Connect Gujarat
ગુજરાત

બનાસકાંઠા : માંડવીથી અંબાજી જતી એસ.ટી બસમાં પ્રેમી પંખીડાના મૃતદેહ મળી આવતા ચકચાર...

બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે માંડવીથી અંબાજી જથી એસ.ટી બસમાં પ્રેમી પંખીડા મૃત હાલતમાં મળી આવતા ચકચાર મચી છે.

બનાસકાંઠા : માંડવીથી અંબાજી જતી એસ.ટી બસમાં પ્રેમી પંખીડાના મૃતદેહ મળી આવતા ચકચાર...
X

બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે માંડવીથી અંબાજી જથી એસ.ટી બસમાં પ્રેમી પંખીડા મૃત હાલતમાં મળી આવતા ચકચાર મચી છે. બનાવના પગલે બનાસકાંઠા જિલ્લા પોલીસે બન્નેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપસ હાથ ધરી છે.

માંડવીથી અંબાજી જતી એસ.ટી બસમાં પ્રેમી પંખીડાના મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. મળતી માહિતી અનુસાર, ડીસા ખાતે એસ.ટી. બસ આવતા બસના કંડક્ટરે જગાડવા જતા બન્ને પ્રેમી પંખીડા મૃત હાલતમાં જોવા મળ્યા હતા. હેબતાય ગયેલા બસના કંડક્ટરે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી, ત્યારે બન્ને પ્રેમી પંખીડા મૃતદેહને સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવતા હાજર તબીબોએ બન્નેને મૃત જાહેર કર્યા હતા. બન્ને પ્રેમી પંખીડા રાધનપુરના હોવાનું જાણવા મળ્યું છે, ત્યારે એસ.ટી બસમાં રાધનપુરથી સવાર થયેલ પ્રેમી પંખીડાએ ઝેરી દવા પીને આપઘાત કર્યો હોવાનું પોલીસે પ્રાથમિક અનુમાન લગાવ્યું છે. હાલ તો બનાસકાંઠા જિલ્લા પોલીસે બન્નેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપસ હાથ ધરી છે.

Next Story