ગીર સોમનાથમાં સોમનાથ મહાદેવ મંદિર ખાતે માસિક શિવરાત્રી મહોત્સવની કરાઈ ઉજવણી

New Update
ગીર સોમનાથમાં સોમનાથ મહાદેવ મંદિર ખાતે માસિક શિવરાત્રી મહોત્સવની કરાઈ ઉજવણી

સૌ કોઈ જાણે છે કે વર્ષમાં બાર શિવરાત્રી આવે છે. તેમાં બાર શિવરાત્રી પૈકી મહા માસમાં આવતી શિવરાત્રીનું વિશેષ મહત્વ છે. સામાન્યતઃ લોકો માત્ર મહા માસમાં આવતી શિવરાત્રી થી જ પરિચિત હોઈ છે. પરંતુ શિવ ભક્તો માટે વર્ષમાં આવતી પ્રત્યેક શિવરાત્રી ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. આ દિવસે ભક્તો ભિન્ન ભિન્ન દ્રવ્ય થી દેવાધિદેવ મહાદેવ પર અભિષેક કરી તેમને રીઝવવા નો પ્રયાસ કરે છે.

ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં આવેલ સોમનાથ મહાદેવ મંદિર ખાતે દર માસની તેરસ એટલે કે માસિક શિવરાત્રીએ રાત્રિના દેવાધિદેવ સોમનાથ મહાદેવ પર ભિન્ન ભિન્ન પ્રકારના દ્રવ્યોનો વૈદિક મંત્રોચ્ચાર સાથે અભિષેક કરવામાં આવે છે. ત્યારે સોમવારના રોજ રાત્રીના ૧૨ વાગ્યે સોમનાથ મહાદેવની આરતી કરવામાં આવી હતી. તો સાથેજ માસિક શિવરાત્રિ મહોત્સવની ભાવપુર્ણ ઉજવણી પણ કરવામાં આવી હતી. આ તકે રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, શહેર ભાજપ આગેવાન નિતિન ભારદ્વાજે સોમનાથ મહાદેવની પૂજા અર્ચના કરી હતી.

Read the Next Article

પંચમહાલ : હાલોલની આદિત્ય બિરલામાં કામદારના મોતથી હોબાળો,પરિવારજનોએ કંપની પાસે કરી વળતરની માંગ

પંચમહાલના હાલોલ પાસેની આદિત્ય બિરલા કંપનીમાં ફરજ બજાવતા એક કામદારની તબિયત લથડતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા.જોકે ટૂંકી સારવાર બાદ તેઓનું મોત નીપજ્યું હતું,

New Update
  • આદિત્ય બિરલા કંપનીનો બનાવવા

  • કામદારનું મોત થતાં કંપની બહાર હોબાળો

  • કંપનીમાં ફરજ દરમિયાન લથડી હતી તબિયત

  • પરિવારજનોએ ન્યાય માટે કરી માંગ

  • પરિવારજનોએ કંપની સામે કરી વળતરની માંગ

પંચમહાલ જિલ્લાના હાલોલ પાસેની આદિત્ય બિરલા કંપનીમાં ફરજ બજાવતા એક કામદારની તબિયત લથડતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા.જોકે ટૂંકી સારવાર બાદ તેઓનું મોત નીપજ્યું હતું,જેના કારણ મૃતકના પરિવારજનો સહિત કામદાર વર્ગે કંપની બહાર મૃતદેહ મૂકીને હોબાળો મચાવતા મામલો ગરમાયો હતો.

પંચમહાલ જિલ્લાના હાલોલ નજીક આવેલ આદિત્ય બિરલા કંપનીમાં કાલોલ તાલુકાના સુરેલી ગામનાં પટેલ કમલેશ છેલ્લા 30 વર્ષથી કામ કરતા હતા.કંપનીમાં ફરજ પર હતા તે દરમિયાન તેઓની તબિયત લથડી હતી.જેના કારણે તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા.જ્યાં બે દિવસની સારવાર બાદ કમલેશ પટેલનું કરૂણ મોત નીપજ્યું હતું.ઘટનના બાદ મૃતકના પરિવારજએ મૃતદેહને કંપની ગેટની પાસે મૂકી દઈને કંપની સામે રોષ વ્યક્ત કર્યો હતો,જ્યારે અન્ય કર્મચારીઓ પણ હોબાળો મચાવ્યો હતો. ઘટના અંગેની જાણ થતા જ પોલીસ કાફલો પણ કંપની પર દોડી આવ્યો હતો,જોકે મૃતકના પરિવારજનોએ કંપની પાસે યોગ્ય વળતરની માંગણી કરી હતી,જ્યારે પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા ન ખોરવા તે માટેના પ્રયાસો કર્યા હતા. 

Latest Stories