસપાસના સહિત ગુજરાતના ૧૧ જોડાએ પ્રભુતામાં પગલા પાડ્યા

સંતો સહિત ધારાસભ્ય અને અગ્રણીઓએ નવ પરણિત જોડાને આશીર્વાદ આપી શુભકામના પાઠવી

ભરૂચ ખાતે સમસ્ત વાલ્મીકી સમાજ સેવા વિકાસ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા ત્રીજો સમુહ લગ્નોત્સવ યોજવામાં આવ્યો હતો. જેમાં ગુજરાતભરમાં વસતા સમાજના ૧૧ જોડાઓએ પોતાના નામ નોંધાવી પ્રભુતામાં પગલા પાડ્યા હતા.

આ સમુહલગ્નોત્સવમાં નવ દંપત્તિઓને આશીષ આપવા માટે મુક્તાનંદ સ્વામી, ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઇ પટેલ, ચેનલ નર્મદાના ડીરેકટર નરેશભાઇ ઠક્કર, હેમંત પટેલ, સમાજના અગ્રણી સતીશભાઇ ચૌહાણ, ભરૂચના ત્રણ વાલ્મીકી સમાજના સંત ભાસ્કર ભગત, હરીશદાદા, બચુભાઇ સોલંકી સહિત RSSની સમગ્ર ટીમ ઉપસ્થીત રહી હતી.

સતત બે વર્ષની ભારે જહેમત અને સફળતા બાદ વાલ્મીકી સમાજ સેવા વિકાસ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા આ વર્ષે તૃતિય સમુહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું.જેને સફળ બનાવવવા પ્રમુખ કિરણભાઇ સોલંકી તેમજ મહામંત્રી ધર્મેશ બચુભાઇ સોલંકી દ્વારા ભારે જહેમત ઉઠાવાઇ હતી.

Read the Next Article

અંકલેશ્વર: વાલિયા ચાર રસ્તા પર 2 બાઈક સામ સામે ભટકાય, પત્નિનું મોત-પતિ સહિત 2 લોકોને ઇજા

ભરૂચના વાલિયા ગામના ચાર રસ્તા પાસે બે બાઇક સામસામે ભટકાતા એક યુવતીનું ગંભીર ઇજાઓને પગલે ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.જ્યારે પતિ સહિત બે વ્યક્તિને ઇજા પહોંચી હતી.

New Update
  • ભરૂચના વાલિયામાં સર્જાયો અકસ્માત

  • વાલિયા ચાર રસ્તા પર અકસ્માત સર્જાયો

  • 2 બાઈક સામસામે ભટકાય

  • બાઈક સવાર પત્નીનું મોત

  • પતિ સહિત 2 લોકોને પહોંચી ઇજા

ભરૂચના વાલિયા ગામના ચાર રસ્તા પાસે બે બાઇક સામસામે ભટકાતા એક યુવતીનું ગંભીર ઇજાઓને પગલે ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.જ્યારે પતિ સહિત બે વ્યક્તિને ઇજા પહોંચી હતી.
સાગબારાના જાવલી ગામના અને હાલ ભરૂચના વાલિયા ગામની સિલુડી ચોકડી પાસે બ્લોક બનાવતી ફેક્ટરીમાં રહેતી 30 વર્ષીય શર્મિલા વસાવા પોતાના પતિ વિશાલ વસાવા સાથે બાઈક  વતનમાં જવા માટે નીકળ્યા હતા તે દરમિયાન વાલિયા ગામના ચાર રસ્તા પાસે સામેથી પૂરપાટ ઝડપે આવતી ભિલોડ ગામના રોશન રવજી વસાવાની બાઈક ભટકાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગંભીર ઇજાઓને પગલે દંપતી સહિત ત્રણેય ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે વાલિયાના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં ટૂંકી સારવાર દરમિયાન શર્મિલાબહેનનું કરુણ મોત નીપજ્યું હતું.જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત રોશન વસાવાને વધુ સારવાર માટે અંકલેશ્વરના ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.અકસ્માત અંગે વાલિયા પોલીસે તપાસ હાથ ધરી છે.