સાબરકાંઠા : વેપારીને ચપ્પુની અણી બતાવી રૂ. 1 લાખથી વધુની લૂંટ ચલાવી લૂંટારુઓ ફરાર...

લુંટારુ ટોળકીએ બિસ્કીટના વેપારીને માર માર્યા બાદ ચપ્પુ બતાવી રૂપિયા 1 લાખથી વધુ રકમની સનસનાટીભરી લૂંટ ચલાવતા જિલ્લાભરનું પોલીસ તંત્ર દોડતુ થયું હતું.

New Update

સાબરકાંઠા જિલ્લાના ઈડર-વલાસણા હાઈવે પર ગત સોમવારે મોડી રાત્રે લુંટારુ ટોળકીએ બિસ્કીટના વેપારીને માર માર્યા બાદ ચપ્પુ બતાવી રૂપિયા 1 લાખથી વધુ રકમની સનસનાટીભરી લૂંટ ચલાવતા જિલ્લાભરનું પોલીસ તંત્ર દોડતુ થયું હતું. બનાવ અંગે પોલીસે 4 અજાણ્યા લુંટારુ સામે લૂંટનો ગુનો નોંધી ઘટના સ્થળ પરથી મળી આવેલા બાઈકના આધારે ગુનેગારો સુધી પહોંચવા કવાયત હાથ ધરી છે.

ઈડરના દામોદર વિસ્તારમાં ક્રિષ્ણા જનરલ સ્ટોર નામે ચોકલેટ બિસ્કીટનો વેપાર કરતા પારસસિંહ મોઢસિંહ રાજપુરોહિત નામના વેપારી સોમવારે રાત્રે દુકાન બંધ કરી દુકાનના વકરાની રૂપિયા 95 હાજરા રોકડ રકમ સાથે બાઈક પર ઉમેદગઢ જવા માટે નિકળ્યા હતા. તે દરમ્યાન મણિયોર નજીક બાઈક પર આવેલા 4 બુકાનીધારી લૂંટારૂએ વેપારીને ઉભા રહેવા ઈશારો કર્યો હતો. જોકે, તેમ છતાં વેપારીએ બાઈક ઉભું ન રાખતાં એક લુંટારુએ ચપ્પુ કાઢ્યું હતું. જેને કારણે ગભરાય ગયેલા વેપારીએ બાઈકને ઉભુ રાખ્યું હતું. ત્યારબાદ ચારેય લુંટારુ વેપારીને ખેંચીને રોડની સાઈડમાં આવેલા કપાસના ખેતરમાં લઈ ગયા હતા. ખેતરમાં જઈ વેપારીને માર મારી તથા ચપ્પુ બતાવી રૂપિયા 95 હજારની રોકડ સાથેની બેગ તથા રૂ. 10 હજારનો મોબાઈલ પડાવી લીધો હતો, ત્યારે રોડ પરથી પસાર થતાં અન્ય વાહનને જોઈ વેપારીએ બુમાબુમ કરતા વાહન ઉભુ રહ્યું હતું. જેને કારણે ચારેય લૂંટારુ તેઓની બાઈક રોડ પર મુકીને ફરાર થઈ ગયા હતા. બાદમાં વેપારીએ રોડ પર આવી ઉભા રહેલા વાહનચાલકને સઘળી હકિકત જણાવતા તે થકી ઉમેદગઢ પોલીસને જાણ કરાય હતી. વેપારી લૂંટાયાની જાણકારી બાદ ઈડર પોલીસ ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં લૂંટારુ જે બાઈક લઈને આવ્યા હતા, તે ચોરીની હોવાનું સામે આવ્યું છે. આ બાઈક હિંમતનગરથી ચોરાયાની જાણકારી પ્રાપ્ત થઈ છે. બાદમાં રાત્રે જ પોલીસે આ ઘટના અંગે વેપારીની ફરિયાદ લઈ 4 અજાણ્યા લૂંટારુ વિરુદ્ધ લૂંટનો ગુનો નોંધ્યો હતો. પોલીસે ગુનેગારો સુધી પહોંચવા FSL તથા ડોગ સ્ક્વોર્ડની મદદ પણ લીધી હતી.

Read the Next Article

અંકલેશ્વર: ONGCમાં નોકરીના બહાને રૂ.1.84 કરોડની છેતરપીંડીમાં ફરિયાદી જ આરોપી નિકળ્યો, પોલીસે કરી ધરપકડ

આરોપીએ વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચ આપી અનેક લોકોને ફસાવ્યા હતા...

New Update
ONGC Fraud
અંકલેશ્વર ONGC માં અલગ અલગ સ્થળે 90 લોકોને નોકરીની લાલચ આપી 1.84 કરોડની ઠગાઈમાં વોન્ટેડ આરોપી ઝડપાતા ફરિયાદી પણ આરોપી હોવાનો થયો ધડાકો અંકલેશ્વરની ONGC કંપનીમાં સિક્યોરિટીમાં રાજ્યમાં અલગ અલગ સ્થળે નોકરીની લાલચે 90થી વધુ લોકો સાથે આચરાયેલા રૂપિયા 1.84 કરોડના કૌભાંડમાં ફરિયાદી પણ આરોપી નીકળ્યો છે. 
અંકલેશ્વરની અમૃતકુંજ સોસાયટીમાં રહેતા ફરિયાદી એવા આરોપી ઘનશ્યામસીધ રાજપુતની અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી લીધી છે. વર્ષ 2022 થી 2024 માં વિરાટ નગર રહેતા ઓગસ્ત હરદેવ પાંડે એ પોતે નેશનલ ઇન્વેસ્ટીગેશન સિક્યુરીટી સર્વીિસ NISS કંપનીના મેનેજર તરીકેની ખોટી ઓળખ આપી હતી. વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચમાં લોકોને ફસાવ્યા હતા.
NISS કંપનીના બોગસ જોઇનીંગ લેટર અને આઇ કાર્ડ બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી વિશ્વાસમાં લઇ હાલના આરોપી એવા ફરિયાદીના પરિવારના 10 લોકો સહિત કુલ 50 જેટલા લોકો પાસેથી રૂપિયા 1.04 કરોડ પડાવ્યા હતા.સાથે જ ઠાકોરભાઇ આહીર અને તેની સાથેના 40 અન્ય લોકો પાસેથી દરેકના બે લાખ લેખે આશરે ₹80 લઇ નોકરીએ નહિ લગાવી નાસી છૂટ્યો હતો. જે આરોપી અગસ્ત પાંડે પકડાતા તેને પોલીસ સમક્ષ આ કૌભાંડમાં ફરિયાદી એવો ઘનશ્યામ સિંઘ પણ સામેલ હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. એ ડિવિઝન પોલીસે ફરિયાદીની આરોપી તરીકે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Latest Stories