જામફળનું સેવન શિયાળામાં બનશે સ્વાસ્થ્ય પ્રદ

જામફળ પોષક તત્વોનો ભંડાર છે, જેમાં વિટામીન સી, લાઈકોપીન અને એન્ટીઓક્સીડેન્ટ વધુ માત્રામાં હોય છે.

New Update

શિયાળાની ઋતુમાં મળતા જામફળ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. આ સમયે બજારમાં નવી સીઝનના જામફળનું વેચાણ થઈ રહ્યું છે. જામફળ ખાટા-મીઠા ફળ છે. જે ખાવામાં સ્વાદિષ્ટ તો છે જ પણ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. તેમાં કેલરી ઓછી અને ફાઈબર વધારે હોય છે. તે વજનને નિયંત્રિત કરવામાં ખૂબ મદદરૂપ છે. આ ફળ સુગરના દર્દીઓ માટે ઉત્તમ ઉપાય છે. તેનું સેવન કરવાથી સુગર કંટ્રોલ રહે છે.

જામફળ પોષક તત્વોનો ભંડાર છે, જેમાં વિટામીન સી, લાઈકોપીન અને એન્ટીઓક્સીડેન્ટ વધુ માત્રામાં હોય છે. જે સ્વાસ્થ્યને અનેક રોગોથી બચાવવામાં મદદ કરે છે. જામફળની સાથે તેના પાંદડા પણ ઔષધીય ગુણોથી સમૃદ્ધ છે. શિયાળામાં જામફળનું સેવન ખૂબ ફાયદાકારક છે. શરીરમાં લોહીની ઉણપ પૂરી કરે છે, સાથે સાથે શિયાળામાં શરદી અને ખાંસીમાંથી પણ રાહત આપે છે. જામફળ શિયાળામાં ઠંડીથી રક્ષણ આપે છે. જાણો આવા ઉપયોગી જામફળના શું ફાયદા છે.

જામફળ રોગપ્રતિકારક શક્તિમાં કરે છે વધારો :-

આ બદલાતી ઋતુમાં રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે, ત્યારે આ ઋતુમાં જામફળનું સેવન ખૂબ ફાયદાકારક છે. જામફળ રોગપ્રતિકારક શક્તિ વધારશે, સાથે સાથે તમને ઉર્જા પણ આપશે.

પાચનશક્તિ રહે છે સારી :-

અન્ય ફળોની સરખામણીમાં જામફળમાં સૌથી વધુ ફાઇબર હોય છે, જે કબજિયાતની સમસ્યાથી રાહત આપે છે. જામફળના બીજ ગેસ અને અપચોની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. અને સાથે હૃદયને સ્વસ્થ રાખવામાં જામફળ ખૂબ અસરકારક છે. જામફળમાં એન્ટિઓક્સિડન્ટ, વિટામિન્સ અને ઘણા પોષક તત્વો હોય છે જે હૃદયની તંદુરસ્તી જાળવવામાં મદદ કરે છે.

ડાયાબિટીસને રાખે છે નિયંત્રિત :-

જામફળમાં હાજર ફાઇબર તેના ઓછા ગ્લાયસેમિક ઇન્ડેક્સને કારણે ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. જામફળમાં કુદરતી સુગર હોય છે જે ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક બની શકે છે.

ત્વચા માટે પણ છે ફાયદા કારક :-

જામફળ ત્વચા માટે ફાયદાકારક માનવામાં આવે છે. જામફળમાં વિટામિન અને મિનરલ્સ ભરપૂર માત્રામાં હોય છે જે ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થઈ શકે છે.

Read the Next Article

કેરળમાં ફરી નિપાહ વાઈરસના કારણે 18 વર્ષના યુવકનું મોત, 46 નવા કેસ મળી આવ્યા

કેરળમાં નિપાહ વાઈરસ (Nipah Virus) ફરી હાહાકાર મચાવી રહ્યો છે. હાલમાં જ મલપ્પુરમ જિલ્લામાં આ વાઈરસથી એક 18 વર્ષીય યુવાનનું મોત થયું હતું. તેમજ 46 નવા કેસ સામે આવ્યા છે.

New Update
nipa virus

કેરળમાં નિપાહ વાઈરસ (Nipah Virus) ફરી હાહાકાર મચાવી રહ્યો છે. હાલમાં જ મલપ્પુરમ જિલ્લામાં આ વાઈરસથી એક 18 વર્ષીય યુવાનનું મોત થયું હતું. તેમજ 46 નવા કેસ સામે આવ્યા છે.

આ ઘાતક વાઈરસે આરોગ્ય અધિકારીઓને હાઈ એલર્ટમાં મુકી દીધા છે. આ વાઈરસ જીવલેણ છે, કારણ કે તેની કોઈ ખાસ દવા કે વેક્સીન પણ ઉપલબ્ધ નથી. 

નિપાહ વાઈરસ (NiV)એક ઝૂનોટિક વાઈરસ છે, એટલે કે, પ્રાણીઓમાંથી મનુષ્યોમાં ફેલાય છે. આ વાઈરસ મુખ્યત્વે ચામાચીડિયા (Pteropus Medius), જેને ફ્લાઈંગ ફોક્સ પણ કહેવામાં આવે છે. આ ડુક્કર દ્વારા માણસોમાં ફેલાય છે.

આ પહેલીવાર 1998માં મલેશિયામાં જોવા મળ્યો હતો. ત્યારે બાંગ્લાદેશ, ભારત અને સિંગાપુરમાં તેનો પ્રકોપ જોવા મળ્યો હતો. કેરળમાં 2018થી અત્યાર સુધી સાત વખત નિપાહ વાઈરસનો પ્રકોપ જોવા મળ્યો છે. જેમાં 2018,2019,2021,2023 અને 2024-25 નો સમાવેશ થાય છે. 

નિપાહ વાઈરસનો મૃત્યુદર ખૂબ જ ઊંચો છે, જે 40% થી 75% સુધીનો હોઈ શકે છે. આ વાયરસમાં માનવ-માનવ ટ્રાન્સમિશન દ્વારા ફેલાવાની ક્ષમતા પણ છે, જે તેને વધુ ખતરનાક બનાવે છે. WHO એ આ રોગચાળાની સંભાવના ધરાવતા પ્રાથમિકતાવાળા રોગકારક જીવાણુઓમાં સામેલ કર્યો છે.

જુલાઈ 2025માં કેરળમના મુલપ્પુરમ જિલ્લામાં એક 18 વર્ષીય કિશોરનું નિપાહ વાઈરસના કારણે મૃત્યુ થયું હતું. આ સાથે 46 નવા કેસ સામે આવ્યા છે, જેમાં મોટાભાગના મલપ્પુરમ, કોઝિકોડ અને પલક્કડ઼ જિલ્લામાં છે. આરોગ્ય અધિકારીઓએ  425 લોકોને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યો છે. 

આ વાઈરસ ચામાચિડીયા અથવા ડુક્કરના મળ, મુત્ર અથવા લાળથી દુષિત થયેલા ભોજન ખાવાથી થાય છે. સંક્રમિત વ્યક્તિના શરીરના પ્રવાહી જેવા કે, લાળ, લોહી અને ખુલ્લામાં છીંક ખાવાથી આ રોગ ફેલાય છે.

વાઈરસ શરીરમાં પ્રવેશ કરતાં 4 થી 14 દિવસ પછી લક્ષણો જોવા મળે છે. 

શરુઆતના લક્ષણો

તાવ આવવો, માથુ દુખવું, સ્નાયુઓમાં દુખાવો, ગળામાં ખારાશ, ઉલ્ટી અને થાક.

ગંભીર લક્ષણ

શ્વાસ લેવામાં તકલીફ પડવી, ચક્કર આવવા, દિશા ભૂલી જવી, એટેક, કોમા અને એન્સેફાલીટીસ (મગજનો સોજો).

Kerala | health