UNમાં PM મોદીના ભાષણની કોંગ્રેસે ઉડાવી મજાક: ચિદમ્બરમે કહ્યું કોઈએ તાળી પણ ન વગાડી

કોંગ્રેસ નેતાઓ દ્વારા PM મોદી પર આ મુદ્દે આકરા પ્રહારો કરવામાં આવ્યો છે

New Update

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગતરોજ શનિવારે સાંજે UNમાં મહાસભાને સંબોધન આપ્યું હતું. આ સબોધનને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ ગૌરવવંતી ગણાવ્યું. જ્યારે કોંગ્રેસ નેતાઓ દ્વારા PM મોદી પર આ મુદ્દે આકરા પ્રહારો કરવામાં આવ્યો છે. જેમા ખાસ કરીને પી. ચિદંબરમ અને કપિલ સિબ્બલે PM મોદી સામે આકરા પ્રહાર કર્યા છે. કોંગ્રેસ નેતા અને રાજ્યસભા સાંસદ પી. ચિદંબરમે ટ્વીટ કરીને એવું કહ્યું કે PM મોદીના ભાષણ વખતે અમુકજ સીટ ભરેલી હતી. સાથેજ તેમણે એવું પણ કીધુ કે સંબોધન બાદ કોઈએ તાળી પણ ન વગાડી. વધુમાં તેમણે કહ્યું જ્યારે વડાપ્રધાન સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે સીટો ખાલી જોઈને મને ઘણી નીરાશા તઈ હતી. સમગ્ર મામલે પી. ચિદંબરમે એવું કહ્યું છે કે કોઈ પણ તાળી ન વગાડી તે સૌથી નિરાશાજનક બાબત હતી. સાથેજ તેમણે કહ્યું કે સંયુક્ત રાષ્ટ્રમાં ભારતનું સ્થાયી મિશન પણ ખોરવાઈ ગયું છે. બીજી તરફ કપીલ સીબ્બલે ટ્વીટ કરીને PM મોદીને મધર ઓફ ઓલ ડેમોક્રેસી જણાવ્યા છે. સાથેજ તેમણે કહ્યું કે મને આશા છે કે યોગીજી અને હિંમત બિસ્વા સાંભળી રહ્યા છે. સંયુ્ક્ત રાષ્ટ્ર મહાસાભામાં વડાપ્રધાન મોદીએ પાકિસ્તાન અને ત્યાના પ્રધાનમંત્રી ઈમરાન ખાન પર નામ લીધા વગર આકરા પ્રહાર કર્યા હતા. જેમા તેમણે કહ્યું કે દેશો આતંકવાદનો ઉપયોગ કરી રહ્યા છે. તેમને સમજવુ જોઈએ કે આતંકવાદ તેમના માટે પણ ખતરો છે. અફઘાનિસ્તાનની સ્થિતી પર તેમણે કહ્યું કે વિશ્વનો કોઈ પણ દેશ ત્યાની સ્થિતીને પોતાના સ્વાર્થ માટે ઉપયોગ ન કરે તે માટે સતર્ક રહેવું જરૂરી છે. 

Read the Next Article

મરાઠી વિવાદ: મુંબઈના રસ્તા પર વેપારીઓ vs MNS, પોલીસે ટિંગાટોળી કરી કાર્યકરોને ડિટેઇન કર્યા

મહારાષ્ટ્રમાં ભાષા વિવાદ એ હદે વધી ગયો છે કે રાજ ઠાકરેની પાર્ટી મનસેના કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા છે. પરિસ્થિતિ એવી છે કે થોડા દિવસો પહેલા પાર્ટીના કાર્યકરોએ એક ફૂડ સ્ટોલ માલિકને માર માર્યો હતો.

New Update
marathi bhasa

મહારાષ્ટ્રમાં ભાષા વિવાદ એ હદે વધી ગયો છે કે રાજ ઠાકરેની પાર્ટી મનસેના કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા છે. પરિસ્થિતિ એવી છે કે થોડા દિવસો પહેલા પાર્ટીના કાર્યકરોએ એક ફૂડ સ્ટોલ માલિકને માર માર્યો હતો.

વ્યાપારી સંગઠનોએ આનો વિરોધ કર્યો હતો. હવે તેના જવાબમાં મનસેના કાર્યકરોએ મંગળવારે રેલી કાઢી છે, જ્યાં પોલીસ પણ કડક કાર્યવાહી કરી રહી છે.

એવું કહેવામાં આવે છે કે આ રેલી પોલીસની પરવાનગી વિના કાઢવામાં આવી હતી અને તેના કારણે થાણે જિલ્લામાં ભારે ટ્રાફિક જામ અને તણાવ સર્જાયો હતો. રેલી શરુ થાય તે પહેલાં જ પોલીસે સવારે 3:30 વાગ્યે મનસેના થાણે અને પાલઘરના વડા અવિનાશ જાધવ સહિત ઘણા અગ્રણી નેતાઓને કસ્ટડીમાં લીધા હતા.

આ મામલે પ્રતિક્રિયા આપતા મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, 'મનસેના કાર્યકરો દ્વારા કાઢવામાં આવેલી રેલી મંજૂર રૂટ પર નહોતી. તેથી જ પોલીસે કાર્યવાહી કરવી પડી. મહારાષ્ટ્ર એક લોકશાહી રાજ્ય છે અને અહીં કોઈપણ વિરોધ કરી શકે છે, પરંતુ તેના માટે પહેલા પરવાનગી લેવી પડશે.'

આ અંગે પ્રતિક્રિયા આપતાં મનસે નેતા સંદીપ દેશપાંડેએ કહ્યું, 'આ પરિસ્થિતિ કટોકટી જેવી છે. ગુજરાતી વેપારીઓની રેલીને પૂર્ણ સન્માન આપવામાં આવી રહ્યું છે ત્યારે અમારા નેતાઓની વહેલી સવારે ધરપકડ કરવામાં આવી હતી. શું આ મહારાષ્ટ્ર સરકાર છે કે ગુજરાત સરકાર? સરકાર ગમે તે કરે, મરાઠી લોકોની આ રેલી ચોક્કસ થશે.'

આ મહિનાની શરુઆતમાં મીરા-ભાયંદર વિસ્તારમાં એક ફૂડ સ્ટોલ માલિકને મરાઠીમાં વાત ના કરવાના કારણે માર મારવામાં આવ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેના પછી વેપારી સમુદાયમાં ઘણો ગુસ્સો હતો. વેપારીઓએ આ ઘટનાનો વિરોધ કરવા માટે શાંતિપૂર્ણ રેલીનું આયોજન કર્યું હતું. મનસેએ તેને મરાઠી ઓળખની વિરુદ્ધ ગણાવ્યું હતું અને વિરોધમાં પોતે રેલી કાઢી હતી.

Maharastra | Controversy | MNS | Mumbai | Mumbai Police

Latest Stories