જામનગર : અનુસુચિત જાતિ વ્યક્તિત્વ વિકાસ તાલીમ શિબિર યોજાય, બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓની ઉપસ્થિતિ...

જામનગરમાં જિલ્લા રમત ગમત કચેરી દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત અનુસુચિત જાતિ વ્યક્તિત્વ વિકાસ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update

જામનગરમાં જિલ્લા રમત ગમત કચેરી દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત અનુસુચિત જાતિ વ્યક્તિત્વ વિકાસ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ તાલીમ શિબિરનો લાભ લીધો હતો.

Advertisment

કમિશ્નર, યુવક સેવા અને સાંસ્ક્રુતિક પ્રવુર્તિઓ ગાંધીનગર દ્વારા આયોજિત જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા રમત ગમત અધિકારી કચેરી, જામનગર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત શહેર મધ્યે આવેલ મ્યુનિસિપલ ટાઉન હોલ ખાતે અનુસુચિત જાતિ વ્યક્તિત્વ વિકાસ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રખ્યાત લેખક અને વક્તા દ્વારા સરકારી શાળાના વિદ્યાર્થીઓને જીવનમાં પ્રગતિ કેમ કરવી, ભણતર કેવું હોવું જોઈએ, જીવનમાં નિષ્ફળતાથી નિરાશ ન થવું અને આત્મહત્યા જેવા પગલાં ન લેવા જેવા વિષયો પર વક્તવ્ય આપવામાં આવ્યું હતું. આ અવસરે કાર્યક્રમમાં હાજર વિદ્યાર્થીઓએ વક્તા જય વસાવડાને પ્રશ્નોતરી કરી જરૂરી માહિતીઓ મેળવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા રમત ગમત અધિકારી નિતા વાળા અને વક્તા જય વસાવડા સહિત રમત ગમત કચેરીના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisment
Read the Next Article

સંઘપ્રદેશ દમણમાં થયેલી રૂ. 1.33 કરોડની ચોરીનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો, દાહોદથી 3 તસ્કરોની ધરપકડ

તસ્કરોએ રાત્રે 2 વાગ્યા બાદ ઘરમાં પ્રવેશ કરી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. તસ્કરોએ સોનું અને 8 હજાર UK પાઉન્ડની રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા

New Update
  • સંઘપ્રદેશ દમણ ક્રાઇમ બ્રાન્ચ પોલીસને મળી સફળતા

  • 20 દિવસમાં જ રૂ. 1.33 કરોડની ચોરીનો ભેદ ઉકેલ્યો

  • દાહોદ ખાતેથી 3 આંતરરાજ્ય તસ્કરોની ધરપકડ કરી

  • સોનું અને 8 હજાર UK પાઉન્ડ રોકડની થઈ હતી ચોરી

  • પોલીસે 18 લાખ રૂપિયાનું 26 તોલા સોનું રિકવર કર્યું 

Advertisment

સંઘપ્રદેશ દમણ પોલીસે માત્ર 20 દિવસમાં જ મોટી દમણમાં થયેલી રૂ. 1.33 કરોડની ચોરીનો ભેદ ઉકેલી કાઢી 3 આંતરરાજ્ય તસ્કરોની ધરપકડ કરી રૂ. 18.17 લાખની કિંમતનું 261.530 ગ્રામ સોનું જપ્ત કર્યું છે.

ગત તા. 28 ફેબ્રુઆરી-2025ના રોજ સંઘપ્રદેશ દમણના મોટી દમણ વિસ્તારમાં આવેલ મંદિર શેરી વિસ્તારમાં રહેતા ઇશ્વરભાઈ ટંડેલના ઘરમાંથી ચોરી થઈ હતી. ટંડેલ પરિવાર લંડનથી ભારત આવ્યો હતોત્યારે તસ્કરોએ રાત્રે 2 વાગ્યા બાદ ઘરમાં પ્રવેશ કરી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. તસ્કરોએ સોનું અને 8 હજાર UK પાઉન્ડની રોકડ રકમની ચોરી કરી હતી. આ સાથે જ શ્રી રણછોડરાયજી મંદિરની દાનપેટીમાં રહેલ 20થી 25 હજારની રોકડ પર હાથફેરો કર્યો હતો. સમગ્ર મામલે દમણ ક્રાઇમ બ્રાન્ચના PSI ભરત પરમારના નેતૃત્વમાં તપાસ શરૂ કરવામાં આવી હતી.

જેમાં ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે દાહોદથી 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ચોરીને અંજામ આપનાર મુખ્ય આરોપી ભરત મોતીલાલ પંચાલ જે 50થી વધુ ગુનાઓમાં સંડોવાયેલો છે. તે ગુજસીટોક હેઠળ સજા પણ ભોગવી ચૂક્યો છેજ્યારે અન્ય 2 આરોપીઓમાં જિજ્ઞેશ રાજુભાઈ પંચાલ અને પંકજકુમાર ઉર્ફે પુનીત ભરતભાઈ સોનીનો સમાવેશ થાય છે.

પોલીસે આરોપીઓ પાસેથી 18 લાખ રૂપિયાનું 26 તોલા સોનું પણ રિકવર કર્યું છે. હાલ સમગ્ર મામલામાં વધુ લોકો સામેલ હોય તેવું પોલીસ જણાવી રહી છેત્યારે આગામી તપાસમાં વધુ લોકોને પોલીસ દ્વારા પકડવાની હિલચાલ શરૂ કરવામાં આવી છે. દમણ પોલીસની ઝડપી કાર્યવાહીથી સ્થાનિક લોકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધ્યો છે.

Advertisment
Latest Stories