રાજ્યના આ બે જિલ્લાઓમાં છે ભારે વરસાદની આગાહી; માછીમારોને દરિયો ન ખેડવા અપાયું સૂચન

ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગામી 24 કલાકમાં રાજ્યનાં બે જિલ્લા એટલે કે, દ્વારકા અને પોરબંદર પર અતિભારે વરસાદની આગાહી કરી છે.

New Update

ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગામી 24 કલાકમાં રાજ્યનાં બે જિલ્લા એટલે કે, દ્વારકા અને પોરબંદર પર અતિભારે વરસાદની આગાહી કરી છે. આગામી 24 કલાક દરિયો ન ખેડવાની પણ માછીમારોને સૂચના આપવામાં આવી છે. આ વરસાદી રાઉન્ડ બાદ સાતમી સપ્ટેમ્બરે પણ ફરીથી વરસાદની અન્ય એક સિસ્ટમ સક્રિય થવાની આગાહી કરવામાં આવી છે. ત્રણ દિવસથી પડતા સારા વરસાદને કારણે રાજ્યમાં સરેરાશ વરસાદ 49 ટકા થયો છે. જેમાં ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. રાજ્યના 13 તાલુકાઓમાં હજુ બેથી પાંચ ઈંચ જેટલો જ વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી 24 કલાકમાં કચ્છ ,જામનગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. અન્ય વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેવાની શક્યતાઓ છે. અમદાવાદ શહેરમાં પણ વરસાદી માહોલ જામ્યો છે.

ગત 24 કલાકમાં અંજારમાં 7 ઇંચઆજ સવારના 6 વાગ્યા સુધીમાં 24 કલાક દરમિયાન સૌથી વધુ અંજારમાં 7 (166મિમી) ઇંચ, ગાંધીધામ 3 ઇંચ (82 મિમી), નખત્રાણા 6 મિમી, ભચાઉ પોણા 2 ઇંચ(42 મિમી), ભુજ 2 ઇંચ(51મિમી), મુન્દ્રા સવા 3 ઇંચ (84 મિમી), માંડવી 2 ઇંચ (52 મિમી), રાપર 9 મિમી, અને સૌથી ઓછો છેવાડાના લખપતમાં 3 મિમી વરસાદ નોંધાયો હતો.

મળતા આંકડા પ્રમાણે, છેલ્લા 2 દિવસમાં 7 ટકા જેટલો વરસાદમાં વધારો થયો છે. ગુજરાતમાં હવે 42 ટકા વરસાદની ઘટ છે. ગુજરાતમાં સતત ત્રણ દિવસથી સારા વરસાદને કારણે રાજ્યમાં સરેરાશ વરસાદ 49 ટકા થયો છે. જેમાં ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. રાજ્યના 13 તાલુકાઓમાં હજુ બેથી પાંચ ઈંચ જેટલો જ વરસાદ છે. જુનાગઢ, સુરેન્દ્રનગર, રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી કચ્છ, સહિતના લગભગ સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં વરસાદને કારણે સુકાતા ખરીફ પાકને નવજીવન મળી ગયું છે. નદી-નાળા-ડેમોમાં પણ નવા પાણી આવવાની સાથોસાથ તળ પણ જીવંત થતા ઘણી રાહત થઈ છે.

Read the Next Article

અંકલેશ્વર: મહોરમનું પર્વ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતા તાજીયા કમિટી દ્વારા તંત્રનો આભાર વ્યક્ત કરાયો

અંકલેશ્વર શહેર-તાલુકા તાજીયા કમિટી દ્વારા વહીવટી તંત્ર, પોલીસ પ્રશાસન, ગુજરાત વિદ્યુત બોર્ડ અને અંકલેશ્વર નગરપાલિકાનો આભાર વ્યક્ત કરી સન્માન કરવામાં આવ્યું

New Update
Tajiya Commitee
અંકલેશ્વર શહેર-તાલુકા તાજીયા કમિટી દ્વારા વહીવટી તંત્ર, પોલીસ પ્રશાસન, ગુજરાત વિદ્યુત બોર્ડ અને અંકલેશ્વર નગરપાલિકાનો આભાર વ્યક્ત કરી સન્માન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરમાં મોહરમનું પર્વ શાંતિપૂર્ણ અને કોમી એખલાસભર્યા વાતાવરણમાં સંપન્ન થયું છે જે બદલ અંકલેશ્વર શહેર તાલુકા તાજીયા કમિટી દ્વારા પ્રાંત અધિકારી, મામલતદાર  કરણસિંહ રાજપૂત, નાયબ પોલીસ અધિક્ષક,ડો.કુશલ ઓઝા,પોલીસ ઇન્સ્પેકટર  પી જી ચાવડા, પાલિકા પ્રમુખ લલીતાબેન રાજપુરોહિત, શિક્ષણ સમિતિ ચેરમેન ગણેશ અગ્રવાલ, ભાજપ શહેર પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા સહિતના આગેવાનોનો આભાર વ્યક્ત કરી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

Tajiya Commitee Ankleshwar

આ પ્રસંગે કમિટીના પ્રમુખ બખ્તિયાર પટેલ, સેક્રેટરી વસીમ ફડવાલા, ઉપપ્રમુખ અમન પઠાણ, નૂર કુરેશી, લીગલ એડવાઈઝર હારુન મલેક સહિતના આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.