ગાંધીનગર : PM મોદીના હસ્તે ડિજિટલ ઈન્ડિયા વીક-2022નો દેશવ્યાપી શુભારંભ…

ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડિજિટલ ઈન્ડિયા વીક-2022નો દેશવ્યાપી શુભારંભ કરાવ્યો

New Update

ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડિજિટલ ઈન્ડિયા વીક-2022નો દેશવ્યાપી શુભારંભ કરાવ્યો હતો. જેમાં ઇન્ડિયાસ્ટેક, માય સ્કીમ, ચિપ ટુ સ્ટાર્ટ અપ સહિતની 7 વિવિધ પહેલનું ઉદઘાટન થતાં લોક સુખાકારીમાં વધારો થયો છે.

" max-width="100%" class="video-element note-video-clip" height="360">

ડિજિટલ ઈન્ડિયા વીક-2022'નો દેશવ્યાપી શુભારંભ કરાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આજનો આ કાર્યક્રમ 21મી સદીમાં નિરંતર આધુનિક ભારતની ઝલક લઈને આવ્યો છે. ટેક્નોલોજીનો યોગ્ય ઉપયોગ માનવતા માટે કેટલો ક્રાંતિકારી છે. તેને ભારતે ડિજિટલ ઈન્ડિયા દ્વારા વિશ્વ સમક્ષ રાખ્યું છે. એટલું જ નહીં, જનધન, મોબાઈલ અને આધાર એટલે કે, JAM(જેમ)નો ફાયદો ગરીબોને મળ્યો છે. 10 વર્ષ પહેલાં બર્થ સર્ટિ., બેન્ક જ્યાં જુઓ ત્યાં લાઈન લાગતી, હવે બધુ ઓનલાઈન થયું છે, તેથી લાઈનોમાંથી મુક્તિ મળી છે. તો ડિજિટલ ઈન્ડિયાથી દેશના લોકોની સુખાકારી વધી, અર્થતંત્રને વેગ મળ્યો છે.

" max-width="100%" class="video-element note-video-clip" height="360">

દર વર્ષે ડિજિટલ ઈન્ડિયામાં નવા આયામો પ્રાપ્ત કર્યા છે. આજના કાર્યક્રમમાં નવા પ્લેટફોર્મ લોન્ચ થયા છે. તે ડિજિટલ ઈન્ડિયાને આગળ વધારે છે. આ પ્લેફોર્મનો સ્ટાર્ટઅપ ઈકો સિસ્ટમને લાભ થશે. મિનિમમ ગર્વનમેન્ટ, મેક્સિમમ ગવર્નન્સ ડિજિટલ ઈન્ડિયાના માધ્યમથી દેશમાં નાગરિકોની સુખાકારીમાં વધારો થઈ રહ્યો છે. તેમજ ભારતના અર્થતંત્રને વેગ મળી રહ્યો છે. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ અને કેન્દ્રીય રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

અંકલેશ્વર:  ગણેશ આયોજકો અને વહીવટી તંત્ર વચ્ચે યોજાય બેઠક, વિવિધ પ્રશ્ને કરવામાં આવી ચર્ચા

અંકલેશ્વરમાં આગામી ગણેશ મહોત્સવના પર્વને ધ્યાને રાખીને વહીવટી તંત્ર, પોલીસ તેમજ ગણેશ આયોજકોની બેઠક યોજાઇ હતી જેમાં વિવિધ પ્રશ્ને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

New Update
  • અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન

  • ગણેશ આયોજકોની બેઠક યોજાઇ

  • વહીવટી તંત્ર સાથે બેઠકનું આયોજન

  • વિવિધ પ્રશ્ને કરવામાં આવી ચર્ચા

  • ઉચ્ચ અધિકારીઓ રહ્યા ઉપસ્થિત

અંકલેશ્વરમાં આગામી ગણેશ મહોત્સવના પર્વને ધ્યાને રાખીને વહીવટી તંત્ર, પોલીસ તેમજ ગણેશ આયોજકોની બેઠક યોજાઇ હતી જેમાં વિવિધ પ્રશ્ને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
અંકલેશ્વર શહેરમાં આગામી ગણેશ મહોત્સવને લઈને નાયબ કલેક્ટર કચેરી ખાતે વિશિષ્ટ બેઠક યોજાઈ હતી. જેમાં શહેરના વિવિધ ગણેશ મંડળોના આયોજકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.ગણેશ યુવક મહોત્સવ મંડળના નિમંત્રણ પર યોજાયેલી આ બેઠકમાં મંડળોને મંજૂરી, આયોજનમાં સહકાર, રસ્તાઓની વ્યવસ્થા, મૂર્તિ સ્થાપન માટેની પરવાનગીઓ, વીજ પુરવઠા અંગે DGVCL સાથે સંબંધિત પ્રશ્નો વગેરે મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.મંડળોના આયોજકોએ નાયબ કલેક્ટર સમક્ષ જાહેર વ્યવસ્થાની તંગી, વીજળીના કટોકટીના પ્રશ્નો, રોડના ખાડા, અને ટ્રાફિકના પ્રશ્નો રજૂ કર્યા હતા તથા તેમના યોગ્ય સમાધાનની માંગણી રાખી હતી.આ બેઠકમાં નાયબ કલેક્ટર ભવદીપસિંહ જાડેજા, મામલતદાર  કરણસિંહ રાજપૂત, જિલ્લા ભાજપ પ્રમુખ  પ્રકાશ મોદી,  ચીફ ઓફિસર, પોલીસ ઇન્સ્પેક્ટર સહિત વિવિધ શાખાઓના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.