જુનાગઢ : ગિરનાર રોડ પર ગટરની સમસ્યાથી ત્રસ્ત સ્થાનિકોએ ચક્કાજામ કર્યો, મનપાના અધિકારીઓ દોડતા થયા

ગિરનાર રોડ પર ગટરની સમસ્યાથી ત્રસ્ત સ્થાનિકોએ માર્ગ પર સિમેન્ટના પાઇપની આડસ મુકી મહાનગરપાલિકાની મનમાની સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું.

New Update

જુનાગઢ શહેરના ગિરનાર રોડ પર ગટરની સમસ્યાથી ત્રસ્ત સ્થાનિકોએ માર્ગ પર સિમેન્ટના પાઇપની આડસ મુકી મહાનગરપાલિકાની મનમાની સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું.

Advertisment

જુનાગઢ શહેરમાં મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર 9 એટલે મેયરનો વોર્ડ. આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગટરની સમસ્યા જોવા મળી રહી છે. જેના કારણે ગંદકી અને રોગચાળો વકરી રહ્યો છે. પરંતુ મેયરના વોર્ડમાં જ આવી પરિસ્થિતિ સર્જાતા અનેક સવાલો ઊભા થયા છે. અનેકવાર મનપામાં રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ નહીં આવતા અંતે લોકોએ માર્ગ પર સિમેન્ટના પાઇપની આડસ મુકી રસ્તા રોકો આંદોલન કર્યું હતું. જોકે, આ મામલે મનપાના એક એન્જિનિયર દ્વારા પોલીસને બોલાવીને સ્થાનિકોને દબાવવાનો પ્રયાસ કરાયો હતો, ત્યારે આ વોર્ડના સ્થાનિક કોર્પોરેટરે સ્થળ પર આવી આવતીકાલ સુધી ગટરની સફાઈ કામગીરી શરૂ કરવા આશ્વાસન આપ્યું હતું, ત્યારે હવે જોવું રહ્યું કે, મનપા દ્વારા આ કામગીરી શરૂ કરવામાં આવે છે કે, ફક્ત વાયદાઓ કરી પોતાની મનમાની જ કરે છે.

Read the Next Article

વલસાડ : દાદરાનગર હવેલીમાં સામૂહિક આપઘાતની આશંકા, પિતા અને બે બાળકોના મૃતદેહ મળતા ચકચાર

દાદરા નગર હવેલીના સામરવણી ગામમાં મૂળ મહારાષ્ટ્રીયન પરિવારના ત્રણ સભ્યોના મૃતદેહ મળી આવ્યા છે. ઘરમાંથી પિતા અને તેમના બે બાળકોના મૃતદેહ મળી આવ્યા

New Update
  • સામુહિક આપઘાતની ઘટનાથી ચકચાર

  • પિતા અને બે બાળકોના મળ્યા મૃતદેહ

  • પરિવારના ત્રણ સભ્યોના મોતથી ચકચાર

  • પોલીસ તપાસમાં સુસાઈડ નોટ મળી આવી 

  • આપઘાત પાછળનું કારણ જાણવા કવાયત  

Advertisment

દાદરા નગર હવેલીના સામરવણી ગામમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છેજેમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. ઘરમાંથી પિતા અને તેમના બે બાળકોના મૃતદેહ મળી આવ્યા છેજેને પગલે સામૂહિક આપઘાતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

દાદરા નગર હવેલીના સામરવણી ગામમાં મૂળ મહારાષ્ટ્રીયન પરિવારના ત્રણ સભ્યોના મૃતદેહ મળી આવ્યા છે. ઘરમાંથી પિતા અને તેમના બે બાળકોના મૃતદેહ મળી આવ્યા છેજેને પગલે સામૂહિક આપઘાતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.પોલીસ તપાસમાં સ્થળ પરથી એક સુસાઇડ નોટ પણ મળી છે. આ સુસાઇડ નોટ મૃત્યુ પાછળના કારણો પર પ્રકાશ પાડી શકે છે. હાલ પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.

પોલીસના જણાવ્યા અનુસારપોસ્ટમોર્ટમ રિપોર્ટ અને સુસાઇડ નોટની તપાસ બાદ જ આ ઘટના સામૂહિક આપઘાત છે કે કોઈ અન્ય કારણથી મૃત્યુ થયું છેતે અંગેની હકીકત બહાર આવશે. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Latest Stories