અમદાવાદ : માતાએ જ બાળકને 9માં માળેથી ફેંકી કરી હત્યા, કરતૂત છુપાવવા માતાએ બાળકને ફેંકી દીધું

નવજાત બાળકની લાશ છૂંદાઈ ગયેલ હાલતમાં ગ્રાઉન્ડ ફ્લોર પરથી મળી આવી હતી. આથી લાશને પીએમ અર્થે મોકલી હતી.

New Update

અમદાવાદનાં ચાંદખેડા વિસ્તારમાં આવેલા સ્કાય વોક એપાર્ટમેન્ટમાં ગત રોજ 9માં માળેથી ફેકીને બાળકીની હત્યા કરી દેવામાં આવી હતી. બનાવના પગલે ચાંદખેડા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો. જ્યાં નવજાત બાળકની લાશ છૂંદાઈ ગયેલ હાલતમાં ગ્રાઉન્ડ ફ્લોર પરથી મળી આવી હતી. આથી લાશને પીએમ અર્થે મોકલી હતી. બીજી બાજુ પોલીસ દ્વારા તપાસ કરતાં એપાર્ટમેન્ટમાં 9માં માળે રહેતી એક યુવતી પર શંકા ગઈ હતી.

Advertisment W3.CSS
" max-width="100%" class="video-element note-video-clip" height="360">

જેથી FSLની ટીમે ઘરમાં તપસ કરતાં બાથરૂમમાંથી બ્લડના ધાબા મળી આવ્યા હતા. આથી પોલીસે મકાનમાં રહેતી યુવતીની પૂછપરછ કરતાં તેને કબૂલ્યું હતું કે નવજાત બાળક તેનું છે. પ્રેમ સબંધમાં બાળક રહી ગયું હોવાની કબૂલાત કરી હતી. આથી ચાંદખેડા પોલીસની ટીમે તેની સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરી હતી.

Read the Next Article

અમદાવાદ: સાણંદમાં 19 વર્ષીય યુવકની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી

પાનના ગલ્લા ઉપર જ 19 વર્ષીય યુવકનેછરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. 19 વર્ષીય ભરત બળદેવભાઈ પટેલ જેની પ્રેમ સંબંધના કારણે હત્યાનિપજાવી કાઢવામાં આવી

New Update
Sanand Murder
અમદાવાદ ગ્રામ્યના સાણંદ વિસ્તારમાં 19 વર્ષીય યુવકનીહત્યા થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. સમગ્ર ઘટનાની જાણ સાણંદ GIDC પોલીસે તપાસ કરતાહત્યાનો આરોપી કાયદાના સંઘર્ષમાં આવેલો સગીર નિકળ્યો છે. જેણે પાનના ગલ્લા ઉપર જ 19 વર્ષીય યુવકનેછરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. 19 વર્ષીય ભરત બળદેવભાઈ પટેલ જેની પ્રેમ સંબંધના કારણે હત્યાનિપજાવી કાઢવામાં આવી છે.
Advertisment
મૃતક યુવક સાણંદ તાલુકાના જોલાપુર ગામમાં પાનનો ગલ્લોચલાવતો હતો. 21મી મેના રાત્રે મૃતક જ્યારે પાનના ગલ્લે બેઠો હતો ત્યારે સગીરયુવક ત્યા આવ્યો હતો. અને ગુટકા લેવાના બહાને મૃતક સાથે વાતચીત હાથ ઘરી હતી. મૃતકજ્યારે ગુટકા લેવા માટે બેધ્યાન થયો ત્યારે સગીરે તેની પાસે રહેલ છરીના 2-3 ઘા મૃતકની છાતીમાં ઝીંકી દીધા હતા.
આ ઘટના નજરે જોનાર વ્યક્તિઓએ તુરંત પોલીસને જાણ કરીને મૃતકનેપ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સારવાર માટે ખસેડ્યો હતો. જોકે ફરજ પર હાજર ડોક્ટરોએભરતને મૃત જાહેર કર્યો હતો. જેને લઈ સાણંદ GIDC પોલીસે ગુનો નોંધી તજવીજ હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીયછે કે મૃતક યુવકની પ્રેમ સંબંધમાં હત્યા કરવામાં આવી છે મૃતક ભરત અને સગીરની બહેન વચ્ચે છેલ્લા 2 વર્ષથી પ્રેમસંબંધ હતો અને અગાઉ 6 મહિના પહેલા જ સગીર યુવકે તેની બહેન સાથેના પ્રેમસંબંધ બાબતેમૃતક વચ્ચે માથાકૂટ થઈ હતી. જેમાં સગીર યુવકે તેની બહેન સાથે પ્રેમ સંબંધ ન રાખવાતેમજ વાતચીત ન કરવા માટે ધમકી આપી હતી.
Advertisment