Connect Gujarat
ગુજરાત

રાજ્યમાં નવરાત્રિને લઈને થઈ શકે છે મોટી જાહેરાત; સરકાર નવું નોટિફિકેશન બહાર પાડશે

રાજ્યમાં નવરાત્રિને લઈને થઈ શકે છે મોટી જાહેરાત; સરકાર નવું નોટિફિકેશન બહાર પાડશે
X

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ગૃહ વિભાગ અને આરોગ્ય વિભાગની અગત્યની બેઠક યોજાવાની છે. રાજ્યમાં કરફ્યુની પૂર્ણ થઈ રહેલ મુદત સંદર્ભે અગત્યની બેઠક યોજવામાં આવી છે. આવતી કાલે સવારે 6 વાગ્યે કફર્યું અંગેના નોટિફિકેશનની મુદત પૂર્ણ થઈ રહી છે. હાલના તબકકે રાજ્યના 8 મહાનગરોમાં રાત્રે 11 થી સવારના 6 વાગ્યા સુધીનો રાત્રી કરફ્યુ અમલી છે.

ઘટી રહેલા કેસો વચ્ચે રાજ્યમાં કફર્યુંના કલાકોમાં છૂટછાટ અપાઈ તેવી શક્યતા છે. કર્ફ્યુ ઉપરાંત રાજ્ય સરકાર નવરાત્રી સંદર્ભની ગાઈડ લાઈન પણ જાહેર કરી શકે છે. નવરાત્રીના સમય દરમિયાન રાત્રી કર્ફ્યુની સમય મુદતમાં છૂટછાટ અપાઈ શકે છે. આજ સાંજ સુધીમાં રાજ્ય સરકાર નવું નોટિફિકેશન બહાર પાડશે.

MSME કેટેગરીમાં આવતા રાજ્યભરના ઉદ્યોગકારોને સરકારની વિવિધ ઉદ્યોગલક્ષી નીતિનો મહત્તમ લાભ મળે તે દિશામાં વધુ સારી વ્યવસ્થા ઉભી કરાશે, તેમ રાજ્ય ઉદ્યોગ મંત્રી જગદીશભાઈ પંચાલે જણાવ્યું હતું. ઉદ્યોગ ભવન ખાતે રાજ્ય ઉદ્યોગ મંત્રી પંચાલના અધ્યક્ષસ્થાને MSMEની સમીક્ષા બેઠક યોજાઇ.

માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇસીઝ-MSME કેટેગરીમાં આવતા રાજ્યભરના નાના અને મધ્યમકક્ષાના ઉદ્યોગકારોને ગુજરાત સરકારની વિવિધ ઉદ્યોગલક્ષી નીતિનો મહત્તમ લાભ મળે તે દિશામાં વધુ ઝડપી, સારી અને સરળ વ્યવસ્થા ઉભી કરાશે તેમ આજે ઉદ્યોગ ભવન, ગાંધીનગર ખાતે રાજ્ય ઉદ્યોગ મંત્રી જગદીશભાઈ પંચાલે જણાવ્યું હતું. રાજ્ય ઉદ્યોગ મંત્રી જગદીશભાઈ પંચાલના અધ્યક્ષસ્થાને આજે ઉદ્યોગ ભવન ગાંધીનગર ખાતે MSME અંગે સમીક્ષા બેઠક યોજાઇ હતી.

મંત્રી પંચાલે જણાવ્યું હતું કે, રાજ્યભરના તમામ જિલ્લા-તાલુકાઓમાં વધુમાં વધુ MSME ઉદ્યોગો સ્થપાય તો સ્થાનિક સ્તરે પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારી વધે તેમજ જે તે વિસ્તારનો વિકાસ થાય. MSMEને અપાતા વિવિધ લાભો, સબસીડી, નોંધણીની વિગતો સહિતની માહિતી કેટેગરી અને તાલુકા મુજબ ટેકનોલોજી-સોશિયલ મીડિયાના માધ્યમથી છેવાડાના લોકો-નાના ઉદ્યોગકારો સુધી પહોંચે તે દિશામાં આગળ વધવું પડશે. આ તમામ પ્રક્રિયા માટે હાલમાં અમલી સિંગલ વિન્ડો સિસ્ટમને વધુ પ્રભાવી, પારદર્શક અને અપડેટ કરવામાં આવશે જેથી મહત્તમ ઉદ્યોગકારોને લાભ મળશે.

તેમણે કહ્યું હતું કે, MSME અંતર્ગત નોંધણી સહિતની તમામ પ્રક્રિયા ઓનલાઇન કરીશુ તો, ફાઇલ-અરજીનું સ્ટેટસ સંબંધિત અધિકારી તેમજ અરજદાર પણ પોતાના મોબાઇલમાં જોઈ શકશે. અરજી અને પડતર પ્રશ્નોના નિકાલની પણ સમયમર્યાદા તેમજ નવા લક્ષ્યાંક નક્કી કરવામાં આવશે જેથી પડશે તેમ તેમણે ઉમેર્યું હતું.

આ પ્રસંગે MSME કમિશનર જી. રણજીથ કુમારે MSMEની કામગીરી તેમજ ગુજરાત સરકારની ઔદ્યોગિક પોલિસી અંગે મંત્રીશ્રી સમક્ષ વિગતવાર પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. જેમાં મંત્રીએ જરૂરી માર્ગદર્શન આપી સૂચનો કર્યા હતા. આ સમીક્ષા બેઠકમાં ઉદ્યોગ વિભાગના નાયબ સચિવ મનીષ શાહ, MSMEના અધિક કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story