શિયાળામાં દવા તરીકે કેવી રીતે કામ કરે છે સફેદ તલ, જાણો તેના અનેક ફાયદા

ઔષધીય ગુણોથી ભરપૂર સફેદ તલ શરદીમાં દવાની જેમ કામ કરે છે. તે હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે, હૃદયની બીમારીઓ સામે રક્ષણ આપે છે.

New Update

શિયાળામાં સફેદ તલનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તલના બીજનો ઉપયોગ ઘણીવાર મીઠાઈ બનાવવામાં થાય છે. ઔષધીય ગુણોથી ભરપૂર સફેદ તલ શરદીમાં દવાની જેમ કામ કરે છે. તે હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે, હૃદયની બીમારીઓ સામે રક્ષણ આપે છે. તલ જેટલુ શારીરિક સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે તેટલો જ તે માનસિક સ્વાસ્થ્ય માટે પણ ઉપયોગી છે. તેનાથી તણાવમાંથી રાહત મળે છે. શિયાળામાં તલનું સેવન કોઈ ઔષધિ જેવું જ કામ કરે છે.

તલમાં જોવા મળતું સેસમીન એ એન્ટીઑકિસડન્ટ છે, જે કેન્સરના કોષોના વિકાસને અટકાવે છે. તે ફેફસાના કેન્સર, પેટમાં કેન્સર, લ્યુકેમિયા જેવા તમામ રોગો થવાની શક્યતા ઘટાડે છે. તો ચાલો જાણીએ કે શિયાળામાં સફેદ તલનું સેવન કેવી રીતે ફાયદાકારક છે.

1. વધુ પડતા તણાવને ઘટાડે છે :-

સફેદ તલમાં આવા કેટલાક તત્વો અને વિટામિન્સ જોવા મળે છે જે તણાવ અને ડિપ્રેશનને ઘટાડવામાં મદદરૂપ છે.

2. હૃદય માટે ફાયદાકારક :-

તલના બીજમાં કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ જેવા વિવિધ ક્ષાર હોય છે. જે હૃદયના સ્નાયુઓની સક્રિય કામગીરીમાં મદદ કરે છે.

3. હાડકાંને મજબૂત બનાવે છે :-

તલના બીજમાં આહાર પ્રોટીન અને એમિનો એસિડ હોય છે. જે મજબૂત હાડકાં માટે જરૂરી છે. તે સ્નાયુઓને પણ મજબૂત બનાવે છે, તેથી શિયાળામાં સફેદ તલનું સેવન કરવું જોઈએ.

4. ત્વચા માટે ફાયદાકારક :-

તલનું તેલ ત્વચાને જરૂરી પોષક તત્વો પ્રદાન કરે છે, જેના કારણે ત્વચામાં ભેજ જળવાઈ રહે છે. જો તમે સ્વસ્થ અને ચમકદાર ત્વચા મેળવવા માંગતા હોવ તો તલના તેલનો ઉપયોગ કરો. તેનાથી ત્વચાની કરચલીઓ દૂર થાય છે.

5. કબજિયાત દૂર કરે છે :-

સફેદ તલનું સેવન કરવાથી કબજિયાતની સમસ્યામાં રાહત મળે છે.

6. શરીરના દુખાવામાં આપે છે રાહત :-

શિયાળામાં સફેદ તલનું સેવન કરવાથી શરીરમાં ઉર્જાનો સંચાર થાય છે અને તેના તેલથી માલિશ કરવાથી દુખાવામાં આરામ મળે છે.

Read the Next Article

કેરળમાં ફરી નિપાહ વાઈરસના કારણે 18 વર્ષના યુવકનું મોત, 46 નવા કેસ મળી આવ્યા

કેરળમાં નિપાહ વાઈરસ (Nipah Virus) ફરી હાહાકાર મચાવી રહ્યો છે. હાલમાં જ મલપ્પુરમ જિલ્લામાં આ વાઈરસથી એક 18 વર્ષીય યુવાનનું મોત થયું હતું. તેમજ 46 નવા કેસ સામે આવ્યા છે.

New Update
nipa virus

કેરળમાં નિપાહ વાઈરસ (Nipah Virus) ફરી હાહાકાર મચાવી રહ્યો છે. હાલમાં જ મલપ્પુરમ જિલ્લામાં આ વાઈરસથી એક 18 વર્ષીય યુવાનનું મોત થયું હતું. તેમજ 46 નવા કેસ સામે આવ્યા છે.

આ ઘાતક વાઈરસે આરોગ્ય અધિકારીઓને હાઈ એલર્ટમાં મુકી દીધા છે. આ વાઈરસ જીવલેણ છે, કારણ કે તેની કોઈ ખાસ દવા કે વેક્સીન પણ ઉપલબ્ધ નથી. 

નિપાહ વાઈરસ (NiV)એક ઝૂનોટિક વાઈરસ છે, એટલે કે, પ્રાણીઓમાંથી મનુષ્યોમાં ફેલાય છે. આ વાઈરસ મુખ્યત્વે ચામાચીડિયા (Pteropus Medius), જેને ફ્લાઈંગ ફોક્સ પણ કહેવામાં આવે છે. આ ડુક્કર દ્વારા માણસોમાં ફેલાય છે.

આ પહેલીવાર 1998માં મલેશિયામાં જોવા મળ્યો હતો. ત્યારે બાંગ્લાદેશ, ભારત અને સિંગાપુરમાં તેનો પ્રકોપ જોવા મળ્યો હતો. કેરળમાં 2018થી અત્યાર સુધી સાત વખત નિપાહ વાઈરસનો પ્રકોપ જોવા મળ્યો છે. જેમાં 2018,2019,2021,2023 અને 2024-25 નો સમાવેશ થાય છે. 

નિપાહ વાઈરસનો મૃત્યુદર ખૂબ જ ઊંચો છે, જે 40% થી 75% સુધીનો હોઈ શકે છે. આ વાયરસમાં માનવ-માનવ ટ્રાન્સમિશન દ્વારા ફેલાવાની ક્ષમતા પણ છે, જે તેને વધુ ખતરનાક બનાવે છે. WHO એ આ રોગચાળાની સંભાવના ધરાવતા પ્રાથમિકતાવાળા રોગકારક જીવાણુઓમાં સામેલ કર્યો છે.

જુલાઈ 2025માં કેરળમના મુલપ્પુરમ જિલ્લામાં એક 18 વર્ષીય કિશોરનું નિપાહ વાઈરસના કારણે મૃત્યુ થયું હતું. આ સાથે 46 નવા કેસ સામે આવ્યા છે, જેમાં મોટાભાગના મલપ્પુરમ, કોઝિકોડ અને પલક્કડ઼ જિલ્લામાં છે. આરોગ્ય અધિકારીઓએ  425 લોકોને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યો છે. 

આ વાઈરસ ચામાચિડીયા અથવા ડુક્કરના મળ, મુત્ર અથવા લાળથી દુષિત થયેલા ભોજન ખાવાથી થાય છે. સંક્રમિત વ્યક્તિના શરીરના પ્રવાહી જેવા કે, લાળ, લોહી અને ખુલ્લામાં છીંક ખાવાથી આ રોગ ફેલાય છે.

વાઈરસ શરીરમાં પ્રવેશ કરતાં 4 થી 14 દિવસ પછી લક્ષણો જોવા મળે છે. 

શરુઆતના લક્ષણો

તાવ આવવો, માથુ દુખવું, સ્નાયુઓમાં દુખાવો, ગળામાં ખારાશ, ઉલ્ટી અને થાક.

ગંભીર લક્ષણ

શ્વાસ લેવામાં તકલીફ પડવી, ચક્કર આવવા, દિશા ભૂલી જવી, એટેક, કોમા અને એન્સેફાલીટીસ (મગજનો સોજો).

Kerala | health 

Latest Stories